SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્ત બનેલા જોવાને ઇચ્છે છે અને જે કોઇ આત્મા ઉત્તમ પ્રકારે વિધિ મુજબ શ્રી જિનભક્તિ કરે, તેને તે કરતો જોઇને તેઓ આનંદ અનુભવ્યા વિના રહી શકતા નથી. આમ હોવા છતાં પણ મુખ્યત્વે, સાધુઓને માટે ભાવ-ભક્તિનું અને ગૃહસ્થોને માટે દ્રવ્યભક્તિનું શ્રી જૈનશાસનમાં વિધાન છે. એનું કારણ એ છે કે-સાધુઓએ દ્રવ્યનો સર્વથા ત્યાગ કરેલો છે, જ્યારે ગૃહસ્થોએ દ્રવ્યનો સર્વથા ત્યાગ કરેલો નથી. વળી દ્રવ્યભક્તિ પણ એ માટે જ છે કે-એ દ્વારા આત્માને એકાન્ત ભાવભક્તિની પ્રાપ્તિ થાય. સમ્યગ્દષ્ટિ ગૃહસ્થાવાસમાં ક્યારે રહે? સર્વવિરતિવાળું જીવન જ એકાન્ત આજ્ઞામય જીવન હોઇ શકે છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ, જગતના જીવોને દુ:ખના નાશ માટે અને સુખની પ્રાપ્તિ માટે મોક્ષને સાધવાનું માવ્યું અને મોક્ષને સાધવાને માટે સમ્યગ દર્શન-જ્ઞાન-ચારિત્રમય જીવન જીવવાનું માલું, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય જીવન એક સાધુજીવન જ હોઇ શકે અને એવું સાધુજીવન સર્વવિરતિ વિના શક્ય નથી. એ સાધુજીવનમાં જે કાંઇ કરવાનું તે ભગવાન શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞા મુજબ જ કરવાનું. ખાવા-પીવાનું, પહેરવા-ઓઢવાનું અને સંયમનું તથા તપનું આચરણ કરવાનું-એ વિગેરે બધું જ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞા મુજબ જ. જમાં એ તારકોની આજ્ઞા ન હોય, એવું એ જીવનમાં થાય નહિ; કદાચ પ્રમાદાદિને વશ તેવું થઇ જાય, તો તે ભૂલ ગણાય અને તેને પ્રાયશ્ચિતથી શોધવું જોઇએ. આવું આજ્ઞાધીન જીવન જીવતે એવું જીવન પણ પ્રાપ્ત થાય કે-એ જીવનમાં આજ્ઞાની અપેક્ષા રહે નહિ અને તેમ છતાં પણ એ જીવન આજ્ઞાનુસારી જેવું જ હોય. આ. કારણે, જેનામાં સમ્યગ્દર્શન ગુણ પ્રગટે છે અને એથી આ માર્ગનો જેને સુન્દર ખ્યાલ આવે છે, એ આત્માઓ જો પોતાની શક્તિ જૂએ તો એવા એકાન્ત આજ્ઞામય જીવનને જીવવાને જ તત્પર બને; પણ સર્વને માટે એ શક્ય નથી. એવાં અનેક કારણો હોય છે, કે જે કારણોને લીધે, સમ્યગ્દષ્ટિ આત્મા સર્વવિરતિવાળા આજ્ઞામય જીવનનો અભિલાષી હોવા છતાં પણ, એ જીવનને સ્વીકારી શકે નહિ. એને એ જીવનને પામવાની ઇચ્છા હોય, પણ તેના પરિણામો તેનામાં પ્રગટી શકે નહિ. એ શક્ય છે : કારણ કે-સમ્યગ્દષ્ટિ એવા પણ આત્માઓને ગાઢ ચારિત્રમોહ કર્મના ઉદય યોગે વિરતિના પરિણામો અંગે પણ ન પ્રગટે, તો એય બનવાજોગ વસ્તુ છે. આથી, સમ્યગ્દર્શન ગુણને પામેલા આત્માઓમાં જેઓ સર્વવિરતિને સ્વીકારવાની શક્યતાવાળા નથી હોતા, તેઓ ગૃહસ્થપણે રહે છે; પણ ગૃહસ્થપણે રહેલા તેઓ હરેક શક્ય રીતિએ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની ભક્તિ કરવાની ભાવનાવાળા તો હોય જ છે. આઠમી વિશિામાં સૂચવાએલી વિવિધ વાતો : આ આઠમી વિંશિકામાં શાસ્ત્રકાર પરમર્ષિએ દેવની પૂજાના દ્રવ્ય અને ભાવ એ બે પ્રકારો પૈકી દ્રવ્યપૂજાનો અધિકાર વર્ણવ્યો છે. દેવપૂજાના દ્રવ્ય અને ભાવ, એ બે પ્રકારો પરસ્પર સંબંધવાળા છે. દ્રવ્યયુક્ત ભાવપૂજા અને ભાવયુક્ત દ્રવ્યપૂજા પણ હોય છે. તત્ત્વથી એમાં પ્રધાન-ગૌણભાવ પણ છે. ગૃહસ્થોની પૂજામાં દ્રવ્યપૂજાની પ્રધાનતા ગણાય છે. ગૃહસ્થોને પણ તેવા કોઇ અવસર વિશેષ ભાવપૂજાની પ્રધાનતા હોઇ શકે છે. દેવપૂજાના દ્રવ્ય-ભાવ ભેદની, એના Page 97 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy