________________
શ્રી વિંશતિઃ વિંશિકામાં, આઠમી વિંશિકા શ્રી જિનપૂજા સંબંધી છે અને એ કારણથી આ. આઠમી વિંશિકાને “પુજા-વિધિ-વિંશિકા' એ નામથી ઓળખવામાં આવે છે. સધર્મવિંશિકા નામની છઠ્ઠી વિંશિકામાં, શાસ્ત્રકાર પરમર્ષિએ, સમ્યગ્દર્શનના પાંચ લિંગોનું પશ્ચાનુપૂર્વી ક્રમથી વર્ણન કરેલું છે, જે આપણે વિચારી આવ્યા છીએ. સમ્યગ્દર્શનનાં પાંચ લિંગો પૈકી પ્રધાનતા ઉપશમલક્ષણની છે, કે જે પાંચમું લિંગ છે અને સમ્યગ્દષ્ટિ જીવને તેનાં પાંચ લક્ષણોની પ્રાપ્તિમાં પહેલી પ્રાપ્તિ આસ્તિકયલક્ષણની થાય છે, કે જે પહેલું લિંગ છે. સમ્યગદર્શનના આસ્તિકય લક્ષણની વ્યાખ્યા કરતાં શાસ્ત્રકાર પરમર્ષિએ પણ માવ્યું છે અને બીજા ઉપકારિઓએ પણ માવ્યું છે કે
“મન્નડ તમેવ સર્વ નિરક્ષ6 નિહિં પUUId I”
એટલે કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ જે માવ્યું છે તે જ સત્ય છે, એટલું જ નહિ પણ તે એવું સત્ય છે, કે જેમાં શંકાને અવકાશ જ નથી. આવી માન્યતા સમ્યગ્દષ્ટિ આત્માઓની હોય છે. આ સંસારમાં એક માત્ર તે જ સાચું છે, તે નિ:શંક સત્ય છે, કે જે ભગવાન શ્રી જિનેશ્વર દેવોએ પ્રરૂપ્યું છે. સઘળીય ધર્મભાવનાને અને સઘળીય ધર્મક્રિયાઓને સારી રીતિએ સદ્ધ કરવાને માટે, આવા પ્રકારની માન્યતાની જરૂર છે-એમ નહિ, પણ આવી માન્યતાની અનિવાર્યપણે જરૂર છે. આ માન્યતા આવ્યા પૂર્વેની સઘળી જ ધર્મભાવનાઓ અગર ધર્મક્રિયાઓ સામાન્ય રીતિએ નિફ્લ જ છે-એવું નથી; આ માન્યતા આવ્યા પૂર્વેની ધર્મભાવનાઓ અને ધર્મક્રિયાઓ પણ સમ્યગ્દર્શન ગુણને પામવામાં સહાયક બનનારી તથા સમ્યગ્દર્શન ગુણને પમાડનારી બની શકે છે; મોક્ષનું ધ્યેય હોય; અજ્ઞાનતા, મુગ્ધતા આદિને લઇને સાંસારિક ધ્યેય હોય, પણ તેનો આગ્રહ ન હોય; તો આ માન્યતા આવ્યા પૂર્વેની ધર્મભાવનાઓ અને ધર્મક્રિયાઓ પણ ગુણપ્રાપક બની શકે છે; પરંતુ આ માન્યતા આવ્યા પછીથી, આ માન્યતાની પાછળ ભગવાન શ્રી જિનેશ્વરદેવોના સ્વરૂપનો તથા એ તારકોના પરમ ઉપકારનો જે ખ્યાલ રહેલો છે-તે આવ્યા પછીથી, જીવ સામાન્ય કોટિની ગણાય તેવી પણ જે ધર્મક્રિયા કરે છે, તે એવી શુદ્ધ કોટિની હોય છે કે-એના યોગે જીવને અપૂર્વ લાભની પ્રાપ્તિ થયા. વિના રહેતી જ નથી. આઠમી વિંશિકામાં શ્રી જિનપૂજાની વાત છે અને પરમ ઉપકારી પરમર્ષિઓએ જેવી ઉત્તમ રીતિએ શ્રી જિનપૂજા કરવાનું માવ્યું છે. ખરેખર, તેવી ઉત્તમ રીતિએ જ શ્રી જિનપૂજા કરવી જોઇએ-એવું હૈયામાં ઉગે અનેતેવા પ્રકારે શ્રી જિનપૂજા કરવાનો ઉલ્લાસ પ્રગટે, એ હેતુથી જ અહીં આપણે આ આસ્તિકયલક્ષણની વાત લીધી છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોને જે સાચા રૂપમાં પિછાને, તેને એ તારકોની ભક્તિ ક્રવાનું મન થાય જ
સમ્યગ્દર્શન ગુણને પામેલા આત્માને લાગે છે કે- “હું ગાઢ અન્ધકારમાંથી પરિપૂર્ણ પ્રકાશમાં મુકાઇ ગયો અને એ પ્રતાપ અક માત્ર ભગવાન શ્રી જિનેશ્વરદેવોનો જ છે. મને અન્ધકારમાંથી પ્રકાશમાં લાવવાની મહેનત બીજા જે કોઇએ પણ કરી છે, તે સર્વ પણ મારા ઉપકારી છે; પરન્તુ બીજાઓની એ મહેનત પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવોને જ આભારી છે.' આ સંસારમાં ઉણપ માત્ર એક જ વસ્તુની હતી અને તે ઉણપ ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ પૂરી. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ જો એ ઉણપ પૂરી ન હોત, તો શું થાત ? -એ કલ્પના પણ કમ્પ ઉપજાવે એવી છે. જગતના જીવો દુઃખથી એવા ત્રાસેલા છે કે તેઓ દુઃખથી છૂટવાને માટે અને સુખને મેળવવાને માટે સદા તલસી રહ્યા
Page 94 of 197