SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ જેમણે એ પુરુષાર્થ આર્યો નથી, તેમને પણ હવે એ પુરુષાર્થ આદરવાનું મન છે, એમ ખરું ને ? આપણે સંસારથી છૂટવું છે અને મોક્ષ પામવો છે-એ આપણું લક્ષ્ય છે અને એ માટે આપણે જે પરુષાર્થ આચરવો પડે તેમ છે, તેમાં સમ્યકત્વ ગુણની પહેલી આવશ્યક્તા છે. સમ્યકત્વ ગુણ પ્રગટ્યા વિના, કોઇ પણ આત્માની કોઇ પણ કાળે મુક્તિ થાય નહિ; અને, સમ્યકત્વ ગુણ જેનામાં પ્રગટે, તેને માટે નરકગતિનાં અને, તિર્યંચગતિનાં દ્વાર બંધ થઇ જાય છે; એટલું જ નહિ, પણ દેવતાઇ સુખો પણ એને સ્વાધીન બને છે, માનષિક સુખો પણ એને સ્વાધીન બને છે અને મુક્તિસુખા પણ એને સ્વાધીન બને છે. જે ભવમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય એ જ ભવમાં મુક્તિની પ્રાપ્તિ પણ થાય, એવા જીવ થોડા. મુક્તિ પામતાં પહેલાં જેમને કેટલોક કાળ સંસારમાં કાઢવાનો હોય એવા જીવો, સમ્યકત્વને પામનારા જીવોમાં મોટી સંખ્યામાં હોય. એવા જીવો મુક્તિ પામે ત્યાં સુધી ક્યાં રહે ? સંસારમાં તો ખરા, પણ સંસારમાંય કેવા સ્થાને ? સમ્યકત્વનો અન એ જીવનો સંબંધ જો બરાબર બન્યો રહે, તો એ જીવ કદી પણ દુર્ગતિમાં જાય જ નહિ. સમ્યકત્વ પામતાં પૂર્વે આયુષ્ય બાંધ્યું હોય તો વાત જુદી, બાકી સમ્યકત્વની હાજરીમાં સખ્યદ્રષ્ટિ જીવને કદી પણ દુર્ગતિના આયુષ્યનો બંધ પડે જ નહિ. એટલે, એ જીવ ન તો નરકગતિમાં જાય ને ન તો તિર્યંચગતિમાં જાય. બાકી રહી જે બે ગતિ, એમાં એ જીવ સુખવાળા સ્થાનને પામે. એમ કરતાં કરતાં, છેલ્લે છેલ્લે એ જીવ મનુષ્યગતિને નિયમો પામે અને મનુષ્યગતિ પામી, સર્વ કર્મનો ક્ષય સાધીને એ જીવ મુક્તિસુખને પામે. આ દ્રષ્ટિ અને આ રૂચિનો બહુ ગુણ : સમ્યક્ત્વના મહિમાને વર્ણવનારી આ વાતનો માં તમને સમજાય છે ? આત્મામાં સમ્યક્ત્વ ગુણનું પ્રગટીકરણ થઇ જાય, એટલા માત્રમાં બેય દુર્ગતિ બંધ અને સુખ પણ સ્વાધીન, એનું કારણ શું ? સમ્યક્ત્વ પામે એટલા માત્રથી જ જીવ ખરાબ વર્તન, નહિ કરવા યોગ્ય વર્તન કરનારો મટી જાય એવું નથી; પણ ખરાબ વર્તન કરનારો એ હોય તે છતાં પણ એ આત્મામાં એવું સારાપણું પ્રગટ છે, કે જે સારાપણાને લીધે જ એને માટે દુર્ગતિનાં દ્વાર બંધ થઇ જાય છે અને દેવતાઇ સુખો, માનુષિક સુખો તથા મુક્તિસુખ એને સ્વાધીન બની જાય છે. જ્ઞાનિઓની દ્રષ્ટિએ જે વર્તન ખરાબ ગણાય, પ્રમત્ત વર્તન ગણાય, એ વર્તનને પોતે આચરતો હોય, એ વર્તન આચર્યા વિના પોતે ના રહી શકતો હોય, તે છતાં પણ એ વર્તનને ખરાબ જ માને-એવા જીવો આ જગતમાં કેટલા ? સમ્યગ્દર્શન ગુણના યોગે આત્માને સૌથી પહેલો ફાયદો તો એ થાય છે કે-શું સારું છે અને શું ખરાબ છે, એનો નિર્ણય એ આત્મા કરી શકે છે. જ્ઞાનિઓ જેને જેને ખરાબ અને તજવા યોગ્ય કહેતા હોય, તે એને પણ ખરાબ અને તજવા યોગ્ય જ લાગે તેમજ જ્ઞાનિઓ જેને જેને સારૂં અને સ્વીકારવા યોગ્ય કહેતા. હોય તે એને પણ સારું અને સ્વીકારવા યોગ્ય જ લાગે. એવી દ્રષ્ટિ અને એવી રૂચિ જીવમાં સમ્યગ્દર્શન ગુણના યોગે પ્રગટે છે. આ દ્રષ્ટિ અને આ રૂચિનો તો બહુ મોટો ગુણ છે. વર્તનની ખરાબીનો સંભવ સાતમાં ગુણસ્થાનની પ્રાપ્તિ થતાં સુધી ગણાયઃ આપણે જે કાંઇ કરતા હોઇએ, તેમાં ખરેખર સારું શું છે અને ખરેખર ખરાબ શું છે, એની Page 81 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy