________________
પણ આંશિક આરાધના કરનારા બનત શી રીતિએ ? જૈન કુળ મળ્યા વિના આવી સ્થિતિ પ્રાપ્ત ન જ થાય -એવું એકાન્ત કહી શકાય નહિ, પણ જૈન કુળ મળ્યા વિના આવી સ્થિતિ પ્રાપ્ત થવી, એ મોટે ભાગે તો અસંભવિત ગણાય ને ? તમને તમારી આ ભાગ્યશાલિતા, ભાગ્યશાલિતા રૂપે લાગે છે ખરી ? ગ્રન્થિદેશને પામેલા જીવ માટે પુરૂષાર્થનો અવસર :
તમને તમારી ભાગ્યશાલિતાની આ બધી વાતો કહીને પણ ભલામણ તો એ જ કરવાની છે કે-તમે તમારી ભાગ્યશાલિતાને હવે સારામાં સારી રીતિએ સજ્જ બનાવનારા નીવડો ! તમે તમારી આ ભાગ્યશાલિતાનો એવો સદુપયોગ કરનારા બનો, કે જેથી તમારી ભાગ્યશાલિતામાં ઉત્તરોત્તર અભિવૃદ્ધિ થવા પામે. ગ્રન્થિદેશને પામવા જોગી અને તેની સાથે શ્રી જિનશાસને ઉપદેશેલા મૃત-ચારિત્રાત્મક ધર્મને દ્રવ્યપણે પણ અમુક અંશે પામવા જોગી ભાગ્યશાલિતાને પામેલા આત્માઓ, જો ધારે તો પુરૂષાર્થને ફેરવીને, સમ્યગ્દર્શનાદિ આત્મગુણોને પ્રગટાવવાને સમર્થ બની શકે, એવો આ અવસર છે. આવી ભાગ્યશાલિતાને પામેલાઓને માટે, એટલે કે-ગ્રન્થિદેશે આવીને દ્રવ્યથી શ્રી. જિનધર્મના આચરણને પામેલા આત્માઓને માટે, પુરૂષાર્થનો આ અવસર છે, એમ કહી શકાય. અહીં એવું છે કે અહીં આવેલો જે કોઇ જીવ પુરૂષાર્થ કરવાને તત્પર બને અને પુરૂષાર્થને ફોરવે, તે જીવ, અનાદિકાલથી સંસારમાં પરિભ્રમણ કર્યા કરતાં તેણે જેવી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય નહિ, તેવી સિદ્ધિને પ્રાપ્ત કરી શકે. ગ્રન્થિદેશે પહોંચવા જોગી અવસ્થા, જેવી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય નહિ, તેવી સિદ્ધિને પ્રાપ્ત કરી શકે. ગ્રન્થિદેશે પહોંચવા જોગી અવસ્થા, એ કાંઇ એવી અવસ્થા નથી કે-જે કોઇ જીવ એ અવસ્થાને પામે અને એ અવસ્થાને પામીને એ અવસ્થાએ એ અવસ્થાની કાલમર્યાદા સુધી. ટકી પણ રહે, તે જીવ પ્રગતિ જ કરે. સમ્યગ્દર્શન ગુણની વાત જુદી છે. સમ્યગ્દર્શન ગુણ એ એવો ગુણ છે, કે જે ગુણને પામેલો જો એ ગુણને વમે નહિ અને એ ગુણમાં ટક્યો જ રહે, તો એ નિયમાં પ્રગતિને સાધનારો બને; જ્યારે ગ્રન્થિદેશની અવસ્થા એ એવી અવસ્થા નથી. ગ્રન્થિદેશે આવેલો. જીવ, વધુમાં વધુ અસંખ્યાત કાલ સુધી ગ્રન્થિદેશે ટકી રહે એ બને, પણ એટલા કાલ પર્યન્ત પ્રન્થિદેશે બરાબર ટકી રહેલો જીવ પ્રગતિ જ સાધે, એવો નિયમ નહિ. અસંખ્યાત કાલ સુધી ગ્રન્થિદેશે ટક્યા પછીથી પણ એ જીવ પાછો પડે અને ગ્રન્થિદેશ યોગ્ય કર્મસ્થિતિથી અધિક કર્મસ્થિતિને એ ઉપાર્જ, તો એ શક્ય છે. અથવા તો, એમ પણ કહી શકાય કે-ગ્રન્થિદેશે આવેલો જીવ જો પુરૂષાર્થ કરી શકે નહિ અને એથી પ્રગતિ સાધી શકે નહિ, તો એ જીવ છેવટમાં છેવટ અસંખ્યાત કાલે તો પાછો પSળ્યા વિના રહે જ નહિ. એટલે, આ અવસરે તમારે ખાસ સાવધ બની જવા જેવું છે. અહીંથી પીછેહઠ પણ શક્ય છે :
વળી, ગ્રન્થિદેશે આવેલો જીવ શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રત-ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણને પામે જ, એવા નિયમ નથી. ગ્રન્થિદેશે આવવા છતાં પણ જીવ, શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રુત-ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણનેય પામી શકે નહિ તો એ બનવાજોગ છે. નિયમ એ છે કે-શ્રી જિનશાસને ઉપદેશેલા મૃત-ચારિત્રાત્મક ધર્મના દ્રવ્યાચરણનાય આંશિક પ્રકારને પણ તે
Page 58 of 197