________________
કર્મસ્થિતિની આટલી હદ સુધીની લઘુતાને પામેલા જીવને, ગ્રન્થિદેશને પામેલો જીવ કહેવાય છે. એટલે કે જ્યાં સુધી જીવના આયુષ્યકર્મ વિનાનાં જ્ઞાનાવરણીયાદિ સાત કર્મોની એક કોટાકોટિ સાગરોપમ પ્રમાણ કાલથી અધિક કાલની જે સ્થિતિ, તે સ્થિતિ ખપી જવા પામતી નથી અને એટલી સ્થિતિ ખપી ગયા પછીથી પણ બાકી રહેલી જે એક કોટાકોટિ સાગરોપમની સ્થિતિ, તે સ્થિતિમાંથી પણ જ્યાં સુધી એક પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી સ્થિતિ ખપી જવા પામતી નથી, ત્યાં સુધી તો જીવ ગ્રન્થિદેશને પણ પામતો નથી. સમ્યગ્દર્શન ગુણને પામવાને માટે જે ગ્રન્થિને ભેદવી એ અનિવાર્ય છે, તે ગ્રન્થિના દેશ સુધી પણ એ જીવ પહોંચી શકતો નથી, કે જે જીવની કર્મસ્થિતિ એક કોટાકોટિ સાગરોપમ પ્રમાણ કાલની છે અગર તો તેથી અધિક કાલની છે. નદી-ઘોલ-પાષાણ ન્યાયે થતી મૈસ્થિતિની લઘુતાઃ
ગ્રન્થિદેશે પહોંચવા જોગી કર્મસ્થિતિની લઘુતા, જીવને, પોતાના ઇરાદા પૂર્વકના પુરુષાર્થ વિશેષથી જ પ્રાપ્ત થાય છે એવું નથી . પોતાની કર્મસ્થિતિની એટલી લઘુતાને, જીવ, યથાપ્રવૃત્તિકરણ દ્વારાએ નદી-ઘોલ-પાષાણ ન્યાયે પામે છે. એટલે કે-એથી અધિક કર્મસ્થિતિની જે ક્ષય જઇ જવા પામે છે, તે ક્ષય યથાપ્રવૃત્તિકરણ દ્વારાએ નદી-ઘોલ-પાષાણ ન્યાયે થાય છે. નદીઓમાંથી કેટલીક વાર બહુ જ સુંદર આકારવાળા અને અતિશય લીસા એવા પાષાણો મળી આવે છે. એ પાષાણોને, એવો સુદર આકાર કોઇ કારીગરે આપેલો હોતો નથી; અથવા તો, એ પાષાણોને કોઇ કારીગરે એવું અતિશય લીલાપણું પણ આપેલું હોતું નથી. આમથી તેમ અથડાતે-કૂટાતે જ એ પાષાણો એવા સુન્દર આકારવાળા અને એવા અતિશય લીસા બની ગયેલા. હોય છે. પાષાણને એવો આકાર આપવાની સાથે એવું લીસાપણું આપવું, એ કારીગરને માટેયા સહેલું તો નથી જ; જ્યારે કુદરતી રીતિએ એ પાષાણો અથડાતે-કૂટાતે એવા બની ગયેલા હોય છે. જીવને ગ્રન્થિદેશ સુધી પહોંચાડનારી જે કર્મસ્થિતિની લઘુતા થાય છે, તે લઘુતા પણ એ જ રીતિએ યથાપ્રવૃત્તિકરણ દ્વારાએ કર્મસ્થિતિ ખપતે ખપત થઇ જવા પામે છે; અને, એ જ કારણ છે કે-અભવ્ય જીવો અને દુર્ભવ્ય જીવો પણ ગ્રન્થિદેશ સુધી પહોંચી શકે છે. વળી ગ્રન્થિદેશને પામેલા જીવો પણ પુનઃ કર્મસ્થિતિની ગુરુતાને પામતા જ નથી, એવું પણ નથી. આટલી કર્મલઘુતા પણ મહત્વની
ગ્રન્થિદેશે પહોંચવા જોગી કર્મસ્થિતિની લઘુતાને જેમ ભવ્ય જીવો પામી શકે છે, તેમ દુર્ભવ્ય જીવો પણ પામી શકે છે અને અભવ્ય જીવો પણ પામી શકે છે; છતાં પણ, કર્મસ્થિતિની એટલી લઘુતા થવી, એ પણ ખૂબ જ મહત્વની વસ્તુ છે. કારણ કે-ભવ્ય જીવો પણ ગ્રન્થિને ભેદવાનો પુરુષાર્થ કર્મસ્થિતિની લઘુતાને પામ્યા વિના કરી શકતા નથી. બીજી વાત એ પણ છે કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ માવેલો જે મૃતધર્મ છે અને ચારિત્રધર્મ છે, તે ધર્મને દ્રવ્યથી પણ તે જ આત્માઓ પામી શકે છે, કે જે આત્માઓ ગ્રન્થિદેશે પહોંચવા જોગી કર્મસ્થિતિની લઘુતાને પામેલા હોય. શ્રી જિનશાસને ઉપદેશેલા શ્રતધર્મની અને ચારિત્રધર્મની આંશિક પણ આચરણા કરી રહેલા જીવોને માટે, એટલું તો નિશ્ચિત જ કે-એક આયુષ્યકર્મ સિવાયનાં તે જીવોનાં જ્ઞાનાવરણીયાદિ સાતેય કર્મોની સ્થિતિ ઘણી જ ક્ષીણ થઇ જવા પામેલી છે અને એક પલ્યોપમના અસંખ્યાતમાં ભાગે ઉણ
Page 54 of 197