SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ કાળ થાય છે એટલા કાળમાં જો જીવ મોક્ષે ન જાય તો ફ્રીથી એક અંતર્મુહૂર્ત ત્રીજા ગુણસ્થાનકના પરિણામને પામીને ક્ષયોપશમ સમકીત પામી છાસઠ સાગરોપમ સુધી ટકાવી શકે જો ત્યાં સુધીમાં પણ મોક્ષે ન જાય તો એ કાળ પૂર્ણ થતાં અવશ્ય મિથ્યાત્વને પામે છે. તેત્રીશ સાગરોપમનો દેવ ન થાય. તો બાવીસ-બાવીશ સાગરોપમના આયુષ્યવાળા દેવ ભવો. ત્રણવાર કરે વચમાં મનુષ્યભવ પામે મનુષ્યભવમાં દેશવિરતિ કે સર્વવિરતિના પરિણામને અવશ્ય પામી શકે છે. એમ પણ બની શકે છે. આથી ચોથા ગુણસ્થાકનો કાળ તેત્રીશ સાગરોપમ હોય અને ક્ષયોપશમ સમકીતનો કાળ છાસઠ સાગરોપમ હોય છે એમ કહેવું છે. શુદ્ધ યથાપ્રવૃત્તિ ક્રણ ક્યારે આવે? સમ્યગ્દર્શન, એ આમ તો આત્માના તથાવિધ પરિણામસ્વરૂપ છે, પણ એનાથી નીપજતી અસરની અપેક્ષાએ એમ કહી શકાય કે-સમ્યગ્દર્શન એટલે તત્ત્વભૂત એવા જે પદાર્થો છે, તેનું જેવું સ્વરૂપ શ્રી જિને કહ્યું છે, તેવું સ્વરૂપ જીવને રચવું તે ! એ સમ્યગ્દર્શન ત્રણ પ્રકારનું છે. ક્ષાયિક, ક્ષાયોપથમિક અને ઔપશમિક. તેમાં, અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવને પામવાની દ્રષ્ટિએ પહેલું ઔપથમિક સમ્યકત્વ ગણાય છે. અમુક મતે ક્ષાયોપસમિક સમ્યકત્વ પણ ગણાય છે. પણ, ક્ષાયોપથમિક સમ્યકત્વને પામ્યા વિના જીવ ક્ષાયિક સમ્યકત્વને પામી શકતો નથી. આપણી વાત તો એ છે કે-સમ્યગ્દર્શન પામવા માટે પહેલું શું જોઇએ ? શુદ્ધ યથાપ્રવૃત્તિ કરણ જોઇએ ! અને સંસાર ખરાબ છે, આનાથી છૂટવું જોઇએ, એમ લાગ્યા વિના શુદ્ધ યથાપ્રવૃત્તિકરણ આવે નહિ ગંથિદેશે આવેલો જીવ જ શુદ્ધ યથાપ્રવૃત્તિકરણને પામી શકે અને ગ્રંથિદેશે પણ જીવ યથાપ્રવૃત્તિકરણ દ્વારા જ આવે છે, પણ એ યથાપ્રવૃત્તિ કરણ ઉપયોગપૂર્વકનું કે જીવના પુરુષાર્થપૂર્વકનું શુદ્ધ ગણાતું નથી. એવા યથાપ્રવૃત્તિકરણથી નદીઘોલ પાષાણ ન્યાયે જીવ જ્યારે આયુષ્યકર્મ સિવાયનાં સાત કર્મોની અન્તઃ કોટાકોટિ સ્થિતિ કરે, ત્યારે તે જીવ ગ્રંથિદેશે આવેલો ગણાય. પણ ગ્રંથિદેશે આવેલા જીવે જે આગળ વધવું હોય, તો એ માટે એની આંખ સંસારના સુખ ઉપરથી ઉઠવી જોઇએ. ગ્રંથિદેશે આવેલા જીવની આંખ સંસારના સુખ ઉપર ચોંટેલી ને ચોંટેલી હોઇ શકે અને માટે જ અભવ્યો અને દુર્ભવ્યો ગ્રંથિદેશે આવી શકે છે. હવે તો ગ્રંથિદેશથી આગળ વધવું છે અને એ માટે જીવે સંસારના સુખ ઉપર આંખ બગાડવી જોઇએ. આ સુખમાં મારો વિસ્તાર કરવાની તાકાત નથી, એમ થવું જોઇએ. આ સુખમાં લીન બનવાથી નિતાર તો ન થાય, પણ સંસારમાં વધારે ને વધારે ખૂંપી જવાય, એમ જીવને થવું જોઇએ. શુદ્ધ યથાપ્રવૃત્તિwણ અપૂર્વક્રણને લાવેઃ આપણે એ વિચાર કરવો જોઇએ કે આપણને સંસારનું સુખ લાગે છે કેવું ? સંસારનું કોઇ પણ સુખ મળે તો તે પુણ્યથી મળે. જીવના પોતાના પુણ્યોદય વિના જીવને સંસારનું સુખ મળતું જ નથી. અત્યારે જીવની જે સ્થિતિ છે, તેમાં એ સુખ મીઠું લાગી જાય એવું પણ બને. એનાથી કામચલાઉ શાન્તિનો અનુભવ થાય એવુંય બને છે. માન-પાન વગેરે મળે, એ પણ સુખ છે ને ? એ ગમી જાય એવુંય બને ને ? પણ, એ જ વખતે હૈયે એમ લાગે છે ખરું કે- “આ ઠીક નથી ? આનાથી મારો વિસ્તાર નથી ? આને માટે સહાયક બનાવી દેવું જોઇએ, પણ આમાં મારે મને ભૂલી જવો. Page 48 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy