________________
છે.) ક્ષાયોપથમિક સમ્યકત્વની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે અને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગરોપમથી કંઇક અધિક છે. વેદકસમ્યક્ત્વની તો જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ એમ બન્ને સ્થિતિઓ એકજ સમયની છે. ક્ષયોપશમ સમ્યક્નમાં મિથ્યાત્વજાતિય દલિયાંથી આત્મશ્રદ્ધા કેમ મનાય ?
એનું સમાધાન એ છે કે-જેમ કોઇ અબરખ અથવા પાષાણાદિક મલિન હોય, તેને કોઇ ઔષધાદિક યોગે કરી તે પાષાણ કે અબરખમાંથી કાલાસરૂપ કલુષતા કાઢી નાંખે ત્યારે તે દલ નિર્મળ થાય, પછી તેને આંતરે જે વસ્તુ રહી હોય તે દીઠામાં આવે પણ છાની રહે નહિ. તે જ પ્રમાણે અહીં દર્શનમોહનીય કર્મના દલ મધ્ય અશુદ્ધ પરિણતિ રૂપ મિથ્યાત્વરૂપી વિષે કરી મલિન થયેલું અત્યંત કાલાસપણું ભરેલું હતું, તે ઉપશમસમ્યકત્વરૂપ ઓષધના મહિમાથી દૂર થાય, પછી નિર્વિષ દલિયાં રહ્યા તે સ્વચ્છ અભ્રપટલ સરખાં છે. તે નિર્મળ દલિયાં કાંઇ શ્રદ્ધાભાસનમાં વિપરિણામ કરે નહિ,તેથી જો તે જાતે મિથ્યાત્વ દલિયાં છે તો પણ નિર્વિષ-નિર્મળ છે, તેથી તે ક્ષયોપશમભાવને પ્રાપ્ત થતાં આત્મધર્મરૂપ શ્રદ્વાન કંઇક અફ્ટપણે પણ પ્રાપ્ત થાય છે અને તે પુગલોનો ક્ષય થતાં આત્મસ્વરૂપ સર્વ પ્રકારે પ્રગટ થાય છે અને તેને ક્ષાયિકસમ્યકત્વ કહેવામાં આવે છે.
આ પ્રકરણ સમાપ્ત કરીએ તે પૂર્વે એટલુ ઉમેરવું આવશ્યક સમજાય છે કે-સમ્યક્ત્વના વિશેષ જિજ્ઞાસુએ સમ્યકત્વના નિસર્ગરૂચિ ઇત્યાદિ દશ પ્રકારો માટે તથા સમાદિક પાંચ લક્ષણો, શંકાદિક પાંચ દષણો અને કશલાદિક પાંચ ભષણો, તેના આઠ પ્રભાવકો તથા સમ્યક્ત્વનારાજાભિયોગાદિક છ આગારો, અરિહંતાદિક સંબંધી દશ વિનયો, ત્રણ પ્રકારની શુદ્ધિ, ચાર શ્રદ્ધાન, સમ્યકત્વની છ ભાવનાઓ તથા છ યતના તેમજ તેના છ સ્થાનકો તથા તેના ત્રણ લિંગો-એ સમ્યકત્વના ૬૭ બોલો એ બધાના સ્વરૂપ માટે અન્ય ગ્રંથો જેવા.
ઉપર્યુક્ત સમ્યકત્વના કિચિંતુ પ્રકારો પૂલરૂપે જે બતાવવામાં આવેલા છે, તે પૂર્વે જણાવેલ યથાપ્રવૃત્યાદિ કરણત્રયપૂર્વક ગ્રંથિભેદ થયેલી અર્થાત્ દર્શનમોહનીય કર્મનું આવરણ ખસેથીજ હોઇ શકે કે માની શકાય. શાસ્ત્રમાં સમ્યકત્વના અનેક પ્રકારો જણાવી તેના જે સ્વરૂપો બતાવ્યા છે, તે તો ગ્રંથિભેદ થવાના સાધનો અર્થાત કારણો છે અને કારણમાં કાર્યનો ઉપચાર કરી સમ્યક્ત્વ તરીકે ઓળખાવેલા હશે એમ સમજાય છે. આ બધા અનેક પ્રકારે બતાવેલા સમ્યકત્વો ગ્રંથિભેદ વિનાજ સમકિત તરીકે ઓળખાવવામાં કે એટલેથીજ સંતોષ ધરવામાં આવે, તો જીવનો કદાપિ કાળે મોક્ષ થાયજ નહિ અને એ વિનાનું સમ્યકત્વ તે વસ્તુતઃ સમ્યકત્વ ન લખી શકાય.
સંસારમાં પરિભ્રમણ કરતા દરેક વસ્તુ અનેક્વાર પ્રાપ્ત થાય છે, પરંતુ સમ્યગ્દર્શન પામવું અત્યંત દુર્લભ છે, અને તે હેતુથી તેને રત્નની ઉપમા આપવામાં આવેલી છે. છેવટે સર્વ સંપત્તિઓનું નિધાન અને જ્ઞાનનું કારણ પણ એક સમ્યગદર્શન છે. એ પ્રમાણે મોક્ષરૂપી કલ્પવૃક્ષના બીજ સમાન સમ્યગદર્શનનું કાંઇક સ્વરૂપ ગ્રંથાધારે જણાવ્યું.
પરમ પુરૂષ આપ્ત પરમાત્માએ સુખાભિલાષી પુરૂષોના હિતાર્થે સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન, સમ્યગચારિત્ર અને સભ્યતા- એ ચારે ઉત્તમ આરાધનારૂપ ધર્મસુખ-પ્રાપ્તિના સર્વોત્કૃષ્ટ ઉપાય તરીકે વર્ણવ્યા-ઉપદેશ્યા છે. તેમાં સમ્યગ્દર્શન આરાધનાનું કિંચિત સ્વરૂપ માત્ર જણાવવામાં આવે
Page 154 of 197