SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ सामान्येनोपवर्णितम् । अस्यां तु तदवस्थायां, મુરબ્ધમન્વર્જયોતિઃ II” અત્રે એ ઉમેરવું અનાવશ્યક નહિ ગણાય કે-જેમ અવ્યક્ત મિથ્યાત્વી મટીને વ્યક્ત મિથ્યાત્વી થવું એ એક અપેક્ષાએ ઉન્નત દશા છે, તેમ બોજી અપેક્ષાએ એમ પણ ઉલ્લેખ કરી શકાય કે-અવ્યક્ત મિથ્યાત્વ એ રૌદ્રપરિણામવાળા વ્યક્ત મિથ્યાત્વ કરતાં સારું છે, કેમકે-વ્યક્તમિથ્યાત્વ બુદ્ધિની ઉગ્ર દશામાં જેવો કિલષ્ટ કર્મનો બંધ થાય છે, તેવો અવ્યક્ત મિથ્યાત્વથી થતો નથી. આથી કરીને જે વ્યક્તિ મિથ્યાત્વબુદ્ધિને પ્રથમ ગુણસ્થાનક તરીકે આળખાવવી ઘટે છે, તે વિશિષ્ટ પ્રકારની અર્થાત મિશ્રાદ્રષ્ટિ સ્થિતિવાળી હોવી જોઇએ. આ વાતનું પંડિતપ્રવર યશોવિજય ગણિ કૃત દ્વાચિંશિકાનો શ્લોક અને તેની ટીકા સમર્થન કરે છે. “व्यक्तमिथ्यात्वधीप्राप्ति रप्यन्यत्रेयमुच्यते । घने मले विशेषस्तु, blablઘર્યોનું વ: ? II” टीका - “अन्यत्र-ग्रन्थान्तरे व्यक्तमिथ्यात्वधीप्राप्ति: मिथ्यात्वगुणस्थानकपदप्रवृत्ति निमित्तत्वेन इयं मित्राद्रष्टिरे वोच्यते, व्यक्तत्वेन तत्र अस्या एव ग्रहणत्वात् । घने-तीने मले तु सति, नु इति वितर्के, व्यक्ताव्यक्तधियो: को विशेष: ? दुष्टाया धियो व्यक्ताया अव्यक्तापेक्षया प्रत्युत अतिदुष्टत्वात् न कथंचिद् गुणस्थानत्वनिबन्धनत्वम् ।।" આ પ્રમાણે ગુણસ્થાનકની વ્યાખ્યા વિચારતાં જરૂર એવી શંકા ઉદ્ભવે છે કે-સિદ્ધાન્તોમાં-આગમોમાં પ્રથમ મિથ્યાદ્રષ્ટિ ગુણસ્થાન તો તમારા નીચી હદના જીવોમાં-સૂક્ષ્મ નિગોદ જેવા જંતુઓમાં પણ સ્વીકારવામાં આવ્યું છે તે શું અયોગ્ય છે ? આનું સમાધાન એ છે કે આ હકીકત તો સામાન્ય અપેક્ષાએ છે. અને તે વળી એજ કે-સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુમાં પણ-સૂક્ષ્મ નિગોદના જીવોમાં પણ થોડીક પણ ચૈતન્ય માત્રા છે. આ અપેક્ષાને લક્ષ્યમાં રાખીને એવા જીવોમાં પ્રથમ ગુણસ્થાન સિદ્વાન્તકારોએ સ્વીકાર્યું છે. વિશિષ્ટ અપેક્ષા ઉદ્દેશીને તો જે ઉદ્ગારો અન્યાન્ય આચાર્યોએ કાઢ્યા છે તેની સ્થૂલ રૂપરેખા ઉપર મુજબ છે, જે ખાસ ધ્યાન ખેંચવા યોગ્ય છે. આટલું પ્રાસંગીક જણાવી હવે પ્રસ્તુત હકીકત. ર્મગ્રન્ચારો અને સિદ્ધાન્તારો વચ્ચે સખ્યત્વ પરત્વે મતભેદ : અનાદિ મિથ્યાદ્રષ્ટિ પ્રાણી પ્રથમ ઓપશમિક સમ્યક્ત્વને જ પ્રાપ્ત કરે છે, અથતિ અનાદિકાળથી સંસારમાં ભ્રમણ કરતાં કરતાં જીવ પહેલી વાર જે સમ્યક્ત્વ પ્રાપ્ત કરે, તે તો ઓપથમિક સમ્યક્ત્વ જ હોઇ શકે. તેમજ વળી આ ઓપશમિક સમ્યક્ત્વને પ્રાપ્ત કરી અંતર્મુહૂર્તક પૂર્ણ થયા બાદ ક્ષાયોપથમિક સમ્યક્ત્વદ્રષ્ટિ, મિશ્રદ્રષ્ટિ તથા મિથ્યાદ્રષ્ટિ એ ત્રણ સ્થિતિઓ પૈકી યથાસંભવ કોઇ પણ સ્થિતિ પ્રાપ્ત કરે છે જ, કેમકે-પથમિક સમ્યક્ત્વના સમય દરમિયાન તે ઉપર્યુક્ત ત્રણ વિભાગો જરૂર કરે છે જ. આ વાત તેમજ ઔપશમિક સમ્યકત્વપ્રાપ્તિનો. Page 143 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy