SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ થાય તો તે ‘મિશ્ર દ્રષ્ટિ' બને છે અને જો અશુદ્વ દ્રવ્ય ઉદયમાં આવે તો તે ફરીથી ‘મિથ્યાદ્રષ્ટિ' થાય છે. અત્ર ખાસ ધ્યાન ખેંચે એવી હકીકત તો એ છે કે-ઉપશમ સમ્યક્ત્વની મદદથી આત્મા જે મિથ્યાત્વમોહનીયના ત્રણ વિભાગો બનાવે છે, તેમાંથી ગમે તે એક તો અંતર્મુહૂર્ત કાળ વિત્યા બાદ ઉદયમાં આવે છે જઃ અને તેમ થતાં તે તથાવિધ અર્થાત્ ચોથા, ત્રીજા કે પહેલા ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. પ્રાસંગિક પ્રથમ ગુણસ્થાનક સંબંધી કાંઇક શાસ્ત્રાધારે વિચારણા : ‘સર્વથા નિબંધર્મવાદ્યત્વેન પ્રથમ મુળસ્થાનરિસ્થ તસ્ય' એવો જે ઉલ્લેખ છે, એ ઉપરથી સમજી શકાય છે કે-પ્રથમ ગુણસ્થાનના અધિકારી જિનધર્મથી વિમુખ મિથ્યાદ્રષ્ટિ છે. પરંતુ મિથ્યાદ્રષ્ટિમાં ગુણસ્થાન કેમ માનવામાં આવ્યું છે એવો સહજ પ્રશ્ન ઉદ્ભવે છે. કહેવાની મતલબ એ છે કે-ઉન્નતિ દશામાં જ ગુણસ્થાનનો પ્રયોગ યોગ્ય છે, કેમકે-ગુણસ્થાન શબ્દ જ સૂચવે છે તેમ ગુણોના વિકાસ વિના ગુણસ્થાન ઘટી શકે નહિ. એક અપેક્ષાએ આ વાત સાચો છે. આને લક્ષ્યમાં રાખીને તો ગુણસ્થાનમારોહમાં શ્રી રત્નશેખરસૂરિ મહારાજા કહે છે કે “અહેવાયુર્વધર્મપુ, યાદ્દેવ-ગુરુ-ધર્મઘી: 1 તબ્મિથ્યાત્વ મવેદ્, ત્યò-મવ્ય મોહલક્ષળમ્ ।। अनाद्यव्यक्तमिथ्यात्वं, जीवेडस्त्येव सदा परम् । व्यक्तमिथ्यात्वधीप्राप्ति મુળસ્થાનતયોઘ્યતે ।।” અર્થાત્ :- કુદેવ, કુગુરૂ અને કુધર્મને વિષે સુદેવ, સુગુરૂ અનેસુધર્મની મતિ તે વ્યક્ત મિથ્યાત્વ છે, જ્યારે મોહરૂપ લક્ષણવાળું અવ્યક્ત મિથ્યાત્વ છે. આ અવ્યક્ત મિથ્યાત્વ અનાદિકાળથી જીવમાં છેજ, પરંતુ (તેમાંથી નીકળી) વ્યક્ત મિથ્યાત્વ બુદ્ધિની પ્રાપ્તિ તે પ્રથમ ગુણસ્થાન કહેવાય છે. આનું તાત્પર્ય એ છે કે-અવ્યક્ત મિથ્યાત્વ એ તદ્દન અજ્ઞાનદશા છે, એમ સુપદાર્થને કુપદાર્થ કે કુપદાર્થને સુપદાર્થ એવી વિપરીત સમજણની પણ યોગ્યતાનો અભાવ છે. એ તો ઘોર અંધકાર જેવી અવસ્થા છે. આવી અવસ્થામાંથી બહાર નીકળી વિપરીત સમજણ જેટલી પણ યોગ્યતા પ્રાપ્ત કરવી તે વ્યક્ત મિથ્યાત્વ છે અને આને પ્રથમ ગુણસ્થાનક તરીકે ઓળખવામાં આવે છે.‘ભગવન્ શ્રીમદ્ હરિભદ્રસૂરિજી તો ત્યાં સુધી કહે છે કે-પ્રથમ ગુણસ્થાનની પ્રાપ્તિ મિત્રાદ્રષ્ટિના ગુણોના આધાર ઉપર માનવી જોઇએ. આ વાતની તેમની યોગદ્રષ્ટિ સમુચ્ચય નામની કૃતિનો શ્લોક સાક્ષી પૂરે છે. “પ્રથમં યદ્ મુળસ્થાનં, Page 142 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy