SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રીશ્વરની પત્ની માનતી હતી. રાજા કોપાયમાન થશે તો શું થશે, એની ચિન્તા મંત્રીશ્વરની પત્નીનેય નથી, એ ઓછી વાત છે ? રાજા કોપાયમાન થશે તો કરી કરીને કરશે શું? લઇ લેશે મંત્રિપણું, એ જ ને ? મંત્રિપણું જાય. તો તેમાં નખ્ખોદ ન જાય. ધર્મ જાય તેમાં નખ્ખોદ જાય. આવી સમજ એના હૈયે હશે કે નહિ ? આ હુંક્ની વાત ચાલે છે. મંત્રીશ્વરના હૈયે અને મંત્રીશ્વરની પત્નીના હૈયે શાની હુંફ હતી ? દેવપૂજા વગેરે એકાગ્ર મને શાન્તિથી કરવામાં કોનો હુંફ હતી ? મંબિપણા વગેરેની ? દુન્યવી હદ્ધિ-સિદ્ધિની ? કે, ધર્મની ? હુંફ તો ધર્મની જોઇએ ને ? અને, ધર્મની હુંફ હોય તો જ માણસ જે ધર્મ કરે તે સારી રીતિએ કરી શકે ને ? સ. એટલે શ્રીમંતને બિચારા કહો છો ? - ઘર, પેઢી, એ વગેરે ઠીક-ઠાક છે એની હું જીવનારા શ્રીમંતેય બિચારા જ ગણાય ને ? બાકી તો, ધર્મ જેને હૈયે વસ્યો હોય, તેને તો થાય કે-એ બધું પુણ્યાધીન છે. એ રહે કે જાય, પણ ધર્મ રહેવો જોઇએ. અવસરે એ એવું વિચારે કે-કદાચ ધર્મ કરતાં બધું ચાલ્યું પણ જાય તોય વાંધો શો ? એવો અશુભોદય આવે તો એમેય બને ! અશુભોદય આવે તો ધર્મ છોડવા છતાં પણ ધન વગેરે જાય એવું બને ને ? એટલે, એ તો સમજે કે-ધર્મ છે તો બધું છે. ધર્મને જ એ સાચું વિત્ત માને. ધર્મના પ્રતાપે મંત્રીશ્વરને રાજા પણ સારો મળ્યો છે. બીજો દૂત રાજા પાસે જઇને કહે છે કે-મંત્રીશ્વરનાં પત્નીએ કહ્યું છે કે-મંત્રીશ્વરને દેવપૂજામાં હજુ બે ઘડી જેટલો સમય લાગશે. આ સાંભળીને પણ રાજા કોપાયમાન થતો નથી. એક તરફ રાજાને એમ થાય છે કે-મંત્રીશ્વર દેવપૂજામાં કેવા લીન રહેતા હશે ? અને, બીજી તરફ રાજાને મુહર્ત સાચવવાની ભારે ઉત્સુક્તા છે. આથી રાજા જાતે જ મંત્રણા કરવા મંત્રીશ્વરના ઘરે જવાને તૈયાર થઇ જાય છે. આવે છે એ મત્રીશ્વરના ઘરે. સાથેના પરિવારને બહાર રાખીને, રાજા એકલા જ ઘરમાં જાય છે. રાજાને ખુદને આવેલા જોઇને પણ મંત્રીશ્વરની પત્નીને જરાય ગભરામણ થતી નથી. ત્યાં તો રાજા પોતે જ બધાને કહી દે છે કે- “હું આવ્યો છું એની જાણ કોઇએ પણ મંત્રીશ્વરને કરવી નહિ !' પણ રાજાના મનમાં એમ તા થઇ જ ગયું છે કે-મંત્રીશ્વરને પૂજા કરતા જોવા છે ! આથી, તે, એક જાણીતા માણસે બતાવેલા માર્ગે, શ્રી પેથડશા મંત્રીશ્વર જ્યાં ભગવાનની પૂજામાં લીન બન્યા હતા, ત્યાં જાય છે. મંત્રીશ્વરની પૂજામાં એકાગ્રતા જોઇને રાજાય આનન્દ પામે છે. લાગે ને કે-રાજાય ધર્મવૃત્તિવાળો છે ? ધર્મની વાત આવે એટલે સારો રાજા પણ પ્રસન્ન થાય, એ આ દેશ છે ને ? મંત્રીશ્વરની પાછળ બેઠેલો માણસ મંત્રીશ્વરને ક્રમસર ક્રમસર પુષ્પ આપતો જાય છે અને મંત્રીશ્વર ભગવાનની અંગરચના કરતા જાય છે. રાજાને મન થઇ જાય છે કે-હું પણ આ પૂજામાં મંત્રીશ્વરને સહાયક બનું! આથી રાજા ઇશારો કરીને મંત્રીશ્વરને પદ્મ આપનારા માણસને ખસેડીને, પોતે એની જગ્યાએ બેસી જાય છે અને એક પછી એક પુષ્પ આપવા માંડે છે. જે માટે રાજા અહીં સુધી આવ્યો હતો, એ વાત તો મંત્રીશ્વરને પૂજામાં લીન જોઇને ભૂલાઇ ગઇ ને ? - રાજા મંત્રીશ્વરને પુષ્ય આપ્યું જાય છે, પણ કયા ક્રમે કયું પુષ્પ આપવું જોઇએ, એની રાજાને થોડી જ ગમ છે ? એટલે રાજાથી ભૂલ થઇ જાય છે. જે પુષ્પ આપવું જોઇએ તે પુષ્પ અપાતું નથી અને એને બદલે અન્ય પુષ્પ અપાઇ જાય છે. એક વાર આવું બન્યું તોય મંત્રીશ્વરે ગણકાર્યું નહિ. બીજી Page 117 of 197
SR No.009174
Book TitleChoud Gunsthanak Part 02 Gunasthank 02 to 04
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages197
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy