SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ કરનાર પણ યથાવિધિ ક્રિયા કરનાર તો નથી જ. એવા જીવો ભગવાન શ્રી જિનેશ્વરદેવોને ભગવાન શ્રી જિનેશ્વરદેવી તરીકે સ્વીકારે છે તથા એ તારકે પ્રત્યે તેઓના હૈયામાં ભક્તિભાવ છે, એટલે એ ભકિતભાવથી એ જીવોની પૌગલિક અપેક્ષા નાશ પામી શકે છે અને એથી જ તે ક્રિયાઓ ભાવધર્મનું કારણ બની શકે છે, એવી પણ ક્રિયાઓ ભાવધર્મનું કારણ બને છે, તેમાં સદુભકિત એ જ કારણ છે. બાકી મુગ્ધ જીવોને લાભ જ થાય એવો નિયમ નહિ અને ગતાનુગતિકપણે ધર્મક્રિયાઓને કરનારાઓમાં તો કોઇ કોઇને જ લાભ થઇ જાય છે. હવે ધર્મક્રિયાઓને કરનારાઓમાંના ચોથા વિભાગના આત્માઓ તો વિધિબહમાનથી રહિત જ હોય છે. વિધિબહુમાનથી રહિત હોવા છતાં પણ, તેઓ પોતાની પૌગલિક લાલસાને સફલ કરવાને માટે ધર્મક્રિયાઓના બાહા ફ્લેવરને સારી રીતિએ જાળવનારા હોય એ શક્ય છે. આ બધું છતાં, ત્રીજા વિભાગના અને ચોથા વિભાગના આત્માઓ જે ધર્મક્રિયાઓને આચરતા હોય છે, તે ધર્મક્રિયાઓ અન્ય આત્માઓને માટે બહુમાનનું કારણ નથી જ બનતી-એવું એકાન્ત કહી શકાય નહિ; પણ એ રીતિએ શુદ્ધ ધર્મ રૂપ કલ્પવૃક્ષના બીજની પ્રાપ્તિ જે આત્માઓને થાય, તેઓ જો એ ત્રીજા અને ચોથા વિભાગના આત્માઓના પરિચયમાં આવે, તો પછી તેનું બીજનાાદિ પરિણામ આવવાનો સંભવ પણ ખરો. એવો ભય પહેલા બે વિભાગના આત્માઓ માટે નહિ. આપણી ધર્મક્રિયાઓ કયી કક્ષામાં ? આપણે પણ ધર્મક્રિયાઓ તો કરીએ જ છીએ ને ? આપણે ધર્મક્રિયાઓ કરીએ તો છીએ, પણ તે કયા હેતુથી કરીએ છીએ? આપણે મોક્ષપ્રાપક ધર્મના અર્થી છીએ એ માટે ધર્મક્રિયાઓ કરીએ છીએ કે ધર્મસિદ્ધ છીએ એ માટે ધર્મક્રિયાઓ કરીએ છીએ? જો ધર્મસિદ્ધ પણ નથી અને મોક્ષપ્રાપક ધર્મના અર્થી પણ નથી, તો આપણી ગણના કયા વિભાગમાં થાય તેમ છે ? ભગવાન શ્રી જિનેશ્વરદેવો પ્રત્યે ભકિતભાવ જાગ્યો હોય અને એથી એમ થયું હોય કે ભગવાન શ્રી ક્લેિશ્વરદેવોએ ફરમાવેલી આ ધર્મક્રિયાઓ છે, માટે કલ્યાણના હેતુથી આ જ કરવા લાયક છે, તો તો જ્યારે ખબર પડે કે- “ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ મોક્ષના આશયથી જ આ ધર્મક્રિયાઓને આચરવાની કહી છે અને સંસારના ઇહલૌકિક અગર પારલૌકિક સુખના આશયથી આ ધર્મક્રિયાઓને આચરવાનો નિષેધ કર્યો છે, ત્યારે પોતાનો ધર્મક્રિયાઓને આચરવા પાછળ જે પૌગલિક આશય હોય, તે ખટક્યા વિના રહે ખરો? એ પાપાશયને તજી દેવાનું મન થયા વગર રહે ખરૂં? ભગવાન શ્રી જિનેશ્વરદેવોના પ્રત્યે ભકિતભાવ હોવાના કારણે જ જો એ તારકોએ ફરમાવેલી ધર્મક્રિયાઓ ઉપર રૂચિ થઇ હોય, તો એ તારકો જે આશયનો નિષેધ કરતા હોય, તે આશયના નિષેધની પણ એ તારકોની જ આજ્ઞા છે, એવું જાણ્યા પછી એ આશયને તજવાનું મન થાય નહિ, એ બને જ નહિ. પૌગલિક આશયના નિષેધની આજ્ઞા જાણ્યા પછી, એ આશયને જો તજવાનું મન થાય નહિ અને એ જ આશયનો આગ્રહ રહે, તો તો સમજવું જોઇએ કે-મૂળ ભકિતની વાતમાં જ ખામી છે; ભગવાન શ્રી જિનેશ્વરદેવો પ્રત્યેની સદભકિતથી જ એ તારકોએ ફરમાવેલી ક્રિયાઓ રૂચી નથી, પણ પૌગલિક આશયથી જ એ ક્રિયાઓ રૂચી છે. સભકિતવાળા આત્માઓમાં પૌગલિક આશય હોય તો પણ, તેના ધર્માચરણમાં પૌગલિક આશય પ્રધાન હોતો નથી, પણ સભકિત જ પ્રધાન હોય છે અને એ સભકિતમાં પૌગલિક આશયને નિવારવાની તાકાત હોવાના કારણે જ, પૌગલિક આશયવાળા પણ એવા આત્માઓની ધર્મક્રિયાઓ ભાવધર્મને પમાડનારી બની શકે છે. આપણી ધર્મક્રિયાઓ આ કક્ષામાં જાય એવી પણ છે ખરી? આપણી ધર્મક્રિયાઓ જો આ કક્ષામાં જાય તેવી પણ હોય, તો મોક્ષના આશય આદિની આટલી બધી વિચારણા પછી તો, આપણો પૌગલિક આશય કાં તો નષ્ટ થઈ ગયો Page 98 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy