________________
સર્વ પ્રકારે વિધિ મુજબ જ કરવાનો તેમનો પ્રયત્ન ચાલુ હોય છે. આવા મહાત્માઓની ધર્મક્તિાઓને જોઇને કોના હૈયામાં બહુમાન પ્રગટે નહિ ? કોને એની પ્રશંસા કરવાનું મન થાય નહિ ? અને કોને એમ ન થાય કે- “હું પણ આવી ધર્મક્રિયાઓને કરું !' જેનામાં સ્વાભાવની, સમજની, લઘુકમિતાની અથવા તો એવી જ કોઇ બીજી ખામી હોય, તેને જ આવા ધર્મસિદ્ધ આત્માઓની ધર્મક્રિયાઓને જોઇને બહુમાન આદિ થાય નહિ. કેટલાક ધર્મસિદ્ધ આત્માઓ એવા પણ હોય છે, કે જેઓએ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાની અખંડ આરાધના દ્વારા એવી યોગ્યતા પ્રાપ્ત કરી હોય છે કે-પછી એ તારની આજ્ઞાના આલંબન વિના પણ એ તારકની આજ્ઞાના આલંબનથી જેવું સારું વર્તન કરવું જોઇએ, તેવું જ સારું વર્તન કરનારા હોય. વળી કેટલાક ધર્મસિદ્ધ આત્માઓ શ્રી વીતરાગ અને સર્વજ્ઞ બનેલા પણ હોય છે. આવા સઘળાય ધર્મસિદ્ધ આત્માઓની ધર્મક્રિયાઓ, અન્ય લાયક આત્માઓને માટે શુદ્ધ ધર્મ રૂપી કલ્પવૃક્ષના બીને પમાડનારી નિવડે જ, એ વાતને સમજાવવાને માટે હવે યુકિત આપવાની જરૂર હોય નહિ. સાચા ધર્માથિઓની ધર્મક્રિયાઓ :
જે આત્માઓ હજુ સમ્યગ્દર્શન ગુણને પામ્યા નથી, પણ સમ્યગ્દર્શનાદિ ધર્મને પામવાના અર્થી છે અને એથી જ જેઓ ધર્મક્રિયાઓને આચરે છે, એવા આત્માઓની ધર્મક્રિયાઓ પણ પ્રાય: અન્ય યોગ્ય આત્માઓના અન્તરમા બહુમાન આદિને પ્રગટાવનાર નિવડે તેવી હોય છે. કારણ કે-અર્થી માણસનો એ સ્વભાવ હોય છે કે-પોતાનો અર્થ સરે એવા ઉપાયો પણ, પોતાનો અર્થ સરે એવા પ્રકારે આચરવાનો પ્રયત્ન કરવો. આવા આત્માઓ પણ વિધિબહુમાનવાળા બનીને વિધિ મુજબ કરવાના તથા અવિધિને ટાળવાના પ્રયત્નવાળા હોય છે. એવા આત્માઓને મિથ્યાત્વનો ઉદય હોય છે, પણ તે મન્દ કોટિનો હોય છે. મિથ્યાત્વનો ઉદય મન્ચ કોટિનો હોય, પણ તેય કોઇ કોઇ વાર કાંઇ કાંઇ અસર તો નિપજાવે ને ? તેમ છતાં પણ, જે આત્માઓને મિથ્યાત્વનો ઉદય મન્દ શ્રેટિનો હોય છે, એ દશામાં જેઓ શુદ્ધ ધર્મને પામવાના અભિલાષવાળા હોય છે અને એ માટે જ જેઓ ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલી ધર્મક્રિયાઓને આચરનારા બન્યા હોય છે, એવા આત્માઓની ધર્મક્રિયાઓ બાહા રીતિએ બહ દોષવાળી હોવાનો સંભવ ઘણો ઓછો છે; તેમજ તેના આત્માઓમાં આન્તર શુદ્ધિનો સર્વથા અભાવ હોય છે એમ પણ કહી શકાય નહિ. ચરમાવર્તમાં આવેલા આત્માઓ જ શુદ્ધ ધર્મના આવા અર્થે હોઇ શકે છે. તેમના હૈયામાં મોક્ષાભિલાષ જરૂર પ્રગટ્યો હોય છે અને એથી શુદ્ધ ધર્મના અર્થિપણાના યોગે એ આત્માઓ જે ધર્મક્રિયાઓને આચરે, તે ધર્મક્રિયાઓ પણ અન્ય યોગ્ય આત્માઓને માટે શુદ્ધ ધર્મરૂપ કલ્પવૃક્ષના બીની પ્રાપક નિવડે તે સ્વાભાવિક જ છે : કરણકે-આવા આત્માઓમાં પણ વિધિબહુમાન હોય છે. ત્રીજા અને ચોથા વિભાગના આત્માઓની ધર્મક્રિયાઓ :
આ બન્ને પ્રકારના આત્માઓની ધર્મક્રિયાઓમાં એટલે ધર્મસિદ્ધ આત્માઓની તથા મોક્ષપ્રાપક ધર્મના અર્થી આત્માઓની ધર્મક્રિયાઓમાં, અન્ય આત્માઓને માટે શુદ્ધ ધર્મ રૂપ કલ્પવૃક્ષના બીજની પ્રાપક બનવાની જે યોગ્યતા હોય છે, તે યોગ્યતા ધર્મક્રિયાઓને આચરનારા બાકીનાઓની ધર્મક્રિયાઓમાં નથી હોતી. આ બે પ્રકારના ધર્મક્રિયાઓને આચરનારા પુણ્યાત્માઓની ધર્મક્રિયાઓ નિયમા સ્વને અને પરને ઉપકારક નિવડે છે. આ સિવાયના આત્માઓની ધર્મક્રિયાઓને માટે એવું નિશ્ચિતપણે કહી શકાય નહિ. ગતાનુગતિકપણે અથવા તો મુગ્ધદશામાં ધર્મક્રિયાઓને કરનારાઓની ધર્મક્રિયાઓ આકર્ષે તેવી ન હોય, તો તેમાં નવાઈ પામવા જવું નથી તેમજ ભગવાન શ્રી ક્લેિશ્વરદેવોએ આ ધર્મક્રિયાઓ વિહિત કરેલી છે-એવી સદભકિતથી પણ પૌગલિક ફલની અપેક્ષાથી ધર્મક્રિયાઓ
Page 97 of 234