SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયાઓના ઉત્કટ પણ આચરણ રૂપ નામ માત્રની આરાધના કરે છે, તે આરધનાથી તેમને નવ રૈવેયક પર્યન્તનાં સુખોની પ્રાપ્તિ થઈ શકે છે, પણ એ સુખોના કાળમાંય એ જીવો અન્તરથી તો દુઃખી જ હોય છે અને પરિણામે તે જીવોની ઘણી જ દયાજનક હાલત થાય છે. એ સુખના કાળમાં પણ એ જીવો એવા પ્રકારનાં દુષ્કર્મોને ઉપાર્જ છે, કે જે દુષ્કર્મો એમના નરકાદિપાતનું કારણ બને છે. આથી શુદ્ધ ધર્મ રૂપ કલ્પવૃક્ષના પરમ ફલને લક્ષ્યમાં રાખીને જ શુદ્વ ધર્મ રૂપ કલ્પવૃક્ષની આરાધના કરનારા બનવું જોઇએ. એમાં કોઇ નિમિત્ત વશ પણ પરમ ફલનો વિરોધી ભાવ આવી જાય નહિ, તેની કાળજી રાખવી જોઇએ. જો પરમ ફલનો વિરોધી ભાવ આવ્યો અને તેનો જ આગ્રહ થઇ ગયો, તો કર્ય-કારવ્યું ધૂળમાં મળી જતાં વાર નહિ લાગે. બીજાદિનો ક્રમ : ઇષ્ટ ફલને આપવામાં કલ્પવૃક્ષ સમાન શુદ્ધ ધર્મ, શાસ્ત્રકાર પરમર્ષિ ફરમાવે છે કે-ચરમાવર્ત કાલમાં જ ભવ્ય જીવોને બીજ આદિના ક્રમે કરીને પ્રાપ્ત થાય છે. તમને પણ આવો શુદ્ધ ધર્મ પ્રાપ્ત થાય, એવીતો તમારી ઇચ્છા ખરી ને ? શુદ્ધ ધર્મના અર્થીિઓએ શુદ્ધ ધર્મની પ્રાપ્તિના આ ક્રમને સારી રીતિએ સમજી લેવો જોઇએ, કે જેથી શુદ્ધ ધર્મની પ્રાપ્તિ માટે પોતે કેવો પ્રયત્ન કરવો જોઇએ, તેની સમજણ પડે. વૃક્ષનો આરંભ બીજમાંથી થાય છે. બીજમાંથી અંકુરા પ્રગટે છે, અંકુરામાંથી થડ તથા શાળાં પેદા થાય છે અને તેમાંથી પાંદડાઓ પેદા થાય છે. પછી એ વૃક્ષને પુષ્પો થાય છે અને ત્યાર બાદ ફલો થાય છે. શુદ્વ ધર્મ રૂપ કલ્પવૃક્ષનો પણ એવો જ ક્રમ અહીં દર્શાવવામાં આવ્યો છે. શુદ્ધ ધર્મ રૂપ કલ્પવૃક્ષનું બીજ, તેના અંકુર, તેનું થડ વિગેરે, તેનાં પાંદડાં, તનાં પુષ્પો અને તેનું ફલ-કોને કહેવાય, એ તાત આ વિંશિકામાં પરમ ઉપકારી શાસ્ત્રકાર પરમષિએ ટૂંકમાં પણ સુંદર રીતિએ સમજાવી છે. ધર્મવૃક્ષનું બીજ : ધર્મ રૂપ કલ્પવૃક્ષના બીની પિછાન કરાવતાં, શાસ્ત્રકાર-પરમર્ષિ ફરમાવે છે કે-ધર્મને આચરનારા પુણ્યવાનોને જોઇને, તેમના પ્રત્યે જ બહુમાન એટલે હૃદયનો આદરભાવ જન્મ, એ બહુમાનના યોગે તેમની શુદ્ધ એવી પ્રશંસા કરાય અને તેની સાથે તે ધર્મનું આચરવાની આત્મામાં જે ઇચ્છા પ્રગટે, તે શુદ્ધ ધર્મ રૂપ કલ્પવૃક્ષનું બીજ છે. ધર્મક્રિયાઓથી શું થાય છે ? અનન્ત ઉપકારી ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલી ધર્મક્રિયાઓ, જો એ તારકોએ ફરમાવેલા વિધિથી શુદ્ધ આશયપૂર્વક કરવામાં આવે, તો એ ધર્મક્રિયાઓથી અશુભ આશ્રવનો રોધ થાય છે, અશુભ કર્મોની નિર્જરા થાય છે અને બંધ થાય છે તો પણ એવા પ્રકારનો શુભ બંધ થાય છે કે ભવિષ્યમાં વિશુદ્ધ વિશુદ્ધ ધર્મને પામવાની તથા આરાધવાની જે જે સામગ્રીઓની જરૂર હોય છે, તે સર્વને જીવ એ શુભ બંધના ઉદય યોગે મેળવી શકે છે. એ શુભ બંધ આત્માને સંસારમાં ભટકાવનાર બનતો નથી, પણ સંસારમાં ભટકતા આત્મામાં સંસારમાં ભટકાવનારાં કર્મોની નિરાને સાધવાની વૃત્તિ પ્રગટે એવી સામગ્રીનો યોગ આત્માને કરાવી દે છે. જે ધર્મક્રિયાઓથી બંધ થાય તો પણ આવા પ્રકારનો થાય અને જે ધર્મક્રિયાઓથી અશુભ આશ્રવનો રોધ થવા સાથે અશુભ કર્મોની નિર્જરા થાય, એ ધર્મક્રિયાઓ પ્રત્યે તો કલ્યાણના કામી આત્માએ સદાને માટે સદ્દભાવવાળા બન્યા રહેવું જોઇએ. જો કોઇ પણ પ્રકારે ધર્મક્રિયાઓ પ્રત્યે દ્વેષ થઇ ગયો, તો એ દ્વેષ આત્માને કેટલા બધા કાળ પર્યન્ત સંસારમાં રઝળાવશે, તે કહી શકાય નહિ. કદાચ ખરાબમાં ખરાબ પ્રકારનું પુણ્ય પણ આત્માને એટલા બધા કાળ Page 91 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy