SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ જો અભિગ્રહિક મિથ્યાત્વથી પીડાતા ન હોય, તો તેઓને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ ઘણી જ સહેલાઇથી થઇ શકે છે. એ રીતિએ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થયા પછી તો તેઓ શુદ્ધ ધર્મની આરાધના પણ ઘણી જ સુંદર પ્રકારે કરી શકે છે. એ રાજાને જો શુદ્ધ માર્ગ મળ્યો હોત, તો સર્વ સંગના ત્યાગવાની અને સર્વ પાપવ્યાપારોથી રહિત હોવાથી એકાન્ત નિરવદ્ય એવી શ્રી જૈન દીક્ષાનો જ સ્વીકાર કરત ને? તેમ થયું હોત તો રાણી સાથે હોત નહિ અને એથી પણ આ અતિ બાલ પુત્રને ઉછેરવાની અતિ મોટી અને ઘણા મોહની કારણભૂત જવાબદારી માથે આવી પડત નહિ. રાજાએ જાત જાતની મુશ્કેલીઓને વેઠીને પણ વલ્કલચીરીને મોટો ર્યો. ક્રમે કરીને વલ્કલચીરી યુવાવસ્થાને પામ્યો. હવે તે પોતાના પિતાની ચાકરી કર્યા કરે છે. આપણે જોયું છે એ કે, જુવાની આવવા છતાં પણ તથાવિધ સામગ્રીનો જો અભાવ હોય, તો ભોગરાગ જન્મે નહિ. માત્ર એ અવસ્થા એવી છે કે-સામગ્રી આદિ મળી જાય તો ભોગરાગ ઝટ જન્મી શકે. જુવાની એટલે ભોગારાગને જન્મવાને માટેનો અનુકૂલ કાલ ! એ જ રીતિએ, શરમાવર્તકાલ એ સાચા ધર્મરાગને જન્મવાને માટેનો અનુકૂળ કાળ ખરો, પણ એ કાળમાં ય ભવ્ય જીવને જ્યાં સુધી તથાવિધ સામગ્રી આદિ મળે નહિ, ત્યાં સુધી ધર્મરાગ ન પણ જન્મે. વલ્કલચીરી યુવાવસ્થાને પામ્યો, પણ એનામાં ભોગરાગ ભ્યો નહોતો. ભોગનું પ્રધાન સાધન સ્ત્રી અને સ્ત્રી રૂપે પણ જીવો હોઇ શકે છે, એ વાતની જ વલચીરીને ખબર નહોતી : કારણ કે-જે વનમાં એ વસતો હતો, એ વન સ્ત્રીરહિત હતું. વલ્કલચીરી તો એમ જ માનતો હતો કે, આ સંસારમાં માણસો તરીકે જે જીવો છે, તે બધા મુનિઓ જ છે : કારણકે એને માત્ર તપસ્વી સંન્યાસિઓનો જ યોગ થયો હતો. આ વાત તમે આગળના પ્રસંગથી સારી રીતિએ જાણી શકશો. અહીં આપણે વચ્ચે પ્રસનચંદ્રને યાદ કરવા પડશે, કે જેમને નાની ઉંમરમાં જ રાજ્યગાદી ઉપર સ્થાપીને રાજા સોમચંદ્ર રાણી ધારિણી સાથે જંગલમાં આવીને તાપસ તરીકેનું જીવન ગુજારવા માંડ્યું હતું. રાજા પ્રસન્નચંદ્ર મોટી ઉંમરના થયા બાદ, તેમના જાણવામાં આવ્યું કે-વનમાં મારી માતાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. આથી તેમને પોતાના સહોદરને જોવાની અને મળવાની તીવ્ર ઉત્કંઠા થઇ. પોતાની એ ઉત્કંઠાને સફળ કરવાને માટે રાજા પ્રસન્નચંદ્ર ચિતારાને બોલાવીને, તેમને જંગલમાં જઇને નાના ભાઇનું રૂપ આલેખી લાવવાની આજ્ઞા ફરમાવી. રાજાની આજ્ઞા મુજબ ચિતારાઓએ વનમાં આવીને વલચીરીનું આબેહુબ ચિત્ર ચિતર્યું અને પોતનપુરમાં પાછા જઇને તે ચિત્ર રાજા પ્રસનચંદ્રને સુપ્રત કર્યું. એ ચિત્રને જોતાં રાજા પ્રસન્નચંદ્રનો ભાતૃસ્નેહ ઉછાળા મારવા લાગ્યો. ભાઇ તો જંગલમાં છે, પણ અહીં ભાઇના ચિત્રને રાજા પ્રસન્નચંદ્ર આલિગન કર્યું, તેને મસ્તકે વારંવાર ચુંબન કર્યું અને ખોળામાં પણ પોતાના નાના ભાઇને જ બેસાડતા હોય તેમ તે ચિત્રને મૂક્યું. ખેહરાગનો ઉછાળો, શાણા માણસને પણ આવી મોહમય ચેષ્ટાઓ કરવાને પ્રેરે, એમાં નવાઈ નથી. રાજા પ્રસન્નચંદ્રને હવે નાના ભાઇને કોઇ પણ ભોગે નગરમાં લાવીને, તેને પિતાના રાજ્યનો ભાગ આપવાનું મન થયું. “હું અહીં રાજ્યસુખ ભોગવું અને મારો નાનો ભાઇ અરણ્યવૃત્તિથી જીવે એ બને નહિ - એવો રાજાને વિચાર આવ્યો. રાજાને થયું કે- “વૃદ્ધ પિતા વતનું આચરણ કરે તે તો યુકત છે, પણ આ મારો નાનો ભાઈ વનમાં વસે તે યોગ્ય નથી.” પણ રાજા પ્રસન્નચંદ્ર જાણતા હતા-કે પિતાની પાસેથી પોતાના નાના ભાઇને સહેલાઇથી નગરમાં લાવી શકાય તેમ નથી. આથી તેમણે લાંબો વિચાર કરીને નગરમાંથી કુશળ વેશ્યાઓને બોલાવી. Page 75 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy