SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ તે સફળ થયા વિના રહેજ નહીં. મહાપુરૂષોનો પ્રભાવ અવર્ણનીય છે. તેમના પ્રભાવથી જરૂર ફળપ્રાપ્તિ થાય જ છે. આ પ્રકારનાં ઉત્તમ પરિણામવાળી ક્રિયા હમેશાંનિશ્ચલ ધ્યાનથી અનન્ય દ્રષ્ટિથી કરવી આપણને ઉચિત છે. ઇષ્ટફળની પ્રાપ્તિ કરવામાં સબળ સહાયકારી વિશેષ યાચના ત્રીજી ગાથામાં કરવામાં આવે છે. તે ગાથામાં આપણે એવી પ્રાર્થના કરીએ છીએ કે “હે વીતરાગ ! તમારા સિદ્ધાન્તમાં યદ્યપિ નિયાણું નું નિવારણ કરેલું છે તથાપિ જન્મોજન્મને વિષે મને તમારા ચરણોની સેવા મળો.' તીર્થકર ભગવાનના ચરણની સેવા અત્યંત દુર્લભ છે. તરવારની ધાર ઉપર ચાલવું તેના પ્રમાણમાં સુલભ ગણેલું છે. શ્રી આનંદધનજી મહારાજ ચૌદમા શ્રી અનંતનાથ ભગવાનની સ્તવના કરતાં કહે છે કે ધાર તરવારની સોહલી, દોહલી ચૌદમા જિનતણી ચરણસેવા | ધારપર નાચતા દેખ બાજીગરા, સેવનાં ધારપર રહે ન દેવા II દેવતા સરખા પણ તીર્થકર ભગવાનના ચરણની સેવાની ધારપર રહી શકતા નથી, જ્યારે તરવારની ધારપર ચાલતા અનેક બાજીગરો નરે પડે છે. આવી દુર્લભ સેવા જ્યાંસુધી આપણા ભવનો અંત આવ્યો નથી ત્યાંસુધી આપણને સદાકાળ મળતી રહે એવી ઇચ્છા રાખવાથી અને પ્રભુ પાસે તેવી યાચના કરવાથી તે મેળવવા આપણે ભાગ્યશાળી થઇશું, અર્થાત આપણું વર્તન તીર્થંકરભગવાને પ્રરૂપેલા માર્ગને અનુસરતું થશે અને પ્રાન્ત ઇષ્ટફળની પ્રાપ્તિ થઇ ભવવિચ્છેદ પણ થશે. | ઇતર દર્શનમાં અને જૈનદર્શનમાં શું તફાવત છે તથા દેવ, ગુરૂ, ધર્મ ઉપાસ્યરૂપે કોણ હોઇ શકે એ જણાવતાં લેખો: માનવમાત્રને કાંઇ ને કાંઇ ઉપાસ્ય હોય છે, કેમકે ઉદ્દેશ આગળ રાખીને જ પ્રવૃત્તિ આદરવાનો સ્વભાવ પ્રાય:માનવજાતિનો છે. માનવોમાં મુખ્યતયા નાસ્તિક ને આસ્તિક આ બે પ્રકાર છે. આ પ્રકાર મુજબ તેઓની પ્રવૃત્તિમાં પણ ફેર પડી જાય છે. વળી નાસ્તિકોમાં સ્વાર્થી અને સેવાર્થી તેમજ આસ્તિકોમાં પણ સ્વાર્થી, પરોપકારાર્થી, પરલોક સુખાર્થી અનો મોક્ષાર્થી આવા ભેદ કલ્પી શકાય છે. નાસ્તિકો પરલોકાદિ માનતા નથી, એટલે તેઓની બધી પ્રવૃત્તિઓ ઐહિક હિતને આગળ ધરીને થયા કરે છે. એ ઐહિક હિતની દ્રષ્ટિ માત્ર એકલા પુરતી જેની હોય તે નાસ્તિકને સ્વાર્થી કહેવાય અને જેની ઐહિક હિતની દ્રષ્ટિ કુટુંબીજન, ઇષ્ટમિત્ર, જ્ઞાતિ, કુલ, સમાજ, દેશ, માનવજાતિ, અને સમસ્ત પ્રાણીમાત્ર સંબંધી હોય, તેને સેવાર્થી નાસ્તિક કહેવાય. જે આસ્તિક મહાશય દેવ, ગુરુ ધર્મનો પણ ઉપયોગ પોતાના ઐહિક સ્વાર્થ માટે કરે છે. તે સ્વાર્થી કહેવાય, બીજા માટે કરે તે પરોપકારાર્થી ગણાય, પરલોકમાં આપણને પૌત્રલિક સુખ મળે એવા હેતુથી જે આસ્તિક-શિરોમણી () દેવ, ગુરૂ, ધર્મનો ઉપયોગ કરે તે પરલોક સુખાર્થી ગણાય અને જે માત્ર મોક્ષની દ્રષ્ટિથી જ દેવ, ગુરૂ, ધર્મની ઉપાસના કરે તે મોક્ષાર્થી હેવાય. એમ ઉદિષ્ટમાં ચાહે જેટલાં ભેદ હોય તો પણ માનવમાત્રને કાંઇ ને કાંઇ ઉપાસ્ય હોય છે એ વાત સ્પષ્ટ છે, કારણ કે- “પ્રયોજનમદિશ્ય ન મન્ટોડપિ પ્રવર્તતે ” એટલે કાંઇક પ્રયોજન વગર નિબુધ્ધ પણ પ્રવૃત્તિ કરતો નથી. હવે અહીં જોવાનું એ છે કે-પ્રવૃત્તિ સારી કઇ અને ખોટી કઇ. સારી દુનિયા માને છે કે-સ્વાર્થી પ્રવૃત્તિ ખોટી, તો પણ આતિની સ્વાર્થી પ્રવૃત્તિ કેટલાક અંશે સારી ગણાય છે. પણ થોડા સુક્ષ્મ વિચારથી એમ જણાઇ આવશે કે- દેવ, ગુરૂ, ધર્મની ઉપાસના મોક્ષ કે પરલોક સુધારવા માટે હોવાથી Page 50 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy