________________
આપણે પ્રાપ્ત કર્યું હોય તો જે જે કર્મપ્રકૃતિઓનો એ ગુણસ્થાને શાસ્ત્રમાં ઉદયવિચ્છેદ ણાવેલો છે તે કર્મપ્રકૃતિઓ આપણને ઉદયમાં હોવી જોઇએ નહીં. એ ગુણસ્થાને ઉદયવિચ્છેદ પામતી અન્ય કર્મપ્રકૃતિઓમાં દૌર્ભાગ્યનામર્મ, અનાદેયનામર્મ અને અપયશનામક્મનો ઉદયવિચ્છેદ પ્રરૂપેલો છે. કર્મગ્રંથમાં કહ્યું છે કે
मणुतिरिणुपुवि विउवठ्ठ, दुहग अणाइज्जदुग सतर छेत्र्यो । सगसीइ देसि तिरिगड़, आउनि उज्जोअ ति कसाया
(ર્મગ્રંથ-૭-૧૬)
દૌર્ભાગ્યનામ કર્મ-જે કર્મને ઉદયે જીવ અવગુણ ર્યા વિના તથા વૈરાદિક સંબંધ વિના પણ પરને અનિષ્ટ લાગે તે. અનાદેય નામર્મ-જે કર્મને ઉદયે જીવનું વચન ભલું હોય તોપણ કોઇ આદર કરી માને નહીં તે. અપયશનામકર્મ-જે કર્મને ઉદયે જીવનો અપયશ-નિર્દા સર્વત્ર પ્રસરે તે. આ કર્મપ્રકૃતિઓનો ઉદય આપણામાં કેટલે અંશે છે તે સૂક્ષ્મબુદ્ધિથી વિચાર કરતાં આપણ સમજી શકીએ છીએ; એ કર્મપ્રકૃતિઓનો જ્યારે સર્વથી ઉદયભાવે નાશ થાય ત્યારે પાંચમા ગુણસ્થાનની હદ આપણે પામ્યા એમ માની શકાય. ઉપર ણાવેલા માર્ગાનુસારીના પાંત્રીશ ગુણો સંપ્રાપ્ત કરવાથી એ દશા સંપાદન કરવા આપણે સહેજે ભાગ્યશાળી થઇએ એમાં કોઇ પ્રકારની શંકાનું સ્થાન ણાત નથી. તેટલા માટે આપણી ચૈત્યવંદન જેવી નિત્યની ક્રિયામાં માર્ગાનુસારીપણું પ્રાપ્ત કરવાની પ્રાર્થનાનું સંયોજન કરવામાં આવેલું છે. જેથી તે તરફ હંમેશા આપણી દ્રષ્ટિ અવિચ્છિન્નપણે કાયમ રહે અને તે મેળવવા માટે આપણે ઉદ્યમવંતા થઇએ અને તે ઉદ્યમમાં ગદ્ગુરૂ શ્રી વીતરાગ દેવના અપૂર્વ પ્રભાવથી આપણે ફતેહમંદ થઇએ.
આ પ્રકારની ઘણી અગત્યની બીજી પ્રાર્થના કરીને આપણે એજ પ્રથમ ગાથામાં વિશેષ વિશુદ્ધિ સંપ્રાપ્ત કરવા ત્રીજી પ્રાર્થના કરીએ છીએ ને તેમાં ઇષ્ટ ફળની સિદ્ધિ થાઓ એવું યાચીએ છીએ. પ્રથમની બે યાચના કરનાર એટલે ભવનિર્વેદિદતા અને માર્ગાનુસારીપણાની માંગણી કરનાર નું ઇષ્ટ ફળ શું હોયતે ઉઘાડીજ વાત છે. પોતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય અને સર્વ પ્રકારનાં કર્મનો સંપૂર્ણ ક્ષય થાય એના કરતાં બીજી કોઇપણ વસ્તુ ઇષ્ટ હોઇ શકે જ નહીં. તેવા ઇષ્ટ ફળની સિદ્ધિનેે માટે પરમાત્માની નિરન્તર પ્રાર્થના કરવી અને તેને માટે સતત ઉદ્યમ કરવો એ દરેક ભવભીરૂને જરૂરનું છે. અખંડ નિરાબાધ સુખ તેથીજ પ્રાપ્ત કરી શકાય તેમ છે. માટે એ યાચના દરરોજ કરવાની જે રૂઢી ચૈત્યવંદનક્રિયામાં રાખવામાં આવેલી છે તે ઉપર આપણું લક્ષ યથાર્થપણે રાખવું અને શુદ્ધ ભાવથી તે મુજબ વર્તવું.
આ ત્રણે અપૂર્વ યાચનાઓ સફળ થાય તેટલા માટે હવે પછીની ગાથામાં જે વસ્તુનો ત્યાગ કરવો જોઇએ અને જેનો આદર કરવો જોઇએ તે દર્શાવીને ત્યાગ અને આદર આપણે સંપ્રાપ્ત કરીએ તે હેતુમાટે તે બાબતની વિશેષ યાચના કરવાનું જ્માવવામાં આવેલું છે. જે આચરણ લોકવિરુદ્ધ છે તેનો ત્યાગ કરવો. વડીલનો સત્કાર કરવો, પરમાર્થ કરવા હંમેશ તત્પર રહેવું, શુદ્ધ ગુરૂનો સમાગમ રાખવો, અને તેમનાં વચન પ્રમાણે આપણું વર્તન રાખવું -એ કૃત્યો ઉપર ણાવેલી ત્રણ યાચના પરિપૂર્ણ થવા માટે ખાસ જરૂરનાં હોવાથી જ્યાંસુધી સંસારમાં પરિભ્રમણ કરવાનું મટે નહીં અને ઇષ્ટફળ-મોક્ષ સંપ્રાપ્ત થાય નહીં ત્યાંસુધી અખંડપણે આપણે ર્કા કરીએ એવી વિશેષ યાચના પરમકૃપાળુ પ્રભુની પાસે કરવામાં આવે છે. આ યાચનાઓ હમેશાં કરવાથી આપણી જીંદગીનું દ્રષ્ટિબિન્દુ કયાં છે અને તે સંપ્રાપ્ત કરવા માટે શાની શાની જરૂર છે તે આપણે પ્રગટપણે જોઇ શકીએ છીએ અને તે જોઇને આપણું વર્તન તે પ્રમાણે ચલાવવામાં ઉદ્યમ કરવા તત્પર થઇ શકીએ છીએ. તેવો ઉદ્યમ કરવામાં આવે તો પરમાત્માની કૃપાથી
Page 49 of 234