________________
યુક્તિથી વિચાર કરીને તેથી દૂર રહેવું. (૭) ઞર્થવિજ્ઞાનં - ઊહાપોહથી સંદેહ દૂર કરીને વિશેષ જ્ઞાન મેળવવું. (૮) તત્ત્વજ્ઞાનં - તેનો યથાર્થ નિશ્ચય કરી રાખવો.
આ પ્રકારનાં બુદ્ધિના આઠ ગુણ પ્રાપ્ત કરવાથી ઉચ્ચ પ્રકારનું શાસ્ત્રજ્ઞાન સંપાદન થઇ પોતાના અવગુણો સહેજે દૂર કરી શકાય છે. શ્રાવક શબ્દનો મૂળ અર્થજ સૂચવે છે કે તેણે હંમેશ ધર્મશ્રવણ કરવોજ જોઇએ. જો ધર્મશ્રવણ ન કરે તો ‘શ્રાવક’ એવું વિશેષણ કદિપણ યથાર્થ ી શકાયજ નહીં. સુળોતિ કૃતિ શ્રાવ: અહીં હેવાની જરૂર છે કે ‘શ્રાવક' એવું વિશેષણ અમુક કુળમાં કે ગોત્રમાં ઉત્પન્ન થવાથી પ્રાપ્ત થાય છે એમ કાંઇ નથી. વ્યવહારમાં ગમે તેમ હો પરંતુ શાસ્રદ્રષ્ટિએ અને વાસ્તવિક રીતે એ વિશેષણ અમુક ગુણ ધારણ કરનાર શખ્સને - પછી તે ગમે તે જાતિળમાં ઉત્પન્ન થયો હોય તોપણ લાગુ પડે છે. એ ગુણમાં સર્વથી મુખ્ય ગુણ ધર્મશ્રવણ કરવાનો હોવો જોઇએ. માટે ઉપર જ્ગાવેલા આઠ ગુણોપર ખાસ ધ્યાન રાખીને તે પ્રાપ્ત કરવા ઉદ્યમવંત થવું.
શ્રૃવાનો ધર્મમન્વહમ્ એ પંદરમું વિશેષણ છે. ઉપરના વિશેષણમાં એનો સમાવેશ થયેલા છે, છતાંપણ ઉપર ણાવ્યા પ્રમાણે દરરોજ ધર્મશ્રવણ કરવું એ શ્રાવક નામ ધારણ કરવાને માટે પ્રથમ દરજ્જે અવશ્યનું હોવાથી તે તરફ આપણું લક્ષ સારી રીતે રહે તેટલા માટે આ વિશેષણ જુદું ણાવ્યું
છે.
સોળમું વિશેષણ ાનીનેં મોનનત્યાની એવું દર્શાવ્યું છે. પ્રથમ ખાધેલું ભોજન પાચન થયું ન હોય ત્યાંસુધી બીજીવાર ભોજન કરવું નહીં એ ખરેખર હિતકારી વચન છે. સર્વરોગનું મૂળ કારણ અજીર્ણ હોય છે.31ની{પ્રનવા રોમા: એ વૈદક શાસ્ત્રનું પ્રસિદ્ધ વાક્ય છે. અજીર્ણ નાશ કરવાનો સરસ ઉપાય ભોજ્ન ત્યાગ એટલે ભુખ્યા રહેવું એ છે. ભોજન કરતી વખતે હંમેશાં ઉણોદરીવ્રત કરવું એટલે ખાવાની જેટલી રૂચિ હોય તેના કરતા પાંચ સાત કોળીયા ઉણા રહેવું એ ખાસ જરૂરનું છે, તેમ કરવાથી અજીર્ણ થવાનો સંભવ ઘણે ભાગે રહેતો નથી. પરંતુ કદાચ કોઇ પ્રસંગે અજીર્ણ થાય તો તે વખતે ભોજનનો ત્યાગ કરવાથી બીજો વ્યાધિ ઉદ્ભવતો નથી.
સત્તરમું વિશેષણ ને મોણ ૫ સાત્મ્યતઃ એવું છે. ભોજ્યાગ વિષે કહ્યું. અહીં ભોજન ક્યારે અને કેવી રીતે કરવું તે ણાવ્યું છે. સાત્મ્યપણે એટલે પોતાના શરીરને માફક આવે તે પદાર્થોનું પોતાને સુખ થાય તેવી રીતે યોગ્ય કાળે (જે વખતે ભુખ લાગી હોય ત્યારે-પણ તે પહેલાં કે પછી નહીં) ભોજન કરવું જોઇએ. તેમ કરવાથી શરીર હંમેશાં સુખી રહે છે અને ધર્મકરણી સારી રીતે થઇ શકે છે. તેનું લક્ષણ નીચે પ્રમાણે આપેલું છે.
पानाहारादयो यस्य, विरुध्धाः प्रकृतेरपि । सुखित्वायावकल्पन्ते, तत्सात्म्यमिति गीयते ।।
અઠારમું વિશેષણ અન્યોન્યાપ્રતિવોન ત્રિવર્ગમપિ સાયન્
એવું આપેલું છે.
ગૃહસ્થને માટે ધર્મ અર્થ-કામ એ ત્રણે વર્ગ જરૂરના છે. માટે એક બીજાને પરસ્પર ઉપઘાત ન થાય તેવી રીતે એ ત્રણે વર્ગ સાધવા. તેમ કરવાથી ધર્મારાધન રૂડી રીતે થઇ શકશે અને કોઇ પ્રકારનું વિઘ્ન વચમાં નડશે નહીં.
યાયાવરીતિયોં સાધો હિને ૫ પ્રતિપત્તિત્ -એ ઓગણીશમું વિશેષણ છે. પોતાની શક્તિ અનુસારે અતિથિ-મુનિ, સાધુ-રૂડા આચારવાળા પુરૂષ અને દીન-હીનશક્તિવાળા-એઓને
Page 46 of 234