SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકારના મિથ્યાત્વોનો સમાવેશ થઇ શકે છે. બીજી રીતે મિથ્યાત્વના ચાર પ્રકારો કહ્યા છે. (૧) અનાદિ અનંતકાળ (૨) અનાદિ શાંતકાળ (૩) સાદિ અનંતકાળ અને (૪) સાદિ શાંતકાળ રૂપે મિથ્યાત્વ હોય છે. (૧) અનાદિ અનંતકાળ રૂપે જાતિભવ્ય જીવોને અનાદિકાળથી મિથ્યાત્વનો ઉદય ચાલુ છે અને છે સદાકાળ અનંત કાળ સુધી મિથ્યાત્વનો ઉદય રહેવાનો હોય છે માટે આ ભાંગો ઘટે છે તથા અભવ્ય જીવોને પણ આ મિથ્યાત્વ સદા માટે હોય છે. (૨) અનાદિ શાંત મિથ્યાત્વ :- જે ભવ્ય જીવો એક્વાર સમ્યક્ત્વને પામીને પછી પડી મિથ્યાત્વના ઉદયવાળા બન્યા હોય એવા ભવ્ય જીવોને આ મિથ્યાત્વ હોય છે. અનાદિકાળથી મિથ્યાત્વ હતું અને સમ્યક્ત્વ પામતાં એ મિથ્યાત્વ શાંત થયું એટલે તેઓને મિથ્યાત્વ અનાદિ શાંત કાળવાળું ગણાય છે. (૩) સાદિ અનંતકાળ :- આ મિથ્યાત્વ સામાન્ય રીતે ગતમાં કોઇપણ જીવોને હોતું નથી પણ વ્યક્ત અને અવ્યક્ત એમ મિથ્યાત્વના બે ભેદો પાડેલા છે તે અપેક્ષાએ વિચારણા કરીએ તો વ્યવહાર રાશીમાં આવેલા અભવ્યજીવો હવે વ્યવહારીયા રૂપે જ ગણાશે એ કોઇકાલે અવ્યવહાર રૂપે થવાના નથી. આ અપેક્ષાએ વ્યવહારરાશીમાં રહેલા અભવ્ય જીવોને જે વ્યકત મિથ્યાત્વ પેદા થાય છે તે સાદિ મિથ્યાત્વ હેવાય છે અને તે મિથ્યાત્વનો ઉદયકાળ સદા માટે રહેવાનો જ છે માટે અનંતકાળ સુધીનું સ્હેવાય છે. આથી સાદિ અનંતકાળ રૂપે મિથ્યાત્વ કહેવાય છે તથા વ્યવહાર રાશીમાં આવેલા જે ભવ્ય જીવો છે તે એકેન્દ્રિયપણામાંથી કોઇકાળે ત્રસપણાને પામેલા નથી અને પામવાના નથી એવા ભવ્ય જીવોને આશ્રયીને વ્યકત મિથ્યાત્વની સાદિ ગણાય છે અને સદાકાળ તે એકેન્દ્રિયપણામાં રહેવાના હોવાથી એવા ભવ્ય જીવોને અનંતકાળ મિથ્યાત્વ રહેવાનું હોવાથી સાદિ અનંતકાળ મિથ્યાત્વ ગણાય છે. (૪) સાદિ શાંત મિથ્યાત્વ :- અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે તે પ્રાપ્ત કર્યા પછી નિકાચીત મિથ્યાત્વના ઉદયના પ્રતાપે પડીને મિથ્યાત્વને પામે અને વધારેમાં વધારે અર્ધપુદ્ગલ પરાવર્તકાળ સુધી મિથ્યાત્વે રહે તે સાદ શાંત મિથ્યાત્વ કહેવાય છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય તે મિથ્યાત્વની શાંતતા કહેવાય અને ત્યાંથી નિકાચીત મિથ્યાત્વના પ્રતાપે પતન પામી મિથ્યાત્વને પામવું તે મિથ્યત્વની સાદિ કહેવાય છે. આ મિથ્યાત્વનો સાદિ કાળ ઘન્યથી એક અંતર્મુહૂર્ત રહે અને ઉત્કૃષ્ટથી અર્ધ પુદ્ગલ પરાવર્તકાળ સુધી રહે છે પછી જીવ ફરીથી સમ્યક્ત્વને પામીને અવશ્ય મોક્ષે જાય છે ત્યારે મિથ્યાત્વ શાંત થઇ જાય છે. આથી અનાદિ અનંત મિથ્યાત્વ જાતિભવ્ય અને અભવ્ય જીવોને હોય છે. અનાદિશાંત મિથ્યાત્વ-જે ભવ્ય જીવો ભવિષ્યમાં સમ્યક્ત્વ પામશે તેમને હોય છે માટે દુર્ભવ્ય-ભારેર્મી ભવ્ય અને લઘુકર્મી ભવ્ય જીવોને હોય છે. સાદિ અનંત મિથ્યાત્વ-અભવ્ય જીવોને તથા જે ભવ્ય જીવો વ્યવહારરાશીમાં હોવા છતાં ત્રસપણાને પામવાના નથી એમને હોય છે કે જે ભવ્ય જીવોને જાતિભવ્ય જેવા કહેવાય છે. સાદિશાંત મિથ્યાત્વ :- સમ્યક્ત્વથી પડેલા દુર્લભ બોધિ જીવોને હોય છે. બીજી રીતે મિથ્યાત્વના બે પ્રકાર હોય છે. (૧) લૌકિક મિથ્યાત્વ (૧) લૌકિક મિથ્યાત્વ : (૨) લોકોત્તર મિથ્યાત્વ. Page 27 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy