________________
સાધુસેવાકારી સંવિજ્ઞપાક્ષિકપણે રહેવું જોઇએ. સંવિજ્ઞપાક્ષિક કેવો હોય ? વંદે પણ વંદાવે નહિ. ઉપદેશ દે પણ મુંડે નહિ. સાધુઓને જણાવે કે-હું મુનિ નથી. એવો નિર્દભ અને મદીયોદ્યમ સંવિજ્ઞપાલિક, કે જે યથાર્થ મુનિગણનો પ્રરૂપક હોય, તેની સ્વલ્પ પણ યતના, નિર્દભપણાના યોગે, કર્મની નિર્જરાને કરે છે. આ રીતિએ નિર્દભપણે જીવે તો એની થોડીય યતના, તે ગુણરાગી હોવાથી, ઘણો લાભ કરે. કયારે? આ વૃત્તિ હોય તો.
આ પછીથી વાચકશેખર શ્રીમદ્ યશોવિજયજી મહારાજા ફરમાવે છે કે-એવાનું નામ લેવું એય પાપ છે. કોનું ? પાંચ મહાવ્રતના ભારને, એટલે મહાવ્રતોને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને અનુસાર નિરતિચારતાથી પાળવાને અસમર્થ એવા કેટલાક લૂચ્ચાઓ, પોતાના સ્વરૂપને જાણતા હોવા છતાં પણ,
અમે સાધુ જ છીએ' એમ બોલે છે, તેવા ચારિત્રભ્રષ્ટ દંભિઓનું નામ લેવું, એ પણ પાપને માટે થાય છે. દંભની અનર્થકારકતા સમજવાને માટે આ ઓછું છે? મહાવ્રતની ક્રિયા પણ નિષ્ફળ નિવડે, અવતની વૃદ્ધિ માટે થાય, એ ઓછી હાનિ નથી !
એવા દંભિઓનું નામ લેવું એ પણ પાપ માટે થાય છે, એમ કેમ ? એ મહાપુરૂષ ફરમાવે છે કેજે દંભિઓ સમ્યક એવી કાલોચિત વ્રતપરિરક્ષણ રૂપ ક્રિયાને પાળતા નથી, તેઓથી મોટા આશ્ચર્યની
| ભવ્ય જનસમૂહ છેતરાય છે ! અને ‘હું ધર્મી છું' -એવા પ્રકારની પ્રસિદ્ધિના લોભે, પોતાના દોષને છૂપાવનાર તેમજ ગુણહીન હોવા છતાં પણ, હૃદયમાં દંભ રાખનાર જગતને તરણા સરખું માને છે ! કેટલાક દંભિઓ તો એમ માને છે કે-એ એક કળા છે. કોઇ જેવા હોય તેવા ઓળખે નહિ એમ વર્તવું, એને કળા કહી અભિમાન લેનારા આજે નથી એમ નહિ ! “અવસરે દંભી પોતાનો ઉત્કર્ષ કરે અને પોતા સિવાયના બીજા ગુણીનોનો અપવાદ બોલે, એથી એની ભવિષ્યમાં ધર્મની પ્રાપ્તિ દર્લભ બને છે તેમજ એ મહાતપથી પણ દુર્ભેદ્ય અને નરકાદિની પ્રાપ્તિને યોગ્ય કઠિન કર્મને બાંધે છે.' એ સ્થિતિ શાથી આવે ? દંભથી. એવો દંભ આપણામાં છે કે નહિ, એ ધર્મક્રિયા કરનારે સાવચેતીથી જોયા કરવું જોઇએ.
દંભને માટે આટલું વિસ્તારથી જણાવ્યા બાદ, વાચકશેખર શ્રીમદ્ યશોવિજ્યજી મહારાજા ફરમાવે છે કે- “દંભવાન કઠિન દુષ્કર્મને બાંધે છે એ હેતુથી, આત્માથિએ, નરકાદિ દુ:ખો રૂ૫ ઉપદ્રવના કારણ એવા દંભનો ત્યાગ કરવો જોઇએ.’ નાનોય દંભ કરવો, એ આત્માથિને માટે વ્યાજબી નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ આ વાત એકાન્ત જણાવેલી છે કે-દરેક ધર્મક્રિયા સરલપણે, દંભરહિતપણે કરવી. વિવેકની જરૂર :
દંભના આ સ્વરૂપને જાણ્યા પછી તો, કલ્યાણના અભિલાષી આત્માઓએ, જીવનમાંથી દંભને દેશવટો દેવાને માટે તૈયાર થઇ જવું જોઇએ. કરવું ઓછું ને બતાવવું વધારે કરવું કંઇ નહિ જૂદું, એ દંભ છે. દરેકે વિચાર કરવો : આત્માને પૂછવું : લાગે છે કે-આપણામાં દંભ છે? પછી એમ લાગી જાય કે-આપણે દંભ કરીએ છીએ, તો એ દુર્ગુણને કાઢી નાખવાનો પ્રયત્ન શરૂ કરી દેવો. દંભનો લેશ પણ નથી, એમ આત્મા સાક્ષી પૂરે છે? કોઇ એમ કહે કે-પૂજા બહુ સારી કરો છો ? અને જો તેમ ન હોય કે શકિત મુજબ ન કરતા હો તો કહેવું કે-હજુ શકિત મુજબ, કરવી જોઇએ તે રીતિએ થતી નથી. આજે કેટલાકોની એ માન્યતા થઇ ગઇ છે કે-દુનિયામાં ગમે તેમ ઉધાં-છતાં કરીએ પણ ફાવતી રીતે થોડો ધર્મ કર્યો એટલે બેડો પાર ! એવાને એ કોણે શીખવ્યું? ઘણી ઘણી વિપરીત માન્યતાઓ ઘર કરી ગઇ હોય એમ કેટલાકો માટે દેખાય છે. એ દૂર કરવી હોય તો વિવેક કેળવો. વિવેક આવ્યો તે દિ શકિત-સામગ્રી
Page 156 of 234