SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ દંભ એવો ભયંકર દોષ કે-આત્માની એકેય વસ્તુને સુધરવા ન દે : હવે સુકૃતને મલિન કરનારો છઠ્ઠો દોષ. આ બહુ જ ભયંકર છે. વાચકશેખર શ્રીમદ્ યશોવિજ્યજી મહારાજ કહે છે કે-દંભ, એ બહુ જ ખરાબ હોય છે. આત્માને ઘણું ઘણું નુકશાન કરનારો એ દોષ છે. એ દોષ આત્માની એક પણ વસ્તુને સુધરવા દેતો નથી. વાચક્શેખર શ્રીમદ્ યશોવિજ્યજી મહારાજાએ દંભના દોષ સંબંધમાં જે કહ્યું છે, તે પણ તમને ક્હી દઉં. તે ઉપકારી ફરમાવે છે કે-દંભ, એ મહા અનર્થને કરનારો છે. દંભ, એ મુક્તિ રૂપ વેલડી, કે જે સર્વ સુખને આપનારી છે, તેને બાળવામાં અગ્નિ સમાન છે. દભ, એ ધર્મક્રિયા રૂપ ચંદ્રને મલિન કરનારા રાહુ જેવો છે. દંભ, એ સર્વજ્નોને જે દુર્ભાગ્ય ગમતું નથી તેના કારણ રૂપ છે. દંભી સર્વના અનિષ્ટનું કારણ બને છે. દંભ, એ આત્મિક સુખની આડે આવનાર અર્ગલા રૂપ છે. દંભ, એ જ્ઞાન રૂપ પહાડને ભેદનાર વજ્ર રૂપ છે. ભણીને ઘણી વિદ્વત્તા મેળવી હોય, પણ જો દંભ રૂપ હોય, તો એ દોષ એને ભેદનાર વજ્ર સમાન છે. દંભ, એ કામ રૂપ જે અગ્નિ-તેમાં હોમવાની વસ્તુ જેવો છે. દંભ. એ સર્વ કષ્ટોની ઉત્પત્તિનું કારણ હોવાથી, કષ્ટોના મિત્ર રૂપ છે. તેમજ દંભ, એ મહાવ્રત આદિ જે વ્રતો-તે રૂપ લક્ષ્મીને ચોરી લેનારો છે. આ પ્રમાણે દંભનો મહિમા ગાયા બાદ, દંભનુ સ્વરૂપ દર્શાવ્યા બાદ, એ જ વાચકશેખર શ્રીમદ્ યશોવિજ્યજી મહારાજા ફરમાવે છે કે-દંભથી વ્રત લઇને, જે મુક્તિને પ્રાપ્ત કરવાને ઇચ્છે છે, તે અન્ન છે. દંભથી વ્રત લઇને મુક્તિની ઇચ્છા રાખવી, એ લોઢાની નૌકામાં બેસીને સમુદ્રના પેલા કાંઠે જ્વાની ઇચ્છા રાખવા જેવું છે. અર્થાત્-એ શક્ય નથી. જ્યાં સુધી મહીં દંભ બેઠો છે, ત્યાં સુધી વ્રત-તપ-જપ વિગેરે મિંત વિનાનાં છે. હે છે કે-હૃદય રૂપ ઘરમાંથી જેણે દંભને કાઢ્યો નથી, તેના તે વ્રતથી તેને ક્યો ગુણ મળવાનો ? કોઇ જ નહિ. અથવા એવા તપથી પણ શું મળે ? કાંઇ જ નહિ. એ સમજાવવા માટે દ્રષ્ટાન્ત આપે છે. જેમની આંખોનું આંધળાપણું નથી ગયું, જે આંધળા છે, તેમને માટે દીવાઓ કે દર્પણ શા કામનાં ? જેમ આંધળાઓને માટે દીવા અને દર્પણ નકામાં છે. તેમ જો દંભથી થાય તો વ્રત-નિયમ-તપ નકામાં છે. દંભ કોને કહેવાય ? પોતાના દોષને છૂપાવવા માટે હૈયે કંઇ અને હાઠે કંઇ, મહીં કંઇ અને દેખાવ કંઇ, એ દંભ છે. લોચ કરે, ભૂશયન કરે, નવ પ્રકારે વિશુદ્ધ આહાર ગ્રહણ કરે, બ્રહ્મચર્ય પાળે, નિષ્પરિગ્રહતા રાખે, અને પરિષહ-ઉપસર્ગ આદિ સહે, એટલી બધી કષ્ટક્રિયા કરે, છતાં એક દંભ હોય તો વાંધો શો ? હે છે કે-એ બધા મોક્ષસાધક ધર્મો દંભના યોગે દૂષિત થાય છે, નિષ્ફલ બને છે. એ ક્રિયાનું ફલ મળતું નથી. આ પછી, વાચશેખર શ્રીમદ્ યશોવિજ્યજી મહારાજા ફરમાવે છે કે- દંભ, એ દુસ્ત્યજ છે. રસાસક્તિ તત્ત્વી એ સહેલું છે, દેવભૂષણ છોડવું એ સહેલું છે, કામભોગ તજ્વા એ સહેલું છે, પણ દંભસેવન એ દુસ્ત્યજ છે. દંભસેવનનો ત્યાગ કરવો એ બહુ મુશ્કેલ છે. હવે કહે છે કે- તુચ્છ બુદ્ધિના આત્માઓ શું ધારીને દંભ કરતા હશે ? એનો ખૂલાસો કરતાં એ જ પરમર્ષિ ફરમાવે છે કે એવા લોક્નો એવો સ્વભાવ હોય છે કે-પોતાના દોષ ઢાંક્વા પોતાના દોષોનો અપલાપ કરવો-દોષોને છૂપાવવા. તેઓ ધારે છે કે-જો મારી ગુણી તરીકેની ખ્યાતિ થાય તો હું પૂજાઉં ! કારણ કે-પૂજા ગુણવાનની જ થાય. પૂજા સત્કાર પ્રતિષ્ઠા માટે મૂર્ખશિરોમણિઓ આત્માની કદર્શના કરે છે. મારી પૂજા થાય, મારો સત્કાર થાય, હું મહાપુરૂષોમાં ગણાઉં, એવો ગ્રહ વળગવાના યોગે જેઓ Page 154 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy