SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ જવો છે કે ઘણા જ પ્રમાણમાં છે ? જ્ઞાનિએ જે ક્રિયા આવશ્યક કહી છે, તે ક્રિયા ન થાય તો પણ આપણે વગર ચિન્તાએ ચલાવી લેવાને તૈયાર ખરા કે નહિ ? સ. ફુરસદ ન મળે તો ? ફુરસદ મળે તો કરવાની કહી છે કે આવશ્ય કરવાની કહી છે? અનુકૂળતા મુજબ કરવાની કહી છે કે તકલીફ વેઠીને પણ કરવાની લ્હી છે? પ્રતિક્રમણ ઉભા ઉભા કરવાનું કે બેઠાં બેઠાં ? આપણી કયી ધર્મક્રિયામાં શિથિલતા આવી છે ? બજારમાં તોલાટ કેમ બેસે છે ? અક્કડ બેસે છે ને ? દુનિયાનાં કાર્યો કરવાને માટે જેમ હાલવું જરૂરી હોય, જેમ બેસવું જરૂરી હોય, જેમ વર્તવું જરૂરી હોય, તેમ હલાય છે કે નહિ? બેસાય છે કે નહિ? વર્તાય છે કે નહિ? ખૂરશી અને ટેબલ મળ્યાં હોય, પણ છ ક્લાક જેને લખવાનું હોય તે આરામથી બેસે છે કે શરીરને અક્કડ રાખી નીચા મોઢે બેસે છે? ત્યાં આરામથી ટેકો દઇ બેસવું એ શિથિલતા ગણાય છે. દુનિયાનાં કાર્યોમાં જરૂરી ઉઘુકતતા રહે છે, પ્રાય: શિથિલતા આવતી નથી, જ્યારે અહીં ? પ્રતિક્રમણ વખતે કોઇએ ફોટો લઇ લીધા હોય તો ? એકસરખી ક્રિયાનો એકસરખો દેખાવ આવે ? ક્રિયા સો આદમી એક જ કરે, એકી સાથે કરે, છતાં પણ આટલાં બધાં આસન કેમ ? -એમ કોઇપૂછે તો ઉત્તર શો ? સોનાં આસનોમાં મેળ હોય ? આદિથી અન્ત સુધી એકસરખું વર્તવાનું હોય, જ્યાં ઉભવાનું હોય ત્યાં બધાને ઉભવાનું અને બેસવાનું ત્યાં બધાને ક્રિયા માટે જરૂરી આસને બેસવાનું, છતાં બધાનાં આસન એકસરખાં હોય ? માનો કે-માંદા વિગેરે બેઠા હોય, પણ બેસનારનું ય આસન ઢબસરનું હોય ને ? આ તો એકે આમ ટેકો દીધો હોય, બીજાનો હાથ આમ હોય, તો ત્રીજાનો પગ જૂદી રીતિએ હોય ! એ શેનું દર્શન ? શિથિલતાનું. પહેલાં તો ક્રિયા કરવાની વાતમાં જ શિથિલતા. શિથિલતા, એ સુકૃતને દોષિત કરનારી વસ્તુ છે. શિથિલતાના યોગે કેટલીક વાર ક્રિયા ન થાય એમેય બને અને કેટલીક વાર થાય તો કહી છે તેમ ન થાય એમેય બને ઉભાં ઉભાં કરવાની ક્રિયા બેઠે બેઠે થાય, બેઠા યોગ્યાસને કરવાની ક્રિયા ટેકો દઈને વિચિત્રાસને થાય, એક ધ્યાન કરવાની ક્રિયા કરતાં બાર ધ્યાન હોય અને એ વખતે પણ ઇન્દ્રિયો કાબૂમાં ન હોય, એ શું? લાગે છે કે-આ દોષ જેટલા અંશે હોય, તેટલા અંશે તે દોષ ધર્મક્રિયાને બગાડે છે ? આટલો આટલો સમય વ્યાખ્યાનાદિ સાંભળવા છતાં પણ જેવા જોઇએ તેવા જ્ઞાતા કેમ ન બન્યા? સમયસર આવ્યા નહિ, બેઠા તેટલો વખત રીતસર સાંભળ્યું નહિ અને છેવટ સુધી ટક્યા નહિ ! શરૂની ભૂમિકા આદિ સંભળાય નહિ એટલે વિષયનો પૂરતો ખ્યાલ આવે નહિ, છેવટ સુધી હાજરી નહિ એટલે વિષયનો ઉપસંહાર સંભળાય નહિ અને સાંભળતાં પૂરતી દત્તચિત્તતા નહિ એટલે વિષયના મર્મ સુધી પહોંચાય નહિ ! સમયસર આવવું નહિ, દત્તચિત્તે સાંભળવું નહિ, સાંભળેલું વિચારવું નહિ અને વિષયને સાંગોપાંગ સમજવા જેટલા ટકવું નહિ, એમાં શિથિલતા પણ કારણ રૂપ છે. વર્ષના બારે માસમાં, સામગ્રી હોય ત્યારે, નિયમિત શ્રવણ કરનારા કેટલા? જેનો એક પણ દિવસ ન પડ્યો હોય એવા કેટલા મળે ? સ. જવલ્લે કોઇ હોય તો. એ શિથિલતાથી પણ ખરું ને ? જ્યારે દુનિયાનું કોઇ કામ ન હોય ત્યારે આ ક્રિયા કરવાની એમ સ. અચાનક કામ આવે. દુનિયાના અચાનક આવતા કામ કરતાં આની કિમંત ઓછી ને ? શ્રાવકથી કદાચ તેવી શકિત આદિ ન હોય તો સાધુ ન બનાય, પણ શ્રાવકપણાની કરણી તો ચૂક્વી જોઇએ નહિ ને ? વ્યાખ્યાનશ્રવણ, Page 150 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy