________________
અશે અંશે હોય કે નહિ ? અંતરમાં ધર્મ આવ્યા પછી દશા જ જૂદી હોય. ધર્મ કરતા જાય તેમ ગુણ વધતા જાય. આજે કેટલાકોનો ધર્મ દીપતો નથી, એનું કારણ ? ધર્મક્રિયા ચાલુ છે, પણ ધર્મ આત્મામાં આવ્યો નથી. આત્મામાં ધર્મ આવ્યા પછીની ક્રિયા અને આત્મામાં ધર્મ આવ્યા પહેલાંની ક્રિયામાં અંતર રહેવાનું. વિચાર કરો કે-અંતરમાં ધર્મની સાચી ભૂખ હોવા પૂર્વક ધર્મક્રિયા થાય છે કે ધર્મની વાસ્તવિક ભૂખ વિના ધર્મક્રિયા થાય છે ? અંતરમાં ધર્મ આવ્યા વિના પણ ધર્મક્રિયા થાય કે નહિ ? અભવ્યોની અને દુર્ભવ્યોની જે ક્રિયા થઇ તે અંતરમાં ધર્મ આવ્યા વિના પણ થઇને ? ત્યારે ધર્મક્રિયા કરે એ જ ઉપરથી ધર્મ આવ્યો એમ એકાન્તે ન મનાય, ધર્મ અંતરમાં પરિણમ્યો છે કે નહિ, એની સામાન્યત: પરીક્ષા સામાન્ય ગુણો ઉપરથી પણ થઇ શકે. ધર્મ અંતરમાં પરિણમ્યો હોય, એ આત્મામાં ધર્મ નહિ પામેલા પણ સુયોગ્ય આત્મામાં જે સામાન્ય ગુણો હોય તેય ન હોય ? એ ગુણોનો આજે અમુક ભાગે કારમો અભાવ કેમ દેખાય છે ? આ વસ્તુ આજે ખાસ વિચારવા જેવી છે. ધર્મની જરૂરીયાત છે તો ધર્મ પામવા માટેની લાયકાત ક્યી ? -એ સામાન્યપણે જ્ગાવવાને માટે આંખના પાંચ ગુણ દર્શાવ્યા. એટલું પણ હૈયામાં જો બરાબર ઉતરી જાય, તો આ ભવમાંય પ્રાય: ધાર્યું સાધ્યા વિના રહેવાય નહિ. પહેલાં સર્વવિરતિની વાત ચાલતી એટલે કહેતા કે- ‘કરે એને ધન્ય !' આનો અર્થ ‘અમારે નથી જોઇતી !' -એમ તો નહોતો ને ? જો ના તો, હજુ અંતરમાં એમ થાય છે કે-જીવનમાં એક વાર તો છેવટેય એ પામવી ? મરતાં પહેલાં છેવટ પણ પામવાની ઇચ્છા કેટલાને ? જીંદગીમાં વહેલા-મોડા જરૂર લેવી, આયુષ્યનો અન્ત આવતાં પહેલાં છેવટ કાંઇ નહિ તો એક દિવસ પણ પામવી, એ પામ્યા વિના જ મરૂં તે મને ઇષ્ટ નથી, આવી ઉમિ કેટલાને ? દેશવિરતિમાં પણ જોયું કે-આત્માને જે એમ થવું જોઇએ કે-આપણે કાંક ઠીક પામ્યા એ દશા થોડી. તમને સર્વવિરતિ અને દેશવિરતિની વાતો કઠણ લાગે છે, તો હવે સમ્યક્ત્વની કરણીની વાત. એ કઠણ લાગશે તો ? ઘણુ જ ભયંકર ! સમ્યક્ત્વનો વ્યવહાર જ્ગાવવાને માટે આ ભૂમિકા છે. સમ્યક્ત્વના વ્યવહારનું પાલન યથાશક્ય ન થાય, તો એ ઘણું દુ:ખદાયક કહેવાય ને ? પણ એ વાત અવસરે.
સુકૃતને મલિન કરનાર તેર દોષો :
હમણાં તો એ જોઇએ કે-સુકૃતને મલિન કરનારા દોષો ક્યા ક્યા છે ? સુકૃતને મલિન કરનારા દોષોમાં એક શૈથિલ્ય, બીજો માત્સર્ય, ત્રીજો કદાગ્રહ, ચોથો ક્રોધ, પાંચમો અનુતાપ, છઠ્ઠો દંભ, સાતમો અવિધિ, આઠમો ગૌરવ, નવમો પ્રમાદ, દશમો માન, અગીઆરમો કુગુરૂ, બારમો કુસંગતિ અને તેરમો પોતાની પ્રશંસાની ઇચ્છા. કેટલાક દોષ એવા કે-સુકૃતને શુદ્વ રીતિએ કરવા ન દે, સુકૃત ર્યા પછી પણ બગાડે અને સુકૃત સારી રીતિએ કરી શકીએ એ સ્થિતિમાં રહેવા ન દે. આમાંના ક્યા દોષો આપણામાં છે અને ક્યા દોષો નથી તથા નથી તો શાથી નથી એ વિચારવું પડે ને ? દોષોથી બચવાની અને ગુણને પામવાની અભિલાષા છે ને ? એ વાતમાં બહુ શંકાને કારણ નથી, તો પછી સુકૃતને મલિન કરનારા દોષોનો વિચાર કરવો એ જરૂરી છે.
શિથિલતા :
સુકૃતને મલિન કરનારા તેર દોષોમાં પહેલો દોષ છે શિથિલતા. શિથિલતા એટલે જ્ઞાનિએ પોતાની ભૂમિકા મુજબ જે ક્રિયાને કરવા યોગ્ય ફરમાવી હોય, તે ક્રિયામાં પ્રમાદ. સૌએ પોતાની મેળે જ પોતાને માટે વિચારી લેવું જોઇએ કે-આપણે જ્ઞાનિએ વિહિત કરેલી આપણી ભૂમિકા મુજબની ક્રિયા કરવામાં શિથિલ છીએ કે ઉદ્યુક્ત છીએ ? જ્ઞાનિએ કરણીય તરીકે ફરમાવેલી યિામાં આપણો પ્રમાદ
Page 149 of 234