SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે અને પ્રાય મધ્યમ નોને એ ગતિમાં આસંગપણું થાય છે. ઉત્તમ પ્રાણીઓને તો વસ્તુતાએ એકાંત અત્યંત સુખવાળી મહોદય ગતિ (સિદ્વિગતિ) માંજ પ્રતિબંધ થાય છે. તેઓ આધિ, વ્યાધિ અને વિયોગાદિ દુ:ખથી પોતાના આત્માને છોડાવે છે અને માત્ર મોક્ષ ગતિમાં રહેલા હોય છે. સુવિત્ત નામના સાયાંત્રિક રૂપ ધર્માચાર્ય જાણવા અને નિર્યામક મનુષ્યો સર્દશ ધર્મોપદેશક મુનિરાજ જાણવા. આ અપાર સંસારરૂપ સમુદ્રમાં બુડતા પ્રાણીઓને મુનિરાજ ધર્મોપદેશ વડે તારે છે. તેથી તેઓનું નિર્યામક નામ સાથક છે. સર્વ સાવદ્ય યોગના ત્યાગ રૂપ પારમેશ્વરી દીક્ષા તે પ્રવહણ સર્દશ જાણવી અને અત્યંત સુખનુ ભાન જે નિર્વાણ પદ તે સમુદ્રના તટ સમાન જાણવું. નિર્યામક સર્દશ મુનિરાજ, ચારે ગતિમાં રહેલા જીવોને નિર્વાણ રૂપ તટે પહોંચાડનાર પારમેશ્વરી દીક્ષારૂપ પોતાના વહાણમાં બેસવા માટે ધર્માચાર્યની આજ્ઞાથી ઉપદેશ કરે છે કે “અહો પ્રાણીઓ ! જેમ પૂર્વે એક કાણિીને માટે નિ:પુણ્ય પંથીએ પૂર્વે મેળવેલા હજાર રૂપીઆને ખોઇ નાખ્યા અને એક રાજાએ પૂર્વ કુપથ્ય તરીકે ખાસ નિષેધેલું તુચ્છ આમ્રફળ ખાવાથી પોતાના પ્રાણને ગુમાવ્યા તેમ, આ સંસારમાં પણ અત્યંત તુચ્છ એવા કેંદ્રીય ન્ય સુખમાં આસક્ત થઇને મૂર્ખ પ્રાણીઓ પરભવમાં પ્રાપ્ત થઇ શકે એવા સ્વર્ગ અને અપવર્ગના સુખને હારી જાય છે. માટે અહો ઉત્તમ જીવો ! તમે અત્યંત જુગુપ્સા કરવા યોગ્ય અને તુચ્છ એવા શુક્રાદિ જ્ય વિષય ભોગને તજી દઇને ધર્મનું આરાધન કરો જેથી નિવૃત્તિ સુખની પ્રાપ્તિ થાય.” એ પંથીનું અને રાજાનું દ્રષ્ટાંત આ પ્રમાણે - “કોઇક એક દરિદ્રીએ બહુ દૂરદેશમાં જઇને મહા પ્રયાસ વડે એક હજાર રૂપિયા ઉપાર્જન કર્યા. પછી ત્યાંથી સ્વદેશ તરફ આવનારા સાર્થની સાથે સ્વદેશ તરફ આવવા નીકળ્યો. મેળવેલા રૂપિયા વાંસળીમાં નાખીને વાંસળી કેડે બાંધી લીધી માર્ગમાં ખોરાકીને માટે એક રૂપિયો વટાવ્યો તેની ૮૦ કાણિી આવી. તેમાંથી એકેક કાણિી વડે દરરોજ નિર્વાહ ચલાવવા લાગ્યો. અનુક્રમે પોતાનું નગર સમીપ આવ્યું તેટલામાં ૭૯ કાણિી વપરાઇ ગઇ. એક બાકી રહી તે છેલ્લા મુકામે ભુલી જ્વાથી પડી રહી. માર્ગે ચાલતા અર્ધપંથે આવ્યા એટલે સાંભરી. વિચારવા લાગ્યો કે આજે એક કાણિી માટે બીજો રૂપૈઓ આખો ભાંગવો પડશે તેથી પાછો જઇને ભુલેલી કાણિી લઇ આવું કેડે ભાર વધારે હોવાથી વાંસળી કોઇક સ્થાનકે પ્રચ્છન્ન પણે ગોપવી, પણતેમ કરતાં કોઇએ દીઠી અને તેના ગયા પછી કાઢીલીધી. દ્રુમક કાંકિણી વાળે સ્થાનકે પહોંચ્યો ત્યાં તપાસ કરતાં કોઇએ તે કાણિી લઇ લીધેલી હોવાથી મળી નહીં. પાછો આવ્યો ત્યાં પૂર્વે જોનારા માણસે વાંસળી અપહરેલી હોવાથી તેપણ મળી નહીં. ઉભયથી ભ્રષ્ટ થયો એટલે અત્યંત પશ્ચાત્તાપ કરવાલાગ્યો. પણ હવે પશ્ચાત્તાપ કરવાથી શું વળે. તેજ પ્રમાણે આ સંસારમાં મૂર્ખ જીવો સાંસારિક વિષય સુખની તૃષ્ણા રૂપ કાંકિણી મેળવવા જ્યાં પૂર્વના અપૂર્ણ પુન્યોદયથી તે સુખો પણ સંપૂર્ણ પણે મળતા નથી અથવા પાપોદય હોય છે તો બીલકુલ મળતા નથી અને તેની ઇચ્છાથી ધર્મારાધન કરતો નથી જેથી સ્વર્ગ મોક્ષાદિના સુખરૂપ દ્રવ્ય પૂરિત વાંસળી પણ હારી જાય છે.” બીજુ દ્રષ્ટાંત - કોઇ રાજાને આમ્રફળ (કેરી) વિશેષ ખાવાથી એકદા અજીર્ણ થવા વડે વિશૂચિકા ઉત્પન્ન થઇ. રાજ વૈદ્યે બહુ પ્રયાસવડે તે વ્યાધિ મટાડ્યો પણ કહ્યું કે “હવે પછી જો કોઇ પણ વખત આમ્રફળ ખાશો તો મૃત્યુ પામશો.” રાજાએ પ્રાણહાનીની ધાસ્તીથી તે વાતનો સ્વીકાર ર્યો. અને પોતાના દેશ બધામાંથી આંબા માત્ર ઉખેડી નંખાવ્યા. એકદા મંત્રી સહિત અશ્વ પર બેસીને ફરવા જતાં બંનેને અશ્વે અપર્ણા અને દૂર દેશમાં લઇ ગયા. ત્યાં બંને અશ્વ થાકી ને ઉભા રહ્યા એટલે તેના ઉપરથી ઉતરી નજીક રહેલા ફળ Page 14 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy