SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપર જ એમના હદયની પવિત્રતાનો આધાર છે. શકિતસંપન્ના આગળ કોમળ રહેનારા હૃદયથી કોમળ હોય છે, એમ માનનારા સાચા અર્થમાં બુદ્ધિશાળી જ નથી. દીન અને અનાથ આગળ કોમળ હૈયું રાખી શનારા જ સાચા કોમળ હોઇ શકે છે, આ વાત ખૂબ જ ધ્યાનમાં રાખવાની છે. અહિંસામાં સાચા દિલથી માનનારાઓ, નામના કે અધિકારના મદમાં ચઢી પ્રમાણિક દલીલ કે આધાર વિના મહાપુરૂષો માટે ભૂંડું બોલી, ધર્મી આત્માઓના અંતરને ઘાયલ કરવાનું પાપ કમ્પતાં કમ્પતાં પણ ન કરી શકે. ધર્મશાસ્ત્રોને બાળી મૂકવાનું બોલવું કે મહાપુરૂષો માટે યતા તદ્દા બોલવું, એ દયાળુ હૃદયોનું કામ જ નથી. દયાની વાતો કરનારા જ્યારે સત્તા પામીને જીવની કતલમાં ઉત્તેજના થાય એવું આચરે, ત્યારે પણ ઓને અનુ કમ્પાનો અભાવ ન જણાય, એવાઓને દીવાના જ માનવા પડે. દીન અને અનાથના ઉદ્ધારનો પ્રયત્ન, એ અનુકમ્પાને જોવાનો સાચો અરિસો છે. આ કારણે આ “દીન અને અનાથના ઉદ્ધારનો આદર' નામનો બીજો સદાચાર પણ ધર્મની પ્રાપ્તિ અને ધર્મના પાલન માટે “લોકપ્રિયતા' નામના આ ચોથા ગુણને પામવા ઇચ્છનારે જરૂર આત્મસાત્ કરવો જોઇએ. ત્રીજો સદાચાર-કૃતજ્ઞતા : “લોકાપવાદભીરુતા” અને “દીનોદ્વારનો આદર' -આ બે સદાચારો પછી ત્રીજો સદાચાર આવે છે“કૃતજ્ઞતા” એનો ભાવ એ છે કે- “અન્ય કરેલા ઉપકારને બરાબર જાણવો, પણ કદીએ ભૂલવો નહિ.” આ સદાચારને આપણે અહીં વર્ણવતા નથી : કારણ કે-આપણે જે એક્વીસ ગુણોનું વર્ણન કરી રહ્યા છીએ, એમાં આગળ ઓગણીસમાં ગુણ તરીકે “કૃતજ્ઞતા' ને સૂચવેલ છે : એટલે એનું વર્ણન એ પ્રસંગે કરવું વધુ ઠીક થઇ પડશે. ચોથો સદાચાર-સુદાક્ષિણ્ય : ચોથ સદાચાર છે- “સુદાક્ષિણ્ય' એનો અર્થ છે- “ગંભીર અને ધીર ચિત્તના સ્વામી તથા મત્સરરહિત એવા આત્માનો પરના કૃત્ય માટે સ્વાભાવિક જ આગ્રહ અથવા તો તે માટેની સ્વાભાવિક ઉદ્યોગપરતા.” આ સદાચારનું વર્ણન પણ એક્વીસ ગુણો પૈકીના આઠમા ગુણમાં આવતું હોવાથી, અત્રે મુલત્વી રાખીએ છીએ. પાંચમો સદાચાર-નિન્દાત્યાગ : પાંચમો સદાચાર છે- “સર્વત્ર નિન્દાનો સત્યાગ.” જઘન્ય કોટિના આત્માઓ, મધ્યમ કોટિના આત્માઓ અને ઉત્તમ કોટિના આત્માઓ, અર્થાત્ - કોઇની પણ નિન્દા એટલે અપવાદ, એનો પરિત્યાગ કરવો એ પણ એક ઉત્તમ કોટિનો સદાચાર છે. આનું વર્ણન તો ઇહલોકવિરૂદ્ધ કાર્યોના વર્ણન પ્રસંગે થઇ ગયું છે. છઠ્ઠો સદાચાર-સાધુપુરૂષોમાં વર્ણવાદ : છઠ્ઠો સદાચાર છે- “સાધુપુરૂષોમાં વર્ણવાદ' નામનો. આ સ્થાને “સાધુપુરૂષો' એટલે “સદાચાર સંપન્ન આત્માઓ' એમ સમજવાનું છે. એવાઓનો વર્ણવાદ એટલે તેમની પ્રશંસા. આ સદાચાર આત્માની ઉત્તમતાને પ્રગટ કરનાર ગુણોના અર્થી આત્મા માટે ખૂબ જ જરૂરી છે. સદાચારસંપન્ન પુરૂષોની પ્રશંસામાં રસ ધરનારો આત્મા જ પરનિન્દાના દોષથી સારી રીતિએ બચી શકે છે. સદાચારસંપન્ન આત્માઓની પ્રશંસાનો સ્વભાવ જેનામાં નથી, તે શિષ્ટપુરૂષોમાં પ્રિય બનવો એ શક્ય જ નથી. ત્રણે પ્રકારનાં લોકવિરૂદ્ધ કાર્યોનો ત્યાગી, ત્યાગ રૂપ દાનનો દેનારો અને “ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયનું આસેવન કરનારો આત્મા, જેમ લોકાપવાદભીરૂપણા રૂપ સદાચારને, દીન અને અનાથના ઉદ્ધારના આદર Page 133 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy