________________
ઉત્પન્ન થયા વિના રહેતી નથી.
સ. ત્યાં તો પેટનો સવાલ છે.
ગુણ કરતાંય પેટની કિમંત જો વધતી હોય, તો પછી કહેવાનું કશું જ રહેતું નથી. પેટ ખાતર ગૌરવ જાળવનારાઓ પણ જો ગુણ ખાતર ગૌરવ ન જાળવી શકે, તો એ ખરે જ ભયંકર દયાપાત્ર આત્માઓ છે. તેઓને ગુણની કશી જ કિમંત નથી. એવાઓ તોગુણના વેષી હોવા અગર બનવા એય સુસંભવિત છે. અજ્ઞાનોની વાત દૂર રહી, પરન્ત પોતાની જાતને સમજુ અને શાણા મનાવતા આત્માઓ પણ જ્યારે ઉચિત પ્રતિપત્તિ રૂપ વિનયને ચૂકતા જોવાય છે, ત્યારે તો તેમની કરપીણ અભિમાનવૃત્તિ ખૂબ જ તિરસ્કારપાત્ર છે, એમ લાગ્યા વિના રહેતું નથી. પોતાની જાતને સમજુ માનનારા આત્માઓ, ગૌરવને યોગ્ય આત્માઓ તરફ ગૌરવભરી રીતિનું વર્તન ન રાખે- એ, એમના સમજુપણાનું કારમું લંક જમનાવું જોઇએ. પોતાની અધિક ગુણી આત્માનું ઉભા થઇને સન્માન કરવું તથા બીજું પણ ઉચિત સન્માન કરવું, એમાં પોતાની લઘુતા માનનારા આત્માઓ, પોતામાં ગુણ ન આવે એવી જ પેરવી કરનારા છે. ગુણની સામે પણ અહંકાર, એ તો ગુણની પ્રાપ્તિનો જ વિરોધ છે. જ્યાં નમ્રતાથી બોલવાનું હોય ત્યાં ઉગ્રતાથી બોલવું, આજ્ઞા શિરસાવદ્ય કરવાના સ્થાને ખોટી ચર્ચાઓ કરવી, સૌમ્યભાવે વિનવવાના સ્થાને ઉગ્રતાભરી આજ્ઞાઓ કરવા જેવી રીતિએ વર્તવું અને હાથ જોડીને ઉભા રહેવા યોગ્ય સ્થાને પણ અકડાઇભર્યું ઉભું રહેવું, આ વિગેરે એવું છે, કે જે ઉચિત ગૌરવનો વિનાશ કરનાર છે. આ જાતિનું વર્તન મિથ્યાભિમાન સિવાય શકય નથી. ઘમંડીની ક્રિયા ઔચિત્યને લંઘનારી :
“પ્રતિપત્તિ' થી સૂચિત ક્રિયા, કર્મ અને પ્રવૃત્તિ આ ત્રણ અર્થો જો ઉચિત રીતિએ સર્વ સ્થાને ઉપયોગમાં લેવાય, તો આની સામાન્ય અસર નથી. હરેક સ્થાને ઉચિત ક્રિયા, ઉચિત અને ઉચિત પ્રવૃત્તિને આચરનારો આત્મા ‘ઉચિત પ્રતિપત્તિ' રૂપ વિનયનો ઘણો જ સુંદર અમલ કરે છે, એ વાત વિવાદ વિનાની છે. આત્મામાંથી મિથ્યાભિમાનનો વિનાશ થયા વિના ઉચિત ક્રિયા, ઉચિત કર્મ અને ઉચિત પ્રવૃત્તિનો અમલ, એ અસંભવિત વસ્તુ છે. ઘમંડીયોની ક્રિયાઓ આદિ ઉચિતપણાને લંઘનારી જ હોય છે. પોતામાં નહિ માઇ શનારાઓનું વર્તન સદાય ઔચિત્યથી પર હોય છે. એવામાં જરૂરી શાંતિનો વાસ હોવો શક્ય નથી અને એ જ કારણે એવા આત્માઓમાં ઉચિત કર્તવ્યતાનું જ્ઞાન નાશ પામેલું હોય છે. ઉચિત શાંતિ અને ઉચિત કર્તવ્યતાના જ્ઞાનથી રહિત બનેલા આત્માઓ વિદ્વાન હોય, લેખકો હોય કે વકતાઓ હોય, તો પણ તેઓ પોતાનું કે પરનું વાસ્તવિક શ્રેય કદી જ સાધી શકતા નથી.
ઉચિત પ્રતિપત્તિ' રૂપ વિનય એ કેટલો જરૂરી છે, એ આ વાત ઉપરથી પણ સ્પષ્ટ થાય છે. મિથ્યાભિમાનથી જેઓ કર્તવ્યતાનું જ્ઞાન ગુમાવી બેઠા હોય, તેઓમાં સભ્યતાની ચાલ રહેવી એ પણ શકય નથી. સભ્યતાની ચાલ પણ ગુમાવી બેઠેલાઓ પાસેથી ઉચિત ગૌરવની, ઉચિત ક્રિયાની, ઉચિત કર્મની, ઉચિત પ્રવૃત્તિની અને ઉચિત શાંતિની અપેક્ષા રાખવી, એ કોઇ પણ રીતિએ શકય નથી. સભ્યતાની ચાલને ગુમાવી બેઠેલાઓનું દાન પણ દીપતું નથી અને એવા પ્રસંગ આવ્યે નિદા આદિ ઇહલોકવિરૂદ્ધ, ખરકર્મ આદિ પરલોકવિરૂદ્ધ અને ધૂત આદિ ઉભય લોકવિરૂદ્ધ કાર્યો પણ ન કરે, એમ માનવાને કોઇ જ કારણ નથી. ખરેખર, આ ‘ઉચિત્ત પ્રતિપત્તિ રૂપ વિનયમાં ઘણું ઘણું આવી જાય છે. કર્તવ્યતાના જ્ઞાન વિના સાચી ઉદારતા આવવી નથી અને એ વિના ત્યાગ રૂપ દાન ન આવે અને એના વિના સાચી નમ્રતા આદિ ગુણો દૂર રહે, એ પણ બનવાજોગ છે.
Page 127 of 234