________________
ઉપાધ્યાયના વચનને યથાર્થ રીતિએ અંગીકાર કરી,પોતાના સ્વભાવસિદ્ધ ગુણને સૂસ્થિત બનાવી, પોતાના સંબંધમાં બનેલા ભયંકર પણ બનાવને હૃદયમાં રાખવાથી જે ઉત્તમ પરિણામ આવ્યું, એનાથી શ્રી વિજ્યને એમ જ થતું કે- “સૌ કોઇ આવી દશા કેળવી લે, તો વિશ્વમાંથી ક્લનો તો અભાવ જ થઇ જાય.” કલહ વિના ક્રોધને તો મર્યે જ છૂટકો છે અને ક્રોધ મર્યા પછી ક્ષમાનું સામ્રાજ્ય નિષ્કંટક બને અ સહજ છે. તેમજ ક્ષમાના એવા સામ્રાજ્યમાં વસતા આત્માઓ સંસારમાં પણ સિદ્વિસુખના આસ્વાદનો અનુભવ કરે, એ પણ તર્દન સ્વાભાવિક જ છે.
આપણે જાણીએ છીએ કે-શ્રી વિજ્યને પોતાની પત્ની ગોશ્રીથી થયેલા ચાર પુત્રો છે. ચારમાં જે મોટો પુત્ર હતો, તેને પોતાના પિતાની આ પ્રવૃત્તિથી ઘણું જ આશ્ચર્ય થાય છે. એને એમ થાય છે કે- ‘શા માટે મારા પિતા સૌને આવો જ ઉપદેશ આપ્યા કરે છે ?' એટલા જ માટે હંમેશાં એ પ્રકારના ઉપદેશને આપતા પોતાના પિતાને તેનો મોટો પુત્ર કોઇ એક દિવસે પૂછે છે કે- “હે પિતાજી ! આપ સૌ કોઇને ફરી ફરીને એક્ની એક વાતનો ઉપદેશ કેમ આપો છો ?”
આ પ્રશ્નના ઉત્તરમાં પોતાના મોટા પુત્રને શ્રી વિજ્ય વ્હે છે કે- “હે વત્સ ! એ વાત મને અનુભવસિદ્ધ છે અને જે કારણથી એ વાત મને અનુભવસિદ્ધ છે, તે કારણથી હું સૌને એનો જ ઉપદેશ આપું છું.”
શ્રી વિજ્યના આ ઉત્તરથી તે મોટા પુત્રે પુન: પણ પોતાના પિતાને પૂછ્યું કે- “હે પિતાજી ! આપ કહો છો કે-એવાત આપને અનુભવસિદ્ધ છે, તો આપને એ વાત કેવી રીતિએ અનુભવસિદ્ધ છે એ આપ મને કહો : કારણ કે એ આપનો અનુભવ જાણવાનું મને કૌતુક છે.”
આ પ્રમાણે અતિ આગ્રહપૂર્વક પૂછતા પોતાના મોટા પુત્રને શ્રી વિજ્ય હે છે કે- “મેં તને કહેલું જ છે કે- ‘બોલવાથી નહિ બોલવું સારૂં, પૂછવાથી નહિ પૂછવું સારૂં અને સાંભળવા કરતાં નહિ સાંભળવું સારૂં' આ કારણથી એ અનુભવને જાણવા માટે આગ્રહ કરવાએ કરીને સર્યું : અર્થાત્-તું હવે એ વાતને
જાણવાનો આગ્રહ છોડી દે.”
પોતાના પિતાના એ ઉત્તરથી, શ્રી વિજ્યના મોટા પુત્રનું કુતૂહલ અતિ મબૂતપણે વધવા લાગ્યું. જે વાતને સામો માણસ પૂછવાની ના કહે, તે વાત પૂછવાની અધિક ને અધિક વૃત્તિ થાય, એવું સામાન્ય માણસો માટે ખૂબ જ બને છે. શ્રી વિજ્યના પુત્ર માટે પણ એમ જ બન્યું. પોતાના પિતાના અનુભવને જાણવાનું જેનું કુતૂહલ ખૂબ ખૂબ વધ્યું છે, એવો તે પુત્ર વારંવાર એ અનુભવને જાણવાની જ ઝંખના કરે છે. આ રીતિએ પોતાના અનુભવને જાણવા માટે અતિ આદરવાળા બનેલા પોતાના પુત્ર દ્વારા વધુને વધુ આગ્રહ કરવાથી, પોતાના તે અનુભવને કહેવાની ઇચ્છા નહિ હોવા છતાં પણ, તેવી જ કોઇ ભવિતવ્યતાના પ્રતાપે શ્રી વિજ્યશ્રેષ્ઠિએ પણ પોતાનો તે અનુભવ પોતાના તે ડિલ પુત્રની સમક્ષ કહ્યો. પોતાનો અનુભવ વ્હેતાં શ્રી વિજ્યશ્રેષ્ઠી પોતાના પુત્રને ક્યે છે કે
“હે પુત્ર ! પહેલાં તારી માતાએ મને વિકટ કુવામાં નાખી દીધો હતો, પણ એ વાત મેં તેણીને પણ ક્હી નથી અને એથી જ આ સુંદર પરિણામ આવ્યું છે. મેં તારી માતાને પણ જે ન કહ્યું, તે સુખાવહ જ થયું. આ કારણે તારે પણ આ વાત અન્ય કોઇને કહેવી નહિ.”
આ બનાવ કોઇ તેવી વિચિત્ર ભવિતવ્યતાના યોગે જ બનવા પામ્યો છે, એમ માન્યા વિના ચાલે તેવું નથી : અન્યથા, શ્રી વિજ્યશ્રેષ્ઠી જેવાના મુખમાંથી આ વાત નીકળવી, એ કોઇ પણ રીતિએ સંભવિત ન હતી. આ વાત જાણ્યા પછી, શ્રી વિજ્યશ્રેષ્ઠીનો તે મોટો પુત્ર ઓછી મતિવાળો હોવાથી, તેને
Page 121 of 234