SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ‘આત્મહિતના અર્થી નરે ક્ષમાપ્રધાન થવું જોઇએ' -આ વાતની સિદ્ધિ માટે ક્ષમાની સુખદાયતા મહાપુરૂષના વચનથી પુષ્ટ કર્યા બાદ, હવે ક્ષમાની પ્રધાનતા વર્ણવતાં પણ તે ઉપાધ્યાય વિજ્યને ક્યે છે કે “નિનનળી રમળીળ, મળીળ વિશ્વામળી નહા પવરો । પ્પલયા ય થયાળ, તહા મા સવધમ્માનં ||9||" " इह इक्कं चिय खन्ति, पटिषज्जिय जियपरिसहकसाया । સાયાનંતમાંતા, સત્તા પત્તા યં પરમં ।।શા” “રમણીઓમાં જેમ શ્રી જિનેશ્વરદેવની નની એ પ્રધાન છે : મણિઓમાં જેમ ચિંતામણિ પ્રવર છે : અને લતાઓમાં જેમ ક્લ્પલતા એ પ્રધાન છે : તેમ સર્વ ધર્મોમાં પ્રધાન ધર્મ ક્ષમા છે ! ગતમાં એક ક્ષમાને જ અંગીકાર કરીને, જીતી લીધેલા છે પરિષહો અને કષાયો જેઓએ એવા અનંતા સત્ત્વો, અનંત છે શાતા મા એવા પરમપદે પહોંચ્યા છે.” આવા મહત્ત્વભર્યા ક્ષમાધર્મના સ્વરૂપને જાણ્યા પછી તો એમ જ લાગવું જોઇએ કે-ક્ષમા એ જ સર્વસ્વ છે. ક્ષમાની એ પણ એક મહત્તા જ છે કે-અપકારના ભયથી પણ ક્ષમાનું સેવન કરનારા આત્માઓ કારમા અપકારથી બચી જાય છે. એ જ રીતિએ ઉપકારને ધ્યાનમાં રાખીને, ઉપકારિના કઠોર વચન આદિની સામે ક્રોધને મારી ક્ષમાને ધરનારા આત્માઓ, આ ગતમાં પણ કૃતજ્ઞપણાની નામનાને પામી, અનેકોમાં માનનીય બને છે અને અનેકો માટે અનુકરણીય પણ બની જાય છે. આ રીતિએ અપકાર અને ઉપકારને નિમિત્ત બનાવી ક્ષમાનું સેવન કરનારા જ્યારે આવા લાભોને પામે છે, તો પછી જેઓ- ‘ક્રોધનાં ફલ કટુ છે’ -એમ સમજીને ક્રોધના શરણે નહિ જ્યાં ક્ષમાના ઉપાસક બને છે, તેઓ અધિક નામાંક્તિ બની, સ્વ-પરના શ્રેયમાં વધુ નિમિત્ત બને, એમાં આશ્ચર્ય પણ શું છે ? એવા આત્માઓ માટે શત્રુઓ પણ નિર્ભય રહે છે. એવાઓના શત્રુઓ પણ સમજે છે કે “આ ભાગ્યવાન આત્માઓ -‘ક્રોધનાં ફલ કટુ છે' -એમ માની, ગમે તેવા નિમિત્તે પણ ક્રોધના શરણે જ્વાને બદલે એનો ક્ષમા દ્વારા સંહાર કરી, કેવલ ક્ષમાની ઉપાસનામાં જ ઉજ્જ્ઞાળ રહેનારા છે.” આ રીતિએ સાચા ક્ષમાશીલ આત્માઓ ગુસ્સે થઇ અનર્થ કરશે, એવો ભય એવાઓના શત્રુઓને પણ નથી હોતો. ક્રોધ, એ આત્માનો પરમ શત્રુ છે અને એ કારણે શાસ્ત્રે ક્રોધનો નિષેધ કર્યો છે. ‘શાસ્ત્રે ક્રોધનો નિષેધ ર્યો છે, માટે ક્રોધ થાય જ નહિ' -એમ માની, ક્ષમાના સેવક બનેલા મહાપુરૂષોની દશા તો અનુપમ જ હોય છે. ‘અનંતજ્ઞાનિઓની આજ્ઞા' -એ જ જેઓનું જીવનસર્વસ્વ હોય છે, તેઓ માટે જ ઉત્તમમાં ઉત્તમ કોટિની ક્ષમાનું આસેવન શક્ય બને છે. આવી જાતિની વચનક્ષમાના સેવકો પરિણામે ક્ષમામય સ્વભાવવાળા બની જાય છે. પછી એ પરમષિઓને શાસ્રવચનની અપેક્ષા પણ ક્ષમા માટે રાખવી પડતી નથી. પછી તો એ પરમષિઓ જ મૂર્તિમંત ક્ષમા બની જાય છે. આવી લોકોત્તર ક્ષમાના સ્વામિઓ તો અહીં જ મુક્તિસુખનો આસ્વાદ અનુભવે છે. ઉપાધ્યાયે વિજ્યને ક્ષમાનો ઉપદેશ આપ્યો અને - ‘આત્મહિતના અર્થી નરે ક્ષમાપ્રધાન થવું જોઇએ' -એમ કહી ક્ષમાની મહત્તા વર્ણવી વિજ્યને ક્ષમાશીલ બનવાની ઉપાધ્યાયે પ્રેરણા કરી. ઉપાધ્યાયની આ પ્રેરણા વિજ્યને ખૂબ જ રૂચી. ક્ષમાધર્મની આરાધનાનો એ ઉપદેશ, વિજ્યને અમૃત સમાન લાગ્યો. અમૃતની વૃષ્ટિ જેટલી પ્રિય લાગે, તેટલી જ પ્રિય વિજ્યને ઉપાધ્યાયની ઉક્તિઓ લાગી અને એથી અમૃતની વૃષ્ટિ જેવા તે વચનને તે વિજ્યે તત્ત્વબુદ્ધિથી ગ્રહણ કર્યું. આ રીતિએ ક્ષમાક્ષીલ બનેલ વિજ્ય અભ્યાસ કરતાં કરતાં વિદ્વાન બન્યા અને અતિશય શુદ્ધ તરૂણપણાન પામ્યા. યૌવનને Page 110 of 234
SR No.009173
Book TitleChoud Gunsthanak Part 01 Gunasthank 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size67 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy