________________
બીની પ્રાપ્તિ થાય છે. અહીં એ વાત ધ્યાનમાં રાખી લેવાની છે કે-ચરમાવર્ત કાલ માત્ર ભવ્ય આત્માઓને જ પ્રાપ્ત થઇ શકે છે, જ્યારે કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય કાંઇ માત્ર ભવ્યાત્માઓને જ પ્રાપ્ત થાય એવો નિયમ નથી. ક્ન્ડની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય તો અભવ્યોને પણ પ્રાપ્ત થઇ શકે છે, દુર્ભવ્યોને પણ પ્રાપ્ત થઇ શકે છે અને ભવ્યોને પણ પ્રાપ્ત થઇ શકે છે. વળી ચરમાવર્ત કાલને પામ્યા પછીથી જીવ અચરમાવર્ત કાલને કદી પણ પામતો નથી, જ્યારે કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય થયા બાદ પણ જીવને, કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ તો વારંવાર એટલે કે અનન્તી વાર પણ થઇ શકે છે. કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિ કોને કહેવાય ?
હવે આપણે પહેલાં એ જોઇએ કે-ર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિ કોને કહેવાય છે ? કારણ કે-કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય થયા બાદ જ જીવને બીજ આદિના ક્ર્મ કરીને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે અને તે મે કરીને પણ સમ્યક્ત્વ અપર્વકરણથી સાધ્ય છે-એમ શાસ્ત્રકાર પરમષિએ આ છઠ્ઠી વિંશિકાની આદિમાં ફરમાવ્યું છે. જીવની સાથે અનાદિકાલથી જડ કર્મોનો યોગ છે. એ કર્મોના મુખ્ય વિભાગો આઠ છે, એમ જ્ઞાનિઓ ફરમાવે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય- આ આઠ મુખ્ય વિભાગોમાં સઘળાંય કર્મોનો સમાવેશ થઇ જાય છે. આ આઠ પ્રકારનાં કર્મોમાંથી પહેલાં ત્રણ અને છેલ્લું એક, એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય આ ચાર કર્યો ઘાતી કર્મો તરીકે ઓળખાય છે. આ આઠેય ર્મોની સ્થિતિ એક સરથી નથી. ર્મોની સ્થિતિનો અર્થ અ છે કે-વધુમાં વધુ તેટલા કાળ પર્યન્ત એ કર્મને એ કર્મ ઉદયમાં આવ્યા પછીથી ભોગવી શકાય; અથવા તો એ કર્મ ઉદયમાં આવ્યા પછીથી તે જો વધુમાં વધુ સમયને માટે ટકી શકે, તો તે તેની જેટલી સ્થિતિ બંધાએલી હોય તેટલા સમયને માટે જ તે આત્માની સાથે ટકી શકે. બધાં કર્મો પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં જ બંધાએલાં હોય છે અથવા બંધાય છે, એવો પણ નિયમ નથી. જેમ કે-જ્ઞાનાવરણીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોટાકોટિ સાગરોપમની છે, છતાં બધાં જ્ઞાનાવરણીય કર્મો ત્રીસ કોટાકોટિ સાગરોપમની સ્થિતિવાળાં જ હોય, એવો નિયમ નથી. જ્ઞાનાવરણીય ક્મા એથી વધારે સ્થિતિવાળા ન હોઇ શકે, પણ એથી ઓછી સ્થિતિવાળા તો જરૂર હોઇ શકે, જ્ઞાનાવરણીય ક્મની ઉત્કૃષ્ટ સ્થિતિ જેમ ત્રીસ કોટાકોટિ સાગરોપમની છે, તેમ બાકીનાં ત્રણ ઘાતી ક્મોની એટલે દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય- એ ત્રણ ર્કોની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોટાકોટિ સાગરોપમની છે. મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કોટાકોટિ સાગરોપમની છે, જ્યારે નામ કર્મ અને ગોત્ર કર્મ- એ બે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કોટાકોટિ સાગરોપમની છે. છેલ્લે રહ્યું જે એક આયુષ્ય કર્મ, તેની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. ગ્રન્થકાર પરમર્ષિ ફરમાવ છે કે- ‘જીવ જ્યારે આ આઠેય ર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિમાં વર્તતો હોય છે, ત્યારે તો એ એવો ક્લિષ્ટ આશયવાળો હોય છે કે- તે સદ્ધર્મને પામી શકતો જ નથી.’ સધર્મને પામવા જોગી સ્થિતિ તો કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિનો ક્ષય થયા બાદ જ પ્રાપ્ત થઇ શકે છે. એ ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિ ક્યી ? આયુષ્ય ક્મ સિવાયનાં સાતેય કર્મોની સ્થિતિ જ્યારે એક કોટાકોટિ સાગરોપમની થાય, ત્યારે એ સ્થિતિને તે સાતેય કર્મોની ચરમ ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવાય. આયુષ્ય કર્મ સિવાયનાં સાત ર્કોની સ્થિતિ જ્યાં સુધી એક કોટાકોટિ સાગરોપમની પણ હોય, એટલે કે-જીવે મોહનીય કર્મની ૭૦ માંથી ૬૯ કોટાકોટિ સાગરોપમની સ્થિતિ ખપાવી હોય, જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય-વેદનીય તથા અંતરાય એ ચાર કર્મોની ૩૦ માંથી ૨૯ કોટાકોટિ સાગરોપમની સ્થિતિ ખપાવી હોય અને નામ કર્મ તથા ગોત્ર કર્મની ૨૦ માંથી ૧૯ કોટાકોટિ સાગરોપમની
Page 105 of 234