________________
ચિંતવન થયેલું હોય એનો મિચ્છામિ દુક્કડમ્ આપવા માટે એ પાપથી પાછા વા માટે “અભઠ્ઠીઓ” વંદન કરે છે અને એ પાપોથી પાછો ફ્રે છે જેમ જેમ જીવ પાપોથી રહિત થતો જાય છે તેમ તેમ અંતરમાં સરળતા. ગુણ પેદા થતો જાય છે. પાપોથી રહિત થતા જા સરળતા ગુણની અનુભૂતિ પેદા ન થાય તો એ પાપોની આલોચના શલ્યપૂર્વકની ગણાય છે. જેમ જેમ પાપથી પાછો ફ્રે તેમ તેમ સરળતા ગુણ પેદા થવો જોઇએ. જો સરળતા ગુણ ન આવે તો કરેલો ધર્મ શલ્યપૂર્વક કરેલો છે એમ જ્ઞાની ભગવંતો કહે છે. જે સંખ્યાતા, અસંખ્યાતા, અનંતકાળ સુધી જીવને સંસારમાં રખડાવે છે.
આ રીતે અભઠ્ઠિઓથી વંદન કર્યા પછી ગરૂભગવંતની સાથે જે પાપ થઇ ગયા તેનો મિચ્છામિ દુક્કડમ્ દીધો તેથી ઉલ્લાસપૂર્વક દેવ વાંદણા કરવાના હોય છે. એ દેવવાંદણા દીધા પછી પ્રતિક્રમણ આવશ્યકથી મોટા ભાગના પાપોનો નાશ થયેલો હોય છે છતાં પણ જેમ શરીરમાં ગુમડુ વગેરે થયેલું હોય એની જેમ શલ્ય રૂપે જે કાંઇ પાપ રહી ગયેલા હોય એ પાપથી પાછા વા માટે કાઉસગ્ગ નામનું આવશ્યક શરૂ થાય છે. એ આવશ્યકની શરૂઆત કરતા જગતમાં રહેલા આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો તેમજ મુનિ ભગવંતોને ખમાવતા તેમજ સકલ જીવ રાશિને ખમાવીને પાતે સાવધ વેપારના ત્યાગ રૂપે પચ્ચખાણમાં રહેલો છું એ “કરેમિ ભંતે સૂત્ર બોલીને યાદ કરી જાય છે. તેમજ કયા કયા પાપોથી પાછો.
ર્યો તેને યાદ કરવા માટે ઇચ્છામિઠામિ સૂત્ર બોલે છે અને શલ્ય રૂપે રહેલા પાપને નાશ કરવા માટે ૫૦ શ્વાસોશ્વાસનો કાઉસગ્ગ એટલે કે બે લોગસ્સનો કાઉસગ્ગ કરે છે. ત્યાર પછી એક લોગસ્સનો કાઉસગ્ન કરે છે એના પછી પાછો ફ્રીથી એક લોગસ્સનો કાઉસગ્ગ કરે છે. આ રીતે ૧૦૦ શ્વાસોચ્છવાસનો (ચાર લોસ્સ) કાઉસગ્ગ પૂર્ણ થાય એટલે શલ્ય રૂપે રહેલા પાપો નાશ પામે છે. આ રીતે કાઉસગ્ગથી શલ્યના પાપથી રહિત થયો. જે ક્ષેત્રને વિષે પાપથી રહિત થયો તેમજ આરાધના જે થઇ એ આરાધનામાં સહાયભૂત થનાર ક્ષેત્ર દેવતાને યાદ કરી એક એક નવકારના કાઉસગ્ગથી એની ભક્તિ કરે છે અને આ રીતે પાંચમું કાઉસગ્ગ આવશ્યક પૂર્ણ થતાં છેલ્લું છઠ્ઠું આવશ્યક ઉલ્લાસપૂર્વક શરૂ કરતાં છઠ્ઠા આવશ્યકની મુહપત્તિનું પડિલેહણ કરે છે અને ઉભગવંત પાસે આ પાપોથી રહિત થયો એમને બે વાંદણાથી વંદન કરે છે અને વંદન કર્યા પછી જે પચ્ચખાણ કરવાનું હોય છે. તે વખતે તે પચ્ચખાણ કરે છે. આ રીતે છએ આવશ્યક પૂર્ણ થતા ીથી છએ આવશ્યકને નામ સાથે યાદ કરી જાય છે. ઉલ્લાસપૂર્વક આખા દિવસનાં પાપથી રહિત થયો એના આનંદ રૂપે નિકટના ઉપકારી જેના શાસનમાં આપણે આરાધના કરી રહ્યા છીએ એવા મહાવીર મહારાજાની સ્તુતિ ઉલ્લાસપૂર્વક મોટેથી બોલાય છે.
ઉલ્લાસપૂર્વક આખા દિવસમાં થયેલા પાપોથી પાછા ફ્રીને ૬ આવશ્યક પૂર્ણ થાય એટલે અંતરમાં એટલો બધો આનંદ થાય છેકે તીર્થંકર પરમાત્માઓએ આ પાપથી પાછા વાની ક્રિયા બતાવી ન હોત તો રોજે રોજના પાપ કરીને ગુણાકાર રૂપે પાપ કરીને પાપ થતા થતા મારા આત્માને કર્મથી કેટલો ભારે કરત. પાપથી પાછા વાની ક્રિયા બતાવેલી હોવાથી સંપૂર્ણ પાપ રહિત થઇ શકે એવી શક્તિ મારામાં નથી પણ રોજે રોજ થતા પાપથી પાછા ક્રવાની ક્રિયા અંતરમાં પાપનો ડર પાપની ભીરુતા પેદા થતા થતા એવી શક્તિ પેદા થતી જાય કે આ જીવનમાં સંપૂર્ણ પાપ રહિત થઇને જ હું મરણ પામું. આ ભાવના છે. આવશ્યકની ક્રિયા પ્રસન્નતાપૂર્વક કરતા કરતા અંતરમાં પેદા થતી જાય એ ભાવનાના વિચારોને વારંવાર યાદ કરતો જાઉં ને મારા આત્માનું સત્વ પેદા કરતો જાઉં. આ રીતે વિર્ષોલ્લાસ પેદા કરતા કરતા નિકટના ઉપકારી શ્રમણ ભગવાન મહાવીર મહારાજાની સ્તુતિ ઉલ્લાસપૂર્વક બોલાય છે એ સ્તુતિ ઉલ્લાસપૂર્વક
Page 60 of 67