SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપી રોગને વધારવા માટે કુપથ્યનું સેવન ગણાય છે માટે મારે એ કુપથ્યના સેવનથી બચવા માટે સત્વ કેળવીને કૂપથ્ય ત્યાગ કરવાનો પ્રયત્ન કરવો જોઇએ અને મોક્ષરૂપી આરોગ્યને પેદા કરવા માટે દેવ, ગુરૂ, ધર્મના સાધનોનો ઉપયોગ ભગવાનની આજ્ઞા મુજબ સત્વ કેળવીને કરતો જાઉં તો એ આરાધનાના. સુપથ્યથી મોક્ષમાર્ગમાં દાખલ થઇને ધીમે ધીમે આરોગ્ય પેદા કરતો થઇ શકું. આ રીતે પ્રયત્ન કરતો જાય તો ચોવીશે તીર્થંકર પરમાત્માઓ એવા આત્માઓ માટે આરોગ્યને આપનારા ગણાય છે. આરોગ્ય એટલે સકલ કર્મોથી રહિત થયેલા આત્માઓ કે જેઓએ પોતાનું સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપ પેદા કરેલું છે અને સદાકાળ માટે એની અનુભૂતિમાં કાળ પસાર કરી રહ્યા છે એવું જે સુખ એને આરોગ્ય એટલે મોક્ષ કહેવાય છે. એ આરોગ્યની આંશિક અનુભૂતિ પહેલા ગુણસ્થાનકમાં રહેલા આત્માઓ બીજા જીવોને દુ:ખી જોઇને પોતાની શક્તિ મુજબ એનું દુઃખ દૂર કરવા પ્રયત્ન કરતો જાય એવી જ રીતે પોતાનું અનુકૂળ પદાર્થોનું જે સુખ એના કરતા બીજા જીવોની પાસે અધિક સુખ જોઇને એટલે બીજાને સુખી જોઇને અધિક આનંદ પામતો જાય અને કોઇ પોતાને દુ:ખ આપે તો દુ:ખ વેઠીને સામા જીવને સુખી બનાવવાની ઇરછા રાખે એટલે પોતે દુ:ખ વેઠીને બીજાને સુખી બનાવતો જાય તોજ આરોગ્ય પેદા કરવાના માર્ગે આગળ વધતો જશે. આ રીતે પ્રયત્ન કરતા કરતા કુપથ્યના સેવનથી છૂટતો જશે અને સુપથ્યનું સેવન સારી રીતે કરતો થશે આને જ મોક્ષમાર્ગ કહેવાય છે. દ્રવ્ય આરોગ્ય એટલે શરીરની સુખાકારી, નિરોગી અવસ્થા જીવને પ્રાપ્ત થાય તે દ્રવ્ય આરોગ્ય કહેવાય છે. શરીરની સુખાકારી હોય તો જીવ સંસારની વૃદ્ધિ માટે પાપ સહેલાઇથી કરી શકે છે. એવી જ રીતે શરીરની સુખાકારી સારી હોય તો સુપથ્યનું સેવન સારી રીતે કરીને આત્મિક ગુણોને સારી રીતે પેદા કરી શકે છે. ચોવીશે તીર્થંકર પરમાત્માઓની સ્તવના, વંદના, પૂજના કરતા કરતા આત્મામાં રહેલો મોક્ષ એટલે સંપૂર્ણ શુધ્ધ સ્વરૂપ તે ભાવ આરોગ્ય કહેવાય છે. એ ભાવ આરોગ્ય પ્રાપ્ત કરવામાં મને સહાયભૂત થાવ અને ભાવ આરોગ્ય મને પ્રાપ્ત કરાવો એ માંગણી કરેલી છે. કારણ કે એ માંગણીથી દ્રવ્ય આરોગ્ય. અને ભાવ આરોગ્ય બન્ને પ્રાપ્ત થતાં જાય છે માટે એકલા દ્રવ્ય આરોગ્યની માગણી કરાતી નથી. જો એકલું દ્રવ્ય આરોગ્ય માંગતા કદાચ એકલું દ્રવ્ય આરોગ્ય મલી જાય પણ ભાવ આરોગ્યની પ્રાપ્તિમાં એ દ્રવ્ય આરોગ્ય સહાયભૂત થતું નથી માટે દ્રવ્ય આરોગ્યની માગણી કરાતી નથી. આથી ભાવ આરોગ્યની માગણી કરીને એને પેદા કરવાનો પુરૂષાર્થ કરવો જોઇએ. બોધિલાભ = સમકતા ચોવીશે તીર્થંકર પરમાત્માઓની સ્તવના, વંદના અને પૂજના કરતા ભાવ આરોગ્યના કારણરૂપ, મોક્ષમાર્ગમાં ચાલવાની શક્તિ પેદા થઇ એ ચાલતા ચાલતા જે રીતે તીર્થકરોએ ક્ષયોપશમ સમકીતની પ્રાપ્તિ કરી એજ રીતે મારા આત્મામાં ક્ષયોપશમ સમકીત રૂપ બોધિલાભ પેદા કરવામાં સહાયભૂત થાઓ અથવા એવી રીતે ગ્રંથીભેદ કરીને હું પણ પુરૂષાર્થ કરીને ક્ષયોપશમ સમકીત પામું એવી શક્તિ આપો. જૈન શાસનમાં દુ:ખી જીવો પ્રત્યે-નિરાધાર પ્રત્યે દયાનો પરિણામ કરવાનો કહ્યા છે એમ એનાથી વિશેષ સુખી અને શ્રીમંત જીવોને માટે દયાનો પરિણામ વિશેષ રીતે પ્રાપ્ત કરવાનો કહેલો છે. એવી જ રીતે પોતાના આત્માનો પણ, અનુકૂળ સામગ્રીના રાગાદિ પરિણામ વધતા જતા હોય તો પોતાના આત્માની Page 65 of 75
SR No.009171
Book TitleAvashyak Kriyana Sutronu Rahasya Darshan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages75
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy