________________
નામ સુપાર્શ્વનાથ રાખ્યું છે.
(૮) ચન્દ્રપ્રભુ સ્વામી ભગવાન
જેમના શરીરની શોભા એટલે કે પ્રભા ચન્દ્ર જેવી છે માટે ચન્દ્રપ્રભુ નામ પાડ્યું છે. આવી રીતે તો સુવિધિ આદિ પણ એવા છે.
પણ બીજા અર્થ પ્રમાણે ભગવાન ગર્ભમાં હતા ત્યારે માતાને ચંદ્રવાનનો દોહલો પેદા થયો તેથી ચન્દ્રપ્રભુ નામ રાખવામાં આવ્યું છે.
(૯) સુવિધિનાથ ભગવાન
વિધિ = વિધાન અથવા ક્રિયા. જૈન ક્રિયા સુંદર છે તેને સુવિધિવાળા કહેવાય છે. એવા અર્થમાં દરેક તીર્થકરો છે.
બીજા અર્થમાં ભગવાન જ્યારે ગર્ભમાં હતા ત્યારે એમની માતા બધી વિધિઓમાં કુશળ બન્યા માટે સુવિધિનાથ નામ રાખ્યું છે.
(૧૦) શીતલનાથ ભગવાન
જે શીતલ વચનવાળા છે, લેગ્યાથી પણ શીતલ છે તેથી શીતલ કહેવાય છે. આ રીતે તો દરેક તીર્થકરો એવા જ હોય છે.
બીજા અર્થમાં ભગવાન જ્યારે ગર્ભમાં હતા ત્યારે એમના પિતાના શરીરે દાહ પેદા થયેલો છે. માતાએ પોતાના હાથથી પિતાના શરીરને સ્પર્શ કર્યો ને દાહ શાંત થઇ ગયો માટે શીતલનાથ નામ રાખ્યું છે.
(૧૧) શ્રેયાંસનાથ ભગવાન
શ્રેય એટલે અંસ. શ્રેય = પ્રશંસનીય અંસ = શરીરના અંગો. જેમના શરીરના અંગો પ્રશંસનીય છે એમને શ્રેયાંસ કહેવાય છે.
બીજા અર્થ પ્રમાણે ભગવાન ગર્ભમાં હતા ત્યારે માતાને કિંમતી શય્યા ઉપર આરૂઢ થવાનો દોહલો. પેદા થયો એવી કિંમતી શય્યા ઉપર કોઇપણ આરૂઢ થાય તો કુલ દેવતા આરૂઢ થવા દેતો નહોતો અને તે વખતે ભગવાનની માતા એ શય્યા ઉપર આરૂઢ થયા અને દેવતા નાશી ગયો તેથી માતા પિતાએ શ્રેયાંસ નામ રાખ્યું છે. • જીવના પરિણામની વિશુદ્ધિ થતી જાય તેમ તેમ તેની ભક્તિ વિશુધ્ધ થતી જાય છે.
(૧૨) વાસુપૂજ્ય સ્વામી ભગવાન
ભગવાન માતાના ગર્ભમાં હતા ત્યારે આનંદથી પૂર્ણ મનવાલો ઇન્દ્ર માતાની વસ્ત્ર આભુષણ વગેરેથી સતત પૂજા કરતો હતો માટે પિતાએ ખુશ થઇને વાસુપૂજ્ય નામ સ્થાપન કર્યું.
(૧૩) વિમલનાથ ભગવાન
Page 50 of 75