________________
દરેક તીર્થકરના આત્માઓ પોત પોતાના તીર્થની અપેક્ષાએ ધર્મતીર્થને સ્થાપનારા ધર્મતીર્થની. સ્થાપના કરનારા કહેવાય છે અથવા પોતાના શાસનની આદિ કરનારા હોવાથી ધર્મતીર્થ કરનારા પણ કહેવાય છે. ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. ગણધરોની સ્થાપના કરે છે. દ્વાદશાંગીની સ્થાપના કરે છે એ ધર્મતીર્થની સ્થાપના કહેવાય છે. આથી ધર્મતીર્થન કરનારા એવા અરિહંતો એટલે કે ચોવીશ તીર્થકરોની. હું સ્તવના કરું છું. એમ બીજી પદનો ભાવ છે.
તીર્થકર નામકર્મ નિકાચીત રૂપે ઉત્કૃષ્ટથી એકલાખ પૂર્વ વરસમાં એક હજાર વર્ષ ઓછી એટલી સ્થિતિ બંધાય છે અને જઘન્યથી ત્રીશ વરસમાં કાંઇ ઓછી એટલી સ્થિતિ નિકાચીત થયેલી હોય છે.
આથી એ નિશ્ચિત થાય છેકે દરેક જીવોને કર્મોની સ્થિતિ જે બંધાય છે તે એક સરખી રીતે નિકાચીત થતી નથી. કેટલાક જીવોને શરૂઆતની નિકાચીત હોય, કેટલાક જીવોન વચલી સ્થિતિ નિકાચીત હોય, કેટલાક જીવોને છેલ્લા અંતર્મુહૂર્તની સ્થિતિ નિકાચીત હોય એમ અનેક વિકલ્પો નિકાચીત સ્થિતિના થઇ શકે છે.
જૈન શાસનમાં જિન તરીકે છ જિન કહેલા છે.
(૧) તીર્થકર જિન, (૨) સામાન્ય કેવલી જિન, (૩) મન:પર્યવજ્ઞાની જિન, (૪) અવધિજ્ઞાની જિન, (૫) ચૌદપર્વે જિન અને (૬) દશપૂર્વી જિન.
એ છ પ્રકારના જિનોમાં બે કેવલી જિનો હોય છે બાકીના છદ્મસ્થ જ્ઞાની જિનો કહેવાય છે. દશપૂર્વી સુધીનાં એટલે દશપૂર્વથી શરૂ થતાં જિનો નિયમા સમકતી હોય છે આથી આગમના આધારે એ જીવોને બીજા જીવોના લાભના કારણે જે કરવા યોગ્ય હોય તે કરવાની છૂટ હોય છે એટલે કે એ જીવો જીવન શ્રતના આધારે હોવાથી આગમ વ્યવહારી જીવો કહેવાય છે. આ છમાં ઉત્કૃષ્ટથી તીર્થકર કેવલી જિન ગણાય છે કારણ કે તીર્થંકર નામકર્મની નિકાચના ના પુણ્ય પ્રકર્ષના ઉદયથી આઠ પ્રાતિહાર્યથી યુક્ત હોય છે માટે એ જીવોને તીર્થંકર જિન અથવા અરિહંત જિન કહેવાય છે. આ કારણોથી તીર્થકર કેવલી. જિનો જીનેશ્વર કહેવાય છે. કારણ કે મોક્ષનો માર્ગ બતાવનાર એજ જિનો હોય છે. માર્ગ બતાવનાર માર્ગની સ્થાપના કરનાર એમના સિવાય બીજા કોઇ હોતા જ નથી.
અહીં ધર્મતીર્થની સ્થાપના કરનાર જીનેશ્વરની એટલે જિનની હું સ્તવના કરું છું આથી અહીં તીર્થકર જિન સમજવા.
દશપૂર્વી જીવો જગતના વિષે રહેલા જીવોના અસંખ્યાતા ભવો જાણી શકે છે અને જોઇ શકે છે તથા કહી શકે છે.
ધર્મનો માર્ગ બતાવનાર માર્ગની સ્થાપના કરનાર જગતમાં એમના સિવાય બીજુ કોઇ નથી માટે એ ધર્મ તીર્થની સ્થાપના કરનારની હું સ્તવના કરું છું.
અવધિજ્ઞાની જીવો સન્ની પર્યાપ્ત જીવોના ભવોને કહી શકે છે અને સંખ્યાતા ભવો જોઇ શકે છે અને કહી શકે છે.
પરંતુ શ્રુતજ્ઞાનની આગળ અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાનની કિંમત ગણાતી નથી કારણ કે એ જ્ઞાનથી. પુદ્ગલો દેખી શકે છે પણ એ પુદ્ગલો કયા પ્રકારના છે કોના છે એ જાણવા માટે શ્રુતજ્ઞાન જોઇએ જ મન:પર્યવજ્ઞાન અઢીદ્વીપમાં રહેલા સન્ની જીવોના મનો પુદ્ગલો જોવા પુરતું જ છે.
ત્રીજુ પદ – અંરહ ડિત ઈરલ્સ
Page 40 of 75