________________
શ્રી પંડિતનું સમાધિમરણ
TI, STT
શ્રી પંડિતની પથારી પાસે પ્રભુશ્રી આવ્યા ત્યારે તે તાવને કારણે કંઈક અસ્વસ્થ હતા. પરંતુ શ્રી શારદાબેને કહ્યું, ભાઈ, અગાસ આશ્રમમાંથી પ્રભુશ્રી આવ્યા છે.
તે સાંભળી તે ભાઈ તો ઘણા આનંદમાં આવી ગયા અને પ્રભુશ્રી પ્રત્યે અત્યંત આભારની લાગણી દર્શાવતાં હાથ જોડી નમન કર્યું. પછી પ્રભુશ્રીએ એકઘારો અદ્ભુત બોધ વરસાવ્યો. શ્રેણિક રાજાના પૂર્વ ભવનું દ્રષ્ટાંત કહ્યું. પછી કહ્યું : શ્રેણિક રાજાએ ભીલના ભાવમાં માત્ર કાગડાનું માંસ શાની મુનિ સમક્ષ ત્યાખ્યું હતું તેથી તે ત્યાંથી ભરી દેવ થઈ શ્રેણિક થયા અને અનંત સંસાર ટાળી એક ભવમાં મોક્ષે જશે.
જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધવાનું અચિંત્યમાહાભ્ય જ્ઞાની પુરુષની આજ્ઞા આરાઘવાનું આવું અચિંત્ય માહાભ્ય સાંભળી શ્રી પંડિતને ઘણો ઉલ્લાસ આવ્યો અને પોતાના આત્મહિતની ભાવના જાગી. એટલે પ્રભુશ્રીએ તેમને સાતે ય વ્યસનનો ત્યાગ કરાવ્યો તથા મંત્રસ્મરણ આપી દેહ અને આત્માના ભિન્નપણા વિષે બોઘ આપ્યો. તેથી તે ઘણા જ ઉલ્લાસમાં આવી ગયા. એમ એકઘારો સતત બોઘ વરસાવી, અપૂર્વ જાગૃતિ આપી, સમાધિમરણની સન્મુખ કરી, અપૂર્વ આત્મહિતમાં પ્રેરી પ્રભુશ્રી પાછા ફર્યા. અને કેટલાક મુમુક્ષુઓને તેમની પાસે આત્મસિદ્ધિ આદિનો સ્વાધ્યાય કરવા ત્યાં રાખ્યા. તેમણે જ્ઞાની પુરુષનાં વચન તેમના કાનમાં સતત રેડ્યા જ કર્યા. તેથી તે ભાઈ વ્યાધિ કે મરણનાં દુઃખને ભૂલી જઈ તે બોધવચનોમાં જ તલ્લીન થતા ગયા અને રોગ, મરણાદિ તો શરીરમાં જ છે, હું તો તેનાથી ભિન્ન “શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ', એમ આત્મસિદ્ધિની ગાથાઓમાં જણાવ્યો તેવો છું. એમ માની આત્મભાવનામાં લીન થવા લાગ્યા. એવી ઉત્તમ ભાવનામાં તે રાત્રે તેમનો દેહ છૂટી ગયો અને તે અપૂર્વ હિત સાધી ગયા.