________________
આત્મા પામેલા પુરુષની દ્રષ્ટિ પડવાથી
પ્રતિમાઓ સજીવન પૂના ચોમાસુ કર્યા પછી પંદર દિવસે પ્રભુશ્રીજી બાહુબલી જવા રવાના થયા. હુબલી, ઘારવાડ, મૈસુર, બેંગલોર થઈ શ્રવણબેલગોલા ગયા. સવારમાં પહાડ ઉપર ચડી બાહુબલિની મૂર્તિ આગળ ધ્યાનમાં ઊભા રહ્યા પછી થોડી ભક્તિ કરી નીચે ઊતર્યા. ઘર્મશાળામાં બઘા બેઠા હતા ત્યારે એક મુમુક્ષુએ પૂછ્યું : જ્ઞાનીપુરુષ પોતે જ્ઞાની છે તો દર્શન કરવા શા માટે વિચરતા હશે?
પ્રભુશ્રીજી બોલ્યા : મંદોદરીએ પોતાના દર્શન માટે એક વિદ્યાઘર પાસે રત્ન વડે કોતરાયેલી આ બાહુબલીની પ્રતિમા છે. ઘણો સમય થયો. અવરાયલી પ્રતિમાઓ હોય તે આત્મા પામેલા પુરુષની દ્રષ્ટિ પડે તો સજીવન થાય. અને ઘણા યોગ્ય જીવો સમકિત પામે. તથા બીજા પણ ઘણા જીવો ઘણા કાળ સુધી પુણ્ય બાંધે. શ્રી રામ, સીતાએ પણ આ મૂર્તિના દર્શન કરેલ છે.
ભરી સભા મધ્યે ભૂલની માફી. સ્મરણમંત્ર આપવાની આજ્ઞા
પ.પૂ.પ્રભુશ્રીજીનું પૂનામાં ચોમાસું હતું. ત્યાં બાંધણીના પ્રભુશ્રીજીની તબિયત નરમ હતી તે વખતે એક બે મુમુક્ષુ
ભગવાનભાઈ પણ તેમના કુટુંબ સાથે આવેલા. ઘણા મુમુક્ષુઓ ગુણચંદજી મહારાજને પ્રભુશ્રીજી આગળ લઈ જાય અને કહે કે એમને સ્મરણમંત્ર આપવાનું સોંપો. તે વખતે પ્રભુશ્રીજી અવળા
હતા. એકવાર ભગવાનભાઈએ કહ્યું આ બધા કંઈ ભક્તિ કરવા ફરી જાય. એમ ત્રણ ચાર વખત બનેલું. પછી પ્રભુશ્રીજીએ
આવે છે? કોઈ જોવા આવે છે, કોઈ ફરવા આવે છે. આ વાત બ્રદાચારીજીને સ્મરણમંત્ર આપવાની આજ્ઞા કરી હતી. જે યોગ્ય
પ્રભુશ્રીજીના કાન સુધી પહોંચી. પ્રભુશ્રીજીએ જમ્યા પછી હોય તેને જ ઘર્મ સોંપાય.
ભગવાનભાઈને બોલાવ્યા અને કહ્યું તમે આવું બોલ્યા હતા? હા
પ્રભુ, બોલ્યો હતો. ત્યારે પ્રભુશ્રીજીએ કહ્યું : કાલે ભરી સભામાં હમ દિવાના રાજકા કિસીકો માર બેઠુંગા
માફી માંગો. ભગવાનભાઈએ બીજે દિવસે ભરી સભામાં માફી કાવિઠામાં એક ચોતરા તરફ પ્રભુશ્રી ભક્તિની ધુનમાં માંગી હતી. તેમજ આ ભૂલનો બે દિવસ સુધી તેમને પશ્ચાત્તાપ બેઠેલા હતા. ત્યાં લીલા કલરની ભમરી પ્રભુશ્રીના કાનમાં જાય
રહ્યો હતો. અને પાછી બહાર આવે. ગોળ ગોળ ફરીને પાછી કાનમાં આવજા કરે. તે શંકર ભગતે જોયું. તેથી પોતાની પાસે કપડું હતું તેનાથી ઉડાવવા માટે તે ચોતરા ઉપર ચઢ્યા કે પ્રભુશ્રીજી પીંછી લઈ પગના ઘુંટણ ઉપર ઊભા થઈને બોલ્યા કે “હમ દિવાના રાજકા કિસીકો માર બેઠુંગા.” આવું જોઈને શંકર ભગત તો ત્યાંથી આઘા ખસી ગયા કે જાણે શું કરી નાખશે. પણ પ્રભુશ્રીને ભક્તિની ધુનમાં ભમરી ક્યાં આવે અને ક્યાં જાય તેની પણ ખબર નહોતી.
શ્રી છીતુભાઈ, પિતાશ્રી શ્રી ડાહ્યાભાઈ, શ્રી દિનુભાઈ, માતુશ્રી, શ્રી ગોપાળભાઈ
૧૮૬