SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ સુરત રોકાઈ જ્યાં જ્યાં પરમકૃપાળદેવ વિચરેલા તે તે પવિત્ર સ્થાનોમાં રોજ દર્શન કરવા જતા અને ભક્તિના પદો ઘણા ઉલ્લાસભાવથી બોલતા. ત્યાંથી નરોડા આવ્યા. નરોડા વર્તમાનમાં બનેલ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સુરત સં.૧૯૯૯ના પોષ સુદ પૂનમને દિવસે શ્રી મનહરભાઈને ત્યાં ચિત્રપટોની સ્થાપના કરવા પૂજ્યશ્રી સુરત પધાર્યા. ત્યાં વિધિ સહિત સ્થાપના કરી ઘામણ, સડોદરા, ભુવાસણ વગેરે સ્થળોએ જઈ ત્યાંથી સીઘા આહોર પધાર્યા. આહોર પરમકૃપાળુદેવ બિરાજેલ ત્યાં વર્તમાનમાં બનાવેલ દેરી, નરોડા નરોડા બે દિવસ રોકાયા. ગામ બહાર જ્યાં પરમકૃપાળુદેવ બિરાજેલા તે સ્થાને ઓટલો બંધાવેલ છે. ત્યાં બઘા બેઠા. પછી પૂ.શ્રીએ શ્રી વસ્તીમલજીને “અપૂર્વ અવસર” બોલવાની આજ્ઞા કરી અને બીજા બધાને મૌન ઘારણ કરી ધ્યાનમાં બેસવા જણાવ્યું. તે અવસરે જે ઉલ્લાસભાવથી “અપૂર્વ અવસર” બોલાયો હતો તેની કલ્પના પણ ન કરી શકાય. નરોડાથી મુમુક્ષુઓ આશ્રમમાં આવ્યા. પૂજ્યશ્રી ત્રણ મુમુક્ષુઓ સાથે અમદાવાદમાં શ્રી જેસીંગભાઈ શેઠને ત્યાં ત્રણ દિવસ રોકાયા. શેઠજીને ઘણો ઉલ્લાસ અને આનંદ થયો હતો. ભક્તિ સ્વાધ્યાય તેમના બંગલામાં જ થતો. ત્યાંથી સીધા આશ્રમ આવવાનું બન્યું. આ વખતે સુરત જિલ્લામાં, રાજસ્થાનમાં તેમજ ઈડર વગેરે મળી કુલ ત્રણ મહિનાની યાત્રા સુખે પૂર્ણ થઈ. વવાણિયા પ્રતિષ્ઠા વર્તમાનમાં બનેલ શ્રી રાજમંદિર-આહોર ત્યાં રાજમંદિર પાસે મકાનમાં પૂ.શ્રી બ્રહ્મચારીજીનો ઉતારો હતો. મુમુક્ષુ ભાઈ-બહેનોથી આખું રાજમંદિર ભરાઈ જતું. અને અત્યંત ઉલ્લાસભાવથી ભક્તિ વાંચનાદિ થતા હતા. ૨૧ દિવસ આહોરમાં સ્થિરતા કરી પૂજ્યશ્રી ઈડર પધાર્યા. ઈડર પ્રતિષ્ઠા E વર્તમાનમાં બનેલ શ્રી ચંદ્રપ્રભુની દેરી ઈડરમાં સિદ્ધશિલાની સામે ટેકરી ઉપર શ્રી ચંદ્રપ્રભુસ્વામીના પાદુકાજીની સ્થાપના પ્રસંગે આવવું થયું. પૂજ્યશ્રી તથા મુમુક્ષુભાઈબહેનો અગિયાર દિવસ ત્યાં પહેલાં બનેલ શ્રીમદ્ રાજચંદ્ર જન્મભવન, વવાણિયા ૧૭૧
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy