________________
(૯) “જગતના ભોગવિલાસને મૂંઝાવારૂપ જાળ સમાન જાણે છે.” એટલે જગતમાં જે ભોગવિલાસ છે તેથી મૂંઝાય છે કે હું ક્યારે આ બંધનમાંથી છૂટું અને આત્માનું હિત કરું; એવી ભાવના રહે છે. ભોગવિલાસને, કેદીને જેલની જેમ બંધનરૂપ માની તે પુરુષો મૂંઝાય છે અને તેથી છૂટવાના જ વિચાર કરે છે. બીજામાં પ૨વસ્તુમાં એમની બુદ્ધિ હોતી નથી.
—
(૧૦) “ઘરવાસને ભાલા સમાન જાણે છે.” ઘરમાં રહેવું તે એમને શૂલી પર રહેવા જેવું લાગે છે. તેથી તેમાં મન પરોવતા નથી. પણ આત્મામાં જ મન રાખે છે.
(૧૧) “કુટુંબના કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે.” ઘરના કાર્યો છે તે મૃત્યુને વધારનાર છે.એમ જાણીને તે કાર્યોમાં ઉદાસીન રહે છે, તેમાં રાજી થતા નથી. જેથી આત્માનું કાર્ય બગડે તે કાર્યને મરણરૂપ જાણે છે.
(૧૨) “લોકમાં લાજ વધારવાની ઇચ્છાને મુખની લાળ સમાન જાણે છે.” એટલે મુખમાંથી લાળ પડે તો ઝટ લૂંછી લઈએ છીએ, લાળ વધારવાની ઇચ્છા કરતા નથી તેમ પરમપુરુષો લોકામા લાજ વધારવાની ઇચ્છા કરતા નથી.
(૧૩) ‘કીર્તિની ઇચ્છાને નાકના મેલ જેવી જાણે છે.’ એટલે જેમ નાકમાંથી લીટ પડે તો તેને ઝટ લૂંછી લે છે. તેને વધારવાની ઇચ્છા કરતા નથી. તેમ પરમપુરુષો યશ-કીર્તિને વધારવાની ઇચ્છા કરતા નથી.
(૧૪) “પુણ્યના ઉદયને વિષ્ટા સમાન જાણે છે.’
પત્રાંક ૮૧૯નું વિવેચન
(પૂજ્યશ્રી બ્રહ્મચારીજીના અપ્રગટ બોધમાંથી) (ૐૐ ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને...પત્ર વંચાવ્યો) પૂજ્યશ્રી—કોઈ મુમુક્ષુએ પોતાનો ખેદ અટકાવવા માટે પત્ર લખવાનું જણાવતાં, પરમકૃપાળુ
દેવે તેનો જવાબ આ પત્રમાં લખ્યો છે. મુમુક્ષુ જીવ હોય તેને જ વિષયકષાય આદિ વિશેષ વિકાર કરી જાય ત્યારે ખેદ થાય છે. જેટલું મુમુક્ષુપણું વધારે હોય તેટલો ખેદ વિશેષ થાય છે. ત્યારે જ્ઞાનીપુરુષોએ તે ખેદને અટકાવવા માટે શૂરવીર થવાનું કહ્યું છે. ખેદ કરે તો ઊલટાં કર્મ બંધાય છે. માટે ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને તે વિષય-કષાયોને હઠાવે છે. પાંચ ઇન્દ્રિયના વિષયો, ક્રોધ, માન, માયા, લોભ, રાગ-દ્વેષાદિ વધારે થાય ત્યારે શૂરવીરતાથી મુમુક્ષુ પુરુષો, તે વિષયાદિ પ્રત્યે તિરસ્કારવૃત્તિથી
જોઈને, જ્ઞાનીપુરુષોના વચનોનું અવલંબન લઈ તેમના ચરિત્રોનું સ્મરણ કરી, પોતે પોતાને વારંવાર નિંદે છે. જેમ કે હે જીવ! તું જો આમ જ વિષયોમાં ફસીને રહીશ તો નરકનાં અનંત દુઃખ વેઠવા પડશે. તને તો જ્ઞાનીપુરુષનું શરણું મળ્યું છે. છતાં તું આમ જ વર્તીશ તો પાછા અનંત દુઃખ વેઠવા પડશે, અને તું મોક્ષસુખને કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ? તારે તો જ્ઞાનીપુરુષ પડખે છે. માટે તેમણે જે આજ્ઞા કરી છે તેને જ તું માન્ય કરી, જેમ બે યોદ્ધા લડાઈમાં લડે છે તેમાં એક હારી જાય છે તો તેને ખેદ થાય છે અને પાછો તે બીજા યોદ્ધાની સાથે લડીને તેને જીતી લે છે, તેમ તું પણ તે દુષ્ટ વિષયો કે જે તને બહુ દુઃખ દેનાર છે, તેને જીતી લે અને મોક્ષના અનંત સુખને પામ. જો તું આમ જ (વિષયકષાયાદિમાં) વર્તીશ તો તને જ્ઞાનીપુરુષ મળ્યા પણ શા કામના? આત્માર્થી જીવો, જ્ઞાની પુરુષોની જે આશા છે તેને અખંડ રીતે આરાથી, તે મહાપુરુષોના ચરિત્રોનું સ્મરણ કરી એટલે તે પુરુષોએ કેવી રીતે વિષય-કષાયોને જીત્યા છે, તેનું સ્મરણ કરી અને તેમના વાક્યોનો વિચાર કરી જ્યાં સુધી તે વિષય-કષાયોને ન હઠાવે ત્યાં સુધી નીચે મને બેસતા નથી. આત્માને આ રીતે વારંવાર શૂરવીરતાનો બોધ કરી, તેને શૂરવીર બનાવી તેને વશ કરે છે. એમ જ આત્માર્થી જીવો પોતાના મનને વશ કરી ને અંતે જય પામ્યા છે. જેમ એ વિષય-વિકારોને હઠાવવા માટે પોતે બળ કરે છે, તેમ તે વિષયો પણ બહુ હઠ કરી લે છે. પણ વારંવાર જ્ઞાની પુરુષોના ચરિત્રોનો વિચાર કરી, તેમના વચનોનો વિચાર કરી, તે વિષયોને હઠાવી આખરે આત્મા જ જય પામે છે. કેમ કે કર્મ તો આવીને ચાલ્યા જાય છે. પણ તેમાં શાંતિથી બેસાતું નથી. તેમને બળ કરી નહીં હઠાવે ત્યાં સુધી પુરુષાર્થ કર્યે જ છૂટકો છે. નહીં તો કર્મોનો જય થઈ જાય છે. માટે આત્માનો જય કરવા માટે શૂરવીર થવાની જરૂર છે. અને તો જ મોક્ષ મળશે.
આ વાત મુમુક્ષુજીવોએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે. એટલે ફરી એ વિષય-વિકારો નહીં ઊઠે તેમ આ આત્માને શૂરવીર બનાવવા માટે વારંવાર આ વાતનો વિચાર કરી, તે પ્રસંગમાં પોતાનો આત્મા ન તણાઈ જાય તેમ લક્ષ રાખી શૂરવીર બનવું જોઈએ.
૧૫૬
પ્રશ્ન—સત્પુરુષમાં પરમેશ્વરબુદ્ધિ કેમ થાય?
પૂજ્યશ્રી—મોહ, મિથ્યાત્વ આદિ સંસારના ભાવ ઘટે; વૈરાગ્ય વધે ત્યારે સત્પુરુષોનું માહાત્મ્ય સમજાય છે. અને સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આવે છે. માટે સંસારનો મોહ ઓછો કરવો. બધાથી નાના અધમાધમ થઈને રહેવું. સત્પુરુષોનો બહુ વિનય કરવો.