SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ સ, આ બધું પ્રેક્ટિકલ નથી, રસ્તામાં પૈસા વિના જવાય નહિ ને અશુચિસ્થાનમાં લઇને જવું પડે તો શું કરવું ? પૈસા લઇને ન જવું. લઇ ગયા હોઇએ તો પાકીટ-કાગળિયા બાજુ પર મૂકીને જવું. કોઇ ઉપાડી જશે – એવો ભય રાખવાની જરૂર નથી. આપણું નસીબ લઇ જાય છે અને નસીબ આપે છે. અક્ષરવાળી વસ્તુનો ઉપયોગ ન કરાય આવું જાણ્યા પછી જો એ પ્રેક્ટિકલ ન લાગતું હોય તો સાધુપણામાં આવી જવું. આ સંસારમાં પાપ કર્યા વિના જીવી શકાય એમ નથી – એવું જે દિવસે લાગશે તે દિવસે સાધુપણું લેવાનું મન થયા વિના નહિ રહે. સંસારમાં રહીને જ્ઞાનની આશાતનાથી બચવાનું કામ સહેલું નથી. સુત્રો ભણવું, ભણીને યાદ રાખવું - એ જ્ઞાનની આરાધના છે; જ્ઞાન ભણવું નહિ, ભણીને ભૂલવું - એ જ્ઞાનની વિરાધના છે અને એઠાં મોઢે બોલવું, અક્ષરવાળી વસ્તુ પર પગ મૂકવો તે પાસે રાખીને આહાર-નીહાર કરવો : આ જ્ઞાનની આશાતના છે. આ ત્રણે વસ્તુ સમજીને ચાલવું છે. પુસ્તકને પરસેવાની હાથ ન લાગે તે માટે હાથમાં રાખીને ન વાંચવું, ટેબલ-સાપડા પર રાખીને વાંચવું, તે પણ નાભિથી ઉપર રાખવું. પુસ્તક બગલમાં ન ઘલાય, થેલીમાં લટકતું ન ઉપાડાય. આ જ્ઞાનની આશાતનાથી બચવા માટે એક વરસ સુધી પ્રયત્ન કરે તો બીજા વરસે સાધુ થયા વિના ન રહે. જ્ઞાનની આરાધના કરતા નથી માટે ચારિત્ર મળતું નથી. કારણ સેવે તો કાર્ય સિદ્ધ થયા વિના ન રહે. તકલીફ એ છે કે કાર્યનીફળની ઇચ્છા જ નથી અને કારણ સેવે છે, તો ફળ ક્યાંથી મળે ? સ) ગીતામાં ફળની ઇચ્છા રાખવાની ના પાડી છે ને ? ગીતા આપણી નથી અને આવી વાત તો સામર્થ્યયોગની છે. અસમર્થ લોકો સામર્થ્યયોગની વાત કરે એ ન ચાલે. જે ફળની ના પાડી છે તે તો આ લોક કે પરલોકસંબંધી સાંસારિક ફળની ના પાડી છે. બાકી મોક્ષની પણ ઇચ્છા ન હોય એ તો સંમૂચ્છિક અનુષ્ઠાન કહેવાય. જ્યાં સુધી સંસારની ઇચ્છા પડી છે ત્યાં સુધી મોક્ષની ઇચ્છા કરવી જ પડશે. સંસારની ઇચ્છાને કાપવા માટે મોક્ષની ઇચ્છાને ઉત્કટ કોટિની બનાવ્યા ૩૦૪ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર વિના નહિ ચાલે. જ્યારે સંસારની ઇચ્છા નાશ પામે ત્યારે સર્વત્ર ઔદાસીન્ય કેળવીશું. અત્યારે તો ચારિત્ર પામવા માટે જ્ઞાનની આરાધના કરવા તૈયાર થઇ જવું છે. મોક્ષમાં જવા માટે સાધુ થવું છે. સાધુ થવા માટે જ્ઞાન ભણવા તૈયાર થયું છે. ભણેલું ભૂલવું નથી, નવું ભણવા પુરુષાર્થ કરવો છે. (૧૩) વધપરીષહ : દુ:ખ ભોગવવું એ મહત્ત્વનું નથી, દુઃખ કઇ રીતે ભોગવીએ છીએ એ મહત્ત્વનું છે. દુઃખ ભોગવવાનું કામ તો આપણે અનાદિકાળથી કરીએ જ છીએ, પરંતુ તે ભગવાનની આજ્ઞા મુજબ ભોગવ્યું ન હોવાથી આપણી દુ:ખની પરંપરાનો અંત નથી આવતો. તેથી શાસ્ત્રકારો દુ:ખ ભોગવવાનો ઉપદેશ નથી આપતા, આજ્ઞા મુજબ દુ:ખ ભોગવવાનો ઉપદેશ આપે છે, એ માટે જ આ પરીષહ અધ્યયનની વાત છે. આક્રોશપરીષહ પછી વધપરીષહ એટલા માટે જણાવ્યો છે કે ઘણા લોકો એવા હોય છે કે તેઓ આક્રોશ કરીને સંતોષ ન પામે તો વધ કરવા સુધી પણ પહોંચે. આ રીતે કોઇ જો સાધુનો વધ કરે તો તેવા વખતે સાધુભગવંત કોઇ પણ જાતનો ગુસ્સો ન કરે. અહીં આ વસ્તુ ન સંગને પદથી સમજાવી છે, તેનું કારણ એ છે કે સાધુ પાસે સંજવલનના જ કષાય હોય છે. તે સંજવલનનો ક્રોધ પણ કરવો નહિ – તે સમજાવવા ઓ ન સંગને મવડૂ આ પદ આપ્યાં છે. સાધુ હણાય તોપણ સંજવલનનો ગુસ્સો પણ ન કરે. અનંતાનુબંધીના અપ્રત્યાખ્યાનીના કે પ્રત્યાખ્યાનીના કષાય તો સાધુ પાસે હોય જ નહિ. દુઃખ છેલ્લામાં છેલ્લી કક્ષાનું આવે છતાં કષાય અલ્પ પણ ન કરવો – એ જણાવવાનું અહીં તાત્પર્ય છે. આ રીતે ગુસ્સો તો કરવો નહિ અને મનથી પણ પ્રબ કરવો નહિ. ‘મારા જેવાને હણીને તું ક્યાં જઇશ ?' આવો ષ ધારણ ન કરવો. સાધુની હત્યા કરવા માટે કોઇ આવે તો ત્યારે સાધુ એની દુર્ગતિનો વિચાર કરવા ન બેસે, એ વખતે એની હિતચિંતાથી પણ ગુસ્સો કે દ્વેષ ન કરે. મહાશતકશ્રાવક પ્રતિમાપારી હતા ને તેમની પત્ની મદિરા પીને ઉપસર્ગ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૩૦૫
SR No.009158
Book TitleUttaradhyayana Sutra Pravachano
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages222
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy