SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પામી શકે? લોકો આપણને ધર્માત્મા ગણે તે માટે નથી કરવું. જૈનો ખરાબ કામમાં આગળ હોય તો લોકો જૈન ધર્મની નિંદા કરવાના અને જૈનો સારા કાર્યમાં આગળ હશે તો લોકો જૈન ધર્મની પ્રશંસા કરવાના. હું આવાને માનતો નથી એવું બોલવાના બદલે એમને મનાવવા છે – એવું કહો. આપણે નમીએ નહિ પણ પેલા આપણા ગુરુને નમે એવું કરવું છે. સ0 આપણે વેત નમીએ તો સામો હાથ નમે ને ? વંત નમવાની રીત જ તમને બતાવી. તમે તો માથું નમાવીને આવો અને પૈસા ન નમાવો. માથું નમાવાની જરૂર નથી પૈસા નમાવાની જરૂર છે. સામાન પહોંચાડવાનો, ગોચરીપાણી સાચવવાનાં, દવા વગેરે બધું જ સાચવવાનું, માત્ર વંદન નહિ કરવાનું. પેલાને પોતાને થશે કે કંઇક ખામી મારામાં છે માટે વંદન નથી કરતો. સ0 એ પૂછે કે વંદન કેમ નથી કરતા તો ? યોગ્ય હશે એ પૂછશે જ નહિ, જાતે જ વિચારશે. અને છતાં પૂછે તો કહી દેવાનું કે આપ અતિથિ છો માટે સાચવીએ છીએ પણ માર્ગમાં નથી માટે વંદન નથી કરતા. સવ એટલું સત્ત્વ ન હોય. તો બધી તકલીફ છે જ, માર્ગ જો ઇતો નથી, સત્ત્વ પામવું. નથી અને માત્ર નાટક જ કરવું છે તેના માટે કોઇ ઉપાય નથી. આ મહાપુરુષમાં એવી વિશેષતા હતી, એવું સત્ત્વ હતું કે એમને ખોટામાં કોઇ નમાવી ન શકે. છેલ્લે બિમાર પડ્યા પછી હોસ્પિટલમાં જવાની પણ ના પાડી દીધી હતી. પોતાની જાતે શ્વાસ પણ લઇ શકે એવી શક્તિ રહી ન હતી તેથી છેલ્લા છ દિવસથી પાણીનું ટીપું પણ નાખ્યું ન હતું. જેમણે જીવનમાં કડક અનુશાસન ઝીલ્યું હોય તેવા મહાપુરુષો જતાં જતાં પોતાની છાયા મૂકીને જતા હોય છે. અપ્રતિમ સત્ત્વ, ગુરુપરતંત્ર્ય, માર્ગ પ્રત્યે વિશ્વાસ, ચારિત્રની પ્રીતિ, અપ્રમત્તતા... આ બધા ગુણો વીસરી ન શકાય એવા છે. મહાપુરુષો ગયા પછી તેમનું સ્મરણ જ મૂકીને જતા હોય છે. આપણે તરવું હોય તો આ ગુણોને આત્મસાત કરવા માટે પ્રયત્ન કરી લેવો છે. આ ગુણો જરૂરી છે કે બિનજરૂરી ? જરૂરી લાગે તો તે માટે થોડો પ્રયત્ન કરી લેવો છે. મહાપુરુષો શાશ્વત નથી હોતા, તેઓ ન મળે ત્યારે પણ તેમની છાયા તો મળે છે. આ છાયાને ઝીલવા પ્રયત્ન કરી લઇએ તો જેઓને ચારિત્ર મળ્યું નથી તેઓ ચારિત્ર પામી શકશે અને જેમણે લીધું છે તેઓ સારી રીતે પાળી શકશે. ચારિત્ર લેવા પહેલાં પણ કષ્ટ વેઠ્યાં અને ચારિત્ર લીધા પછી પણ કષ્ટ વેઠ્યાં છતાં ચારિત્રને કષ્ટકારક માન્યું નથી. આ ચારિત્રપાલનની અસર પડતી હોય છે. પુણ્ય કેટલું છે – એ નથી જોવું, ક્ષયોપશમભાવ કેટલો છે એ જોવો છે. આ મહાપુરુષ જીવ્યા તો સમાધિથી અને જતાં જતાં પણ સમાધિના દર્શન કરાવી ગયા. આવા મહાપુરુષ મોટે ભાગે મળતા નથી હોતા અને મળ્યા પછી પણ ફળતા નથી હોતા – એ આપણી મોટી કમનસીબી છે. ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૪૬ ભાવશ્રાવકનાં છ લક્ષણો • ૧૪૭
SR No.009155
Book TitleDharmratna Prakaran Bhav Shravakna Cha Lakshano Vachna
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2012
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy