SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ એ સારું ને ? આપણે સાધુ થયા છીએ તે કર્મ ખપાવવા માટે થયા છીએ - આવું જે માને તે આરાધનાને ચૂકીને પ્રભાવનાને લક્ષ્ય ન બનાવે. અંતે ત્રસકાયની જ્યણામાં જણાવે છે કે - से भिक्खू वा भिक्खुणी वा संजयविरयपडिहयपच्चक्खायपावकम्मे दिआ वा राओ वा गाओ वा परिसागओ वा सुत्ते वा जागरमाणे वा से कीडं वा पयंग वा कुंथु वा पिपीलियं वा हत्थंसि वा पायंसि वा बाहंसि वा ऊरुसि वा उदरंसि वा सीसंसि वा वत्थंसि वा पडिग्गहंसि वा कंबलंसि वा पायपुच्छणंसि वा रयहरणंसि वा गोच्छगंसि वा उंडगंसि वा दंडगंसि वा पीढगंसि वा फलगंसि वा सेजंसि वा संथारगंसि वा अन्नयरंसि वा तहप्पगारे उवगरणजाए तओ संजयामेव पडिलेहिअ पडिलेहिअ पमजिअ पमजिअ एगंतमवणेजा नो णं संघायमावजेजा ।। (सूत्र-१५) ઉપર જણાવ્યા પ્રમાણે સંયત વિરત તેમ જ પાપકર્મોને પ્રતિહા-પ્રત્યાખ્યાત કરનારો ભિક્ષ કે ભિક્ષણી દિવસે કે રાત્રે, એકલો કે સમુદાયમાં રહેલો, સૂતા કે જાગતા; કોઈ કીડાને, પતંગિયાને, કુંથુઆને કે કીડીને (ઉપલક્ષણથી સર્વ વિકસેન્દ્રિય તથા પંચેન્દ્રિયને એવા કોઈ પણ ત્રસ જીવને, જો તે કોઈ પણ વસ જીવ હાથ ઉપર, પગ ઉપર, ભુજા ઉપર, સાથળ ઉપર, પેટ ઉપર, માથા ઉપર, વસ્ત્ર ઉપર, કોઈ પાત્ર ઉપર, કાંબળ ઉપર, દંડાસણ ઉપર, રજોહરણ(ઘા) ઉપર, ગુચ્છા(પાત્રસ્થાપન) ઉપર, કુંડી ઉપર કે જીવ વિનાની શુદ્ધ ચંડિલભૂમિમાં, દાંડા ઉપર, પીઠ-પાટલા ઉપર, પાટિયા ઉપર, શય્યામાં અર્થાત્ ઉપાશ્રયમાં તથા સૂવા માટેના સાડા ત્રણ હાથ સંસ્તારક-સંથારા ઉપર અથવા તો અન્ય કોઈ પણ તેવા પ્રકારના સંયમમાં ઉપકારી એવાં ઉપકરણો ઉપર આવી ચઢયા હોય તો તેને ત્યાંથી સમ્યમ્ યતનાપૂર્વક અથવા તો પ્રયત્નપૂર્વક અર્થાત્ તેમને પરસ્પર પીડા ન થાય, કિલામણા ન થાય, તેમનો ઉપઘાત ન થાય તે રીતે પુનઃ પુનઃ (વારંવાર) પ્રતિલેખના કરવા પૂર્વક એકાંત સ્થાને મૂકે પણ તેનો સંઘાત (ઢગલો) ન કરે. અહીં ઉપલક્ષણથી ‘બીજા પાસે પણ આ રીતે ત્રસ જીવોની વિરાધના કરાવે નહિ અને કરતાને અનુમોદે નહિ' : એટલું સમજી લેવું. આ પ્રમાણે ભગવાને કહ્યું છે - તેથી હું પણ જીવું ત્યાં સુધી વિવિધ વિવિધ મનથી, વચનથી, કાયાથી ત્રસકાયની વિરાધના કરીશ નહિ, કરાવીશ નહિ, કરતાને અનુમોદીશ નહિ. ભૂતકાળમાં આવી જે કાંઈ વિરાધના કરી છે તેનાથી પાછો ફરું છું, આત્મસાક્ષીએ તેની નિંદા કરું છું, આપની સમક્ષ ગહ કરું છું અને એ પાપથી યુક્ત એવા મારા આત્માને વોસિરાવી છું... ઇત્યાદિ પણ સમજી લેવું. પ્રતિલેખના અને પ્રમાર્જના એ સાધુપણાનો પ્રાણ છે. તેથી સાધુનું ‘પ્રમાર્જનાશીલ' વિશેષણ વપરાય છે. સાધુભગવંત ટાપટીપ ન કરે, પણ જીવજંતુ ન થાય તે માટે વન્નપાત્ર વગેરે બરાબર વાળીને, વીંટીને, ગોઠવીને મૂકે. જ્યાં-ત્યાં રખડતું મૂકી રાખે તો તેના પર જિવાત ચઢી જાય. એક વાર આચાર્યભગવંતે કહ્યું હતું કે સાધુ મેલા હોય પણ ઘેલા ન હોય, લઘરવઘર ન હોય. બે વસ્ત્ર અહીં લટકતાં હોય, બે ત્યાં પડ્યાં હોય. આ સાધુપણાની શોભા નથી. જયણા માટે વ્યવસ્થિત ગોઠવીને મૂકવું એ ટાપટીપ નથી. જયણાના ઉપયોગ વિનાના સાધુની ભૂલો પણ તેમને હાસ્યાસ્પદ બનાવે એવી હોય. ઘડામાં સાબુ કે ચરવળી મૂકી હોય અને પૂંજ્યાપ્રમાર્યા વિના ગરમ પાણી વહોરી આવે તો તે પાણીની કે ચરવાળીની શી દશા થાય ? જે પ્રમાર્જના સાધુનો ગુણ કહેવાય તે જ સાધુમાં ન દેખાય તો તે સાધુ માટે કલંકભૂત ગણાય ને ? આ તો પુસ્તકો રાખે, પણ જયણા ન પાળે ! ખુલ્લું રાખી મૂકે, જીવજંતુ ચઢી જાય, વચ્ચે દબાઈ જાય - એ રીતે વાપરે તો જયણા ક્યાંથી સચવાય ? આથી જ સાધુભગવંતને પુસ્તકો પણ અપવાદપદે રાખવાનાં છે. સવ શ્રાવકો તો પુસ્તક રાખે ને ? શ્રાવક પુસ્તક રાખે ખરા પણ પોતાની જાતે ન વાંચે, ગુરુનો યોગ મળે ત્યાં સુધી ગુરૂમુખે જ સાંભળે, ગુરુનો યોગ ન મળે તો જ્યાં ગુરુ હોય ત્યાં જાય અને જો જઈ શકાય એવું ન હોય તો ગુરુની રજા લઈને ગુરુ આદેશ કરે તે જ પુસ્તક વાંચે. આજે પુસ્તકોની માગ વધી એટલે સાધુની કિંમત ઘટવા માંડી. વ્યાખ્યાનમાં આવનારો ઘટ્યા. ગુરુની કિંમત ઘટાડવા પુસ્તક ને વાંચવા. ગૃહમંદિર બનાવવા છતાં સંઘમંદિરમાં જવાનું ને ? સંઘમંદિરમાં ન જવા માટે ગૃહમંદિર ન બનાવાય ને ? તેમ વ્યાખ્યાનમાં જવું ન પડે માટે પુસ્તક વાંચો તે બરાબર નહિ. સવ એટલે અપવાદપદે વાંચવા, ઉત્સર્ગપદે નહિ ! છતાં આજે પુસ્તકોનું વાંચન એ ઉત્સર્ગ બની ગયો છે અને ગુરુ પાસે ભણવું - એ અપવાદ બની ગયો છે. સાધુભગવંત પણ પુસ્તકો રાખે તો જેટલાની (૧૫૩)
SR No.009154
Book TitleDash Vaikalik Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2011
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy