SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ a પુસ્તક : શ્રી દશવૈકાલિક સૂત્ર ભાગ-૩ (અધ્યયન-૪) IT આવૃત્તિ : પ્રથમ, વિ.સં. ૨૦૬૭ 0 નકલ : ૧૦૦૦ Id પ્રકાશન : શ્રી અનેકાંત પ્રકાશન જૈન રિલીજીયસ ટ્રસ્ટ શ્રી દશવૈકાલિક સૂત્ર (ચોથું ષડૂજીવનિકાય અધ્યયન) છાપરીયા શેરી, વિ. સં. ૨૦૧૮ સુરત ભા.વ. ૬ થી અનંતોપકારી શ્રી અરિહંતપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા મહાપુરુષો જ્યારે જ્યારે આપણા હિતની ચિંતા કરે ત્યારે એ હિતના કારણભૂત ધર્મને જણાવવાનું કામ કરતા હોય છે. જે મહાત્માઓએ આપણા હિત માટે પ્રયત્ન કર્યો તેઓ તો પરમપદે પહોંચી ગયા અને તેઓએ જણાવ્યા મુજબ યોગ્ય દિશામાં પ્રયત્ન કરનારા આત્માઓ પણ મોક્ષે પહોંચી ગયા. જેઓ ચૂક્યા તેઓ માર્ગની ખામીના કારણે નહિ, પોતાની આરાધનાની ખામીના કારણે ચૂક્યા. આથી જ આવી ખામીને દૂર કરવા માટે શાસ્ત્રકારોએ શાસ્ત્રની રચના કરી છે. આપણો ધર્મ - આપણી આરાધના - મલિન ન બને તેની ચેતવણી આપવાનું કામ શાસ્ત્રકારોએ કર્યું છે. પરંતુ આપણે તેમની વાત કાને ધરી નહિ અને ‘આપણે જે કરીએ છીએ તે જ બરાબર છે' આવી માન્યતાને મૂકી નહિ - માટે આપણામાં ઉમાર્ગગામિતા આવી. મહાપુરુષોએ માર્ગ બતાવવામાં કોઈ જ કચાશ રાખી નથી. ધર્મની પ્રાપ્તિ, ધર્મની રક્ષા અને ધર્મની પરાકાષ્ઠા કઈ રીતે થાય એ જણાવવા માટેનો પ્રયત્ન દરેક શાસ્ત્રમાં કરાયો છે. આપણે વરસોથી ધર્મ કરવા છતાં ધર્મનું ફળ પામ્યા નથી અને આવું કેમ બને છે – એ જાણવા માટે પ્રયત્ન પણ કર્યો નથી ને ? શાસ્ત્રોની રચનાનું જે પ્રયોજન છે એ જ પ્રયોજન આ વાચનાશ્રેણીના આયોજનનું છે. આપણે આપણા સ્વભાવની, આપણા ધર્મની, આપણી આરાધનાની ખામીઓને શાસ્ત્રના આધારે સમજી શકીએ અને સમજીને એ ખામીને સુધારી આપણા સ્વભાવને તથા ધર્મારાધનાને માર્થાનુસારી બનાવી શકીએ - એ માટેનો જ આ પ્રયાસ છે. અત્યાર સુધીમાં આપણે ત્રણ અધ્યયનના અર્થનું શ્રવણ કરી તેનું જ્ઞાન મેળવ્યું. હવે ચોથા અધ્યયનની શરૂઆત કરવી છે. આ શ્રી દશવૈકાલિકનાં પહેલાં ચાર અધ્યયનનું જ્ઞાન ગૃહસ્થોને સૂત્રથી પણ આપી શકાય છે અને અર્થથી પણ આપી શકાય છે - માટે આપણે આ સૂત્રનો વિષય પસંદ કર્યો હતો. તેમ જ શ્રાવકની ઇચ્છા સાધુ થવાની હોય અને આ સૂત્રમાં 0 પ્રાપ્તિસ્થાન : (૧) શા. મુકુંદભાઇ રમણલાલ ૫, નવરત્ન ફ્લેટ્સ, નવા વિકાસગૃહ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. (૨) પ્રમોદભાઈ છોટાલાલ શાહ ૧૦૨, વોરા આશિષ, ૫. સોલીસીટર રોડ, મલાડ (ઇસ્ટ), મુંબઇ-૪જી ૦૯૭. (૩) જતીનભાઇ હેમચંદ શાહ ‘કોમલ' છાપરીયા શેરી, મહીધરપુરા, સુરત-૩, Tejas Printers F/5, Parijat Complex, Swaminarayan Mandir Road, Kalupur, Abad-1. (M) 98253 47620 Ph. (O) 22172271
SR No.009154
Book TitleDash Vaikalik Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious
Publication Year2011
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy