SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ આયુર્વેદ, જ્યાતિષ અને મત્રશાસ્ત્રના ઊંડા અભ્યાસી ડૉ. ચંદ્રશેખર ગાપાલજી ઠકરે પેાતાના હુમૂલ્ય સમયના ભેગ આપીને આ ગ્રંથની ભનનીય પ્રસ્તાવના લખી આપી, તે માટે તેમના ખાસ આભાર માનીએ છીએ. સામાન્ય માન્યતા એવી છે કે સુશિક્ષિત વર્ગ ને આવી બાબતમાં શ્રદ્ધા રહી નથી, તે મંત્ર તંત્રને નફરતની દષ્ટિએ જુએ છે, પણ આ ગ્રંથના ગ્રાહકવર્ગ તરફ નજર નાખતાં એ માન્યતા અલવી પડે તેમ છે. ડૉકટરો, વકીલો, સરકારી અધિકારીઓ, શાળાના શિક્ષા, તેમજ મેાટી મેાટી પેઢીના વ્યવસ્થાપક ખધુઓએ પણુ આ ગ્રંથની પ્રતિ ખરીદી છે અને તેમનુ પ્રમાણ પચાશ ટકા કરતાંયે વધુ રહ્યું છે. આ અનુભવ પછી અમારા એ નિય દૃઢ થયેા છે કે હજીયે આપણા સમાજના એક મોટા વર્ગ મંત્રવિદ્યા અંગે પ્રમાણભૂત માહિતી માગે છે અને તેની ઉપાસનામા તથા તેના પ્રયાગામાં પણ રસ ધરાવે છે, તેથી આ પ્રકારનુ સાહિત્ય વિશેષ પ્રમાણમા પ્રકટ કરવુ જોઈ એ. વાસ્તવમા મત્રને વિષય મહાવ જેવા છે અને તેના અંગે જેટલું સાહિત્ય પ્રકટ કરવા ધારીએ, તેટલું કરી શકાય એમ છે; પરંતુ તે માટે સાધન વગેરેની મર્યાદા લક્ષ્યમા રાખવી પડે છે. આ ગ્રંથના પ્રથમ ખંડમા ખાર પ્રકરણા દ્વારા કાર અને તેની ઉપાસનાને સવિસ્તર વિધિ દર્શાવ્યા છે, બીજા ખડમાં સાત પ્રકરણા દ્વારા હી ાર અને તેની ઉપાસનાના સવિસ્તર વિધિ દર્શાવ્યા છે તથા ત્રીજા ખડમા ચૌદ પ્રકરણા દ્વારા અનેક મંત્રા અને મંત્રપ્રયાગા રજૂ કર્યાં છે, જે સાધકાને ધણા ઉપયોગી થઈ પડે એમ છે.
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy