SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ રકારની ઉપાસના અને કિંચિત સાથે બે મંત્રની ઉપાસના થઈ શકતી નથી, અર્થાત કે પણું એક મંત્રની જ ઉપાસના થઈ શકે છે, એટલે મેંપાસના કરવાની ઈચ્છા-અભિલાષાળાએ જે મંત્ર શ્રેષ્ઠ હોય તેની જ પસંદગી કરવી જોઈએ. કારની તુલનામાં કઈ મંત્ર ઊભું રહી શકે એમ નથી, એ હકીકત છે, તેથી તેની જ પસંદગી કરવી યોગ્ય છે, હિતાવહ છે, કલ્યાણકારી છે. કારિકામાં આગળ કહ્યું છે કેयुञ्जीत प्रणवे चेतः, प्रणवो ब्रह्म निर्भयम् । प्रणवे नित्ययुक्तस्य, न भयं विद्यते क्वचित् ॥२५॥ ચિત્તને-ચિત્તવૃત્તિઓને કારમાં જડવી, કારણ કે કાર એ નિર્ભય બ્રહ્મ છે. કારના ચિંતન-મનનમાં જે સાધક સદા જોડાએલો રહે છે, તેને કઈ પણ વખતે ભય ઉત્પન્ન થતું નથી.' વિવિધ પ્રકારના ભયેમાંથી કેમ બચવું? એ મનુષ્ય માત્રની સમક્ષ રહેલી એક વિકટ સમસ્યા છે. મનુષ્યને મનુષ્ય તરફને ભય ઉત્પન્ન થાય છે. સબળે નબળાને મારે છે અને તેનું સર્વસ્વ પડાવી લે છે. વળી તેને જીવનભરને ગુલામ બનાવી તેની પાસેથી મનધાર્યું કામ લે છે. મવાલી, ગુંડા, ચેર, ડાકુ, યુદ્ધ વગેરેના ભયે આ પ્રકારના છે. યુદ્ધપ્રસંગના આક્રમણથી તે દેશના દેશ તારાજ થઈ જાય છે અને તેમાં રહેનારા મનુષ્ય ભયંકર મોતને ભેટે છે, અથવા તે અતિ કઢંગી સ્થિતિમાં આવી પડે છે. અહીં કદાચ પ્રશ્ન થશે કે “મપાસનાથી યુદ્ધને
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy