SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - મંચિંતામણિ અને બ્રહ્મને તેનું નિશાન સમજવું. સુજ્ઞ સાધકે અપ્રમત્ત થઈને અર્થાત્ મેહ, માયા, નિદ્રા, આલસ્ય, ઉપેક્ષા આદિન ત્યાગ કરીને તથા શાંત-સ્થિર ચિત્તવાળા થઈને કારની ઉપાસના વડે એ નિશાનને વીંધી નાખવું જોઈએ. બાણુ નિશાનને લાગ્યા પછી તેમાં ચોંટી જાય છે, તેમ સાધકે કારની ઉપાસના શરૂ કર્યા પછી ચિત્તવૃત્તિઓને બ્રહ્માના ચિંતનમાં જોડી દેવી જોઈએ અને તેમાં જ તલ્લીન થઈ જવું જોઈએ.” માંડૂકપનિષત્ની ગૌડપાદાચાર્યકૃત કારિકામાં કહ્યું છે કેॐकारं पादशो विद्यात्, पादा मात्रा न संशयाः । ॐकारं पादशी ज्ञात्वा, न किश्चिदपि चिन्तयेत् ॥२४॥ “કારને પાકના કમથી જાણુ. પાદ એ અકારાદિ (ત્રણ) માત્રાઓ છે, એમાં સંશય નથી. કારને પાદકમથી જાણ્યા પછી બીજું કંઈ પણ ચિંતવવું નહિ તાત્પર્ય કે કારનું સ્વરૂપ યથાર્થ પણે જાણ્યા પછી તેનું જ ચિંતન-મનન કરવું જોઈએ અને તેની જ ઉપાસનામાં પ્રવૃત્ત થવું જોઈએ. પછી બીજા કશાને વિચાર કરે નહિ. હાથમાં કહીનૂર જે હીરે આવી જાય, પછી કાચના કકડાની ઈચ્છા કેણ કરે છે? કાર સર્વમંત્રશિરોમણિ છે અને અન્ય સર્વ મંત્રે તેમાંથી ઉદ્દભવેલા છે, એ સ્પષ્ટતા શાસ્ત્રાધારે પૂર્વ પ્રકરણમાં થઈ ગયેલી છે. અહીં પ્રસંગાવશાત એ પણ જણાવી દઈએ કે એકી
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy