SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રચિંતામણિ પ્રવાસીઓ આવવા લાગ્યા છે અને વનરાજોની લીલા નિહાળીને આનંદ અનુભવવા લાગ્યા છે. માનવસ્વભાવની આ ખાસિયત ધ્યાનમાં રાખીને જ આપણા ઋષિ-મહર્ષિઓએ, આપણુ સાધુ-સંતોએ તીર્થોનાં માહાસ્ય રચ્યાં છે તથા મંત્રને મહિમા ગાય છે. તેનું શ્રવણ કરીને પ્રતિવર્ષ લાખો મનુષ્ય તીર્થયાત્રા કરે છે તથા મોપાસના કરવાને પ્રવૃત્ત થાય છે. આમ તે કાર શબ્દ આપણે સહુને પરિચિત છે અને તે એક પવિત્ર મંત્ર છે, તે પણ જાણીએ છીએ, પરંતુ તેને વાસ્તવિક મહિમા શું છે? તેને આપણને ખ્યાલ નથી. ખાસ કરીને આધુનિક શિક્ષા પામેલ યુવાન વર્ગ તે તેનાથી અનભિજ્ઞ જ છે, તેથી જ અમે પ્રસ્તુત પ્રકરણમાં ઉષ્કારને મહિમા રજૂ કરવાનું મુનાસિબ માન્યું છે. અમને ખાતરી છે, વિશ્વાસ છે કે કારને મહિમા જાણ્યા પછી હજારે હૈયાં તેના તરફ આકર્ષાશે અને તેની નિત્ય-નિયમિત ઉપાસના કરવાના નિર્ણય પર આવી જશે. શુકલ યજુર્વેદના બીજા અધ્યાયમાં કહ્યું છે કે “ દિલ્લે પરમાત્મન ! અમે જે કંઈ ઈચ્છીએ છીએ તે સ્થિર થઈ જાય. તેના ચાલીશમા અધ્યાયમાં કહ્યું છે કે “ રજૂ – એ આકાશ સમાન વ્યાપક બ્રહ્મ છેવળી એજ અધ્યાયમાં છે તો સાર” એ શબ્દ વડે એમ જણાવ્યું છે કે “હે સત્ય સંકલ્પવાળા સાધક! સર્વવ્યાપી પરમાત્માનું મરણ કરી?
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy