SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ત્રચિંતામણિ કરે છે અને તેમનુ વદન-પૂજન કર્યાં પછી જ નિર્ધારિત કાર્યના આરંભ કરે છે, જેથી વિઘ્નાની નિવૃત્તિ થાય અને તે કાર્ય આનંદથી પાર પડે. આમ તે પરમાત્માનું દરેક નામ મ’ગલકારી છે અને તેનુ સ્મરણ કરતાં વિઘ્નાની નિવૃત્તિ થાય છે, પણ આ મખતમાં ગણપતિજી વિશેષ ચમત્કાર થતાવે છે, તેથી જ તે પ્રારંભે પૂજાય છે અને શાસ્ત્રાની શરૂઆત કરતાં કે ચાપડાના પ્રારભ કરતાં ‘શ્રી ગળેશાય નમઃ' એ સાત અક્ષરા અતિ સદ્ભાવપૂર્વક લખાય છે. અહી” એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે ગણેશ એ ગણપતિજીનું જ મીનુ નામ છે. વળી તેમને ગણેશ્વર, ગજાનન, વિનાયક, વક્રતુંડ, લખાદર આદિ અન્ય નામાથી પણ ઓળખવામાં આવે છે. ઘણાને અનુભવ એવા છે કે ગણપતિમ'ત્રાના જપ કરતાં વ્યાપારમાં લાભ થાય છે, સ્વીકૃત કાર્યાંમાં યશ મળે છે અને ઋદ્ધિ-સિદ્ધિમાં વધારા થવા પામે છે, તેથી આજે લાખા માણસે પ્રતિદિન તેમનું સ્મરણુ–વંદન—પૂજન કરે છે તથા તેમને મંત્રજપ કરી પાતે ગણપતિજીના ઉપાસક હાવાનુ' ગૌરવ લે છે. હવે અહીં ગણપતિજીના ત્રણ મંત્રા રજૂ કરીશું' કે જે સાધકને ઋદ્ધિ અને સિદ્ધિ આપનારા છે તથા તેની દરેક રીતે ઉન્નતિ કરનારા છે.
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy