SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ગાયત્રી મંત્રનું અજમ સામર્થ એક યા બીજા કારણે દ્રવ્યની તંગી રહેતી હોય ત્યારે ગાયત્રી મંત્રની ઉપાસના ઘણી મદદગાર થઈ પડે છે. આ વખતે ગાયત્રી મંત્રને જે જપ કરવામાં આવે, તેમાં મંત્રના છેડે ત્રણ વખત શ્રી બીજને સંપુટ કરે જોઈએ, એટલે કે મંત્ર પૂરો થયા પછી શ્રીશ્રી શ્રી એમ બોલવું જોઈએ. - આ સાધના કરતી વખતે વર પીળાં પહેરવાં જોઈએ, પુપે પીળાં વાપરવાં જોઈએ, યપવિત પીળું જોઈએ, તિલક પણ પીળું એટલે કેસરનું કરવું જોઈએ અને આસન પણ પીળું વાપરવું જોઈએ. શુક્રવારના દિવસે હળદર અને તેલ ભેગાં કરીને શરીરે ચળવાં જોઈએ અને રવિવારે ઉપવાસ કરે જોઈએ. મંત્રજપ કરતાં પહેલાં ધ્યાન ધરવાને વિધિ છે, તે પ્રસંગે પીતામ્બરધારી અને હાથી પર બિરાજેલા ગાયત્રીદેવીનું ધ્યાન ધરવું જોઈએ. ભેજનમાં પીળા રંગની વસ્તુ વિશેષ વાપરવી જોઈએ. પીળો રંગ એ લક્ષમીદેવીનું પ્રતીક છે, તેથી આ પ્રગમાં પીળા રંગને મહત્વ અપાયેલું છે. આ પ્રમાણે ગાયત્રીદેવીની ઉપાસના કરતાં થોડા જ વખતમાં દરિદ્રતા દૂર થાય છે અને ધનની વૃદ્ધિ થવા લાગે છે. ગાયત્રી દેવીના એક ઉપાસક કહે છે કે “ગાયત્રીદેવીની
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy