SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ મચિંતામણિ. જ નામના એક મહાશય બેંકમાં નોકરી કરતા હતા. અને રેકડ (Cash) નું કામ સંભાળતા હતા. તેમની પ્રામાણિકતા બાબત કેઈને કંઈ શંકા ન હતી; પણ એક વખત રેકડમાંથી મેટી રકમ ઉચાપત થઈ અને તેને વહેમ તેમના પર આવ્યું. આથી તેમને ઘણું દુઃખ થયું અને તેઓ આ કલંકમાંથી કેમ મુક્ત થવું? તેની ઊંડી ફિકરમાં પડયા. આ વખતે એક સ્નેહીએ તેમને સલાહ આપી કે તમે બીજું બધું મૂકીને શિવમંત્રને જપ કરે, તેનાથી તમે નિર્દોષ ઠરશે અને તમારી ચડતી કલા થશે. પછી તેમણે શિવા” એ પંચાક્ષરી મંત્ર આવે અને તેની ગણનાને વિધિ બતાવ્યું. જ મહાશયે એ મંત્રની નિયમિત ગણના કરવા માંડી. તેઓ પ્રાતઃકાલમાં ચાર વાગે ઉઠીને નાહીધોઈને મંત્રજપ કરવા બેસી જતા અને સૂર્યોદય થાય ત્યાં સુધી એ મંત્રજપ ચાલુ રાખતા. પછી શિવમંદિરમાં જઈ શિવજીનાં દર્શન કરી તેમને બીલીપત્ર ચડાવતાં અને ત્યાંથી પાછા ફર્યા બાદ પોતાના કામે લાગી જતા. રાત્રે સૂતાં પહેલાં પણ તેઓ અનુકૂલતા મુજબ અર્ધો કલાક, પોણે કલાક કે એક કલાક આ પંચાક્ષરી મંત્રનો જપ કરતા અને નિદ્રાધીન થતાં પહેલાં અંતઃકરણથી શિવજીને પ્રાર્થના કરતા કે “હે ભોલાનાથ! મને આ કલંકમાંથી બચાવી લેજે, મને તારું જ શરણ છે.” • બેંકના અધિકારીઓ ઉચાપત થયેલી રકમ અt બારીકાઈથી તપાસ ચલાવતા હતા, પણ હજી સુધી તેનો
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy