SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાધિવિનાશક નારાયણ મંત્ર ૭૫ મને પ્રેમથી પૂર્ણ કરે. હું અનંત કાલથી આપની સાથે છું અને અનંત કાલ સુધી આપની સાથે જ રહીશ. હું આપને જ અંશ છું. મને આપના ચરણેમાં પૂર્ણ વિશ્વાસ છે. અને જન્મ-જન્માંતરમાં અનંત કાલ સુધી આપના ચરશુકમથી દૂર કરશે નહિ.” પાંચમું સંપાન તે પછી નાસ્તિતાના ભાવથી અથવા ભય, ચિંતા વગેરેના વિચારેથી મનને ખાલી કરી નાખવું અને પરમાત્યાના પ્રેમમાં મગ્ન થઈ જવું તથા મંત્રજપ શરૂ કર. છઠું સોપાન જપ પૂરા કર્યા પછી થોડી વાર સુધી શાંતિપૂર્વક બેસી રહેવું અને ઉપર જણાવેલી પ્રાર્થના કરી મનને આશાવંત બનાવવું. અર્થાત્ નારાયણની પ્રાણશક્તિની લહરિએ હવે આવી રહી છે, એવી ભાવના મનમાં ઉત્પન્ન કરવી અને તેને ઉત્તરોત્તર બળવાન બનાવવી. સાતમું અથવા અંતિમ સોપાન ત્યારબાદ આંખે બંધ કરવી અને માનસચક્ષુઓની સિમક્ષ દૂધ જેવા શ્વેત પદાર્થથી ભરેલ એક ત સમુદ્ર ચિંતવ કે જેને ન તે આદિ હોય કે ન અંત હોય. એ સમુદ્રમાં મનથી સ્નાન કરવું અને તેના પયનું પાન કરવું તથા અંદર બહાર સર્વત્ર તેમાં તરબળ બની જવું.
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy