SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ મંત્રચિંતામણિ મત્ર છે અને તે પેાતાની વિશેષતા ધરાવે છે. આ મત્રની સિદ્ધિસમયે શ્રીરામ જાનકીજી એટલે સીતાજીની સાથે દેન દે છે અને સાધકના સર્વ મનેરથા પૂરા કરે છે. શાસ્ત્રોમાં એવા ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે કેश्रियं रामं जयं रामं द्विर्जयं राममीरयेत् । त्रयोदशाक्षरो मन्त्रः सर्वसिद्धिकरः स्मृतः ॥ * તાપ કે શ્રી રામ જય રામ જય જય રામ' એ તેર અક્ષરાના મંત્ર સર્વ પ્રકારની સિદ્ધિઓને આપનારા છે. સમથ સ્વામી રામદાસ આ જ મત્રના અહર્નિશ જય કરતા હતા. તેમની પવિત્ર પ્રેરણાથી જ શિવાજી મહારાજે મોગલ સમ્રાટ્ ઔર ંગઝેબ સામે ખાથ ભીડી હિંદુ ધર્માંની રક્ષા કરી હતી અને મરાઠા રાજ્ય સ્થાપ્યું હતું. રામનામના અખંડ જયજ્ઞો થાય છે તથા તેની લેખનપ્રવૃત્તિ પણ વિશાળ પાયે ચાલે છે. અનુભવીઓનું એ કથન છે કે કાઈ પણ સાધકે રામનામ લખવાની શરૂઆત કરે અને તે મૌનપૂર્વક લખ્યું જ જાય તેા પાંચ લાખ મ ંત્રા લખતાં એ મંત્ર સિદ્ધ થઈ જાય છે અને તેના ચમત્કાર પ્રત્યક્ષ દેખાવા લાગે છે. શ્રી રામકીર્તનના એક વિશેષ વિધિ નૌકાજપ નામના છે. તેનુ વર્ણન જ્ઞાનેશ્વરસહિતામાં કરેલું છે. ત્યાં મહાદેવજી પાર્વતીજીને ઉદ્દેશીને કહે છે
SR No.009148
Book TitleMantra Chintamani
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1967
Total Pages375
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy