________________
[૨]
મંગલકારી મંત્રપ્રયોગ
આ જગતમાં મંગલની આકાંક્ષા-ઈચ્છા–આશા કેણુકરતું નથી? જેઓ ધન-ધાન્યથી સમૃદ્ધ છે, ઉચ્ચ અધિકારપદે વિરાજે છે તથા જનસમુદાય પર અનેરું પ્રભુત્વ ધરાવે છે, તેઓ પણ મંગલની આકાંક્ષા કરે છે, તે સામાન્ય જનનું કહેવું જ શું? અન્ય રીતે કહીએ તો આ જગતમાં અમંગલની આકાંક્ષા-ઇચ્છા કઈ કરતું નથી, અરે! તેને પડછાયો પડે તે પણ પિતાને હતભાગી સમજે છે અને તે વહેલી તકે દૂર થાય તેવા પ્રયાસો કરે છે. આ સ માં મંગલકારી મંત્રપગને સહુ કોઈ અંતરથી આવકારશે અને તેની સિદ્ધિ માટે નિષ્ઠાભર્યો પ્રયાસ કરશે, એમ માની લેવું વધારે પડતું નથી જ.
આ જગતમાં પરમેશ્વર કે પરમાત્માનું નામ સૌથી વધારે મંગલમય છે, એટલે તેનું અનન્ય શ્રદ્ધાથી સ્મરણ કરવું, તેને અનન્ય ભાવે જપ કરે, એ સહુથી શ્રેષ્ઠ મંગલકારી મંત્રપ્રયાગ છે. અહીં કે એમ કહેતું હોય કે